Sunday, October 19, 2025

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
Homeબાળજગતમુસીબતમાં કામ આવવું

મુસીબતમાં કામ આવવું

સફેદ મરઘીને પોતાની સાથીઓની નિર્દયતા ઉપર ખૂબજ ક્રોધ આવ્યો અને તે સૌને એ બતક ઉપર શિકારી દ્વારા કરાયેલ જુલમ અટકાવવા ખૂબજ વિનવણી સાથે બોલી, ‘બહેનો ! આનો જીવ જોખમમાં છે. હાલમાં આપણે મોટી સંખ્યામાં છીએ અને બહુ સહેલાઈથી તેના પ્રાણ બચાવી શકીએ છીએ.’

આ સાંભળી બીજી મરઘીઓએ કહ્યું, ‘અરે…… આ ન તો આપણી જ્ઞાાતિ કે જાત-બિરાદરીની છે અને ન જ અન્ય… ભલા આની મદદ કરીને આપણને શું મળશે ?’ સફેદ મરઘીએ આ સાંભળી જવાબમાં ગુસ્સેથી કહ્યું, ‘ઠીક છે, આ આપણી જ્ઞાાતિ કે જાત-બિરદરીની નથી, પરંતુ આપણી જેમ જ ખુદાની મખ્લૂક (સર્જન) ઔતો છને ?’

સફેદ મરઘીની ખરી-ખરી વાતો સાંભળીને સૌના મોઢા બંધ થઈ ગયા, અને તે બધી ચાલી ગઈ. તેમને જતી જોઈને તે દોડતી દોડતી બતક પાસે આવી, તેને દિલાસો કે સાંત્વના આપી. સાથે જ જલ્દી જલ્દીપોતાની ચાંચ તથા પંજા વડે તેને મુકત કરવા પ્રયત્ન કરવા લાગી. આ પ્રયત્નમાં તે પોતે પણ ખરાબ રીતે જખ્મી થઈ ગઈ, પરંતુ તે હિંમત હારી નહીં અને તેને મુકત કરાવવામાં સફળ થઈ ગઈ. બતકે પહેલા ખુદાનો અને પછી મરઘીનો આભાર વ્યકત કર્યો.

આ ઘટનાના થોડાક દિવસો બાદ એ જ ગામમાં પૂર આવ્યો, અને આખા ગામમાં અંધાધૂંધી મચી ગઈ. જેમાં એ બધી ઘમંડી મરઘીઓ અને તેમની સાથે એ સફેદ મરઘી પણ સામેલ હતી, જીવ બચાવવાનો કોઈ રસ્તો સૂઝતો કે સમજમાં આવતો ન હોવાથી તેઓ પાંખો ફફડાવીને એક ઝાડ ઉપર પહોંચી ગઈ. નાનકડા જીવ ચારે બાજુ પાણી જ પાણી જોઈને ગભરાઈ ગઈ હતી. તેમને પાણીમાં ચારે બાજુ પોતાનું મોત ભમતું દેખાઈ રહ્યું હતું.

થોડાક જ સમય વીત્યો હશે કે એ જ બતક તરતી તરતી સફેદ મરઘી નજીક આવી અને તેની ખૈરિયત પૂછી. ત્યારબાદ બાકીની ઘમંડી મરઘીઓને પણ કહ્યું કે, ‘બહેનો ! ગભરાવ નહીં. હું તમારી શકય એટલી તમામ સહાય કરીશ.’ ત્યાર પછી એ બતકે પોતાની સાથી સહેલી બતકોને બોલાવી એ તમામ બતકોએ બધી મરઘીઓને પોતપોતાની પીઠો ઉપર બેસાડીને કોરી જમીન ઉપર પહોંચાડી દીધી. કોરી જમીન પર પહોંચતા જ બધી મરઘીઓએ અલ્લાહનો આભાર માન્યો અને સાથે જ બતક સામે લજ્જિત કે શર્િંમદા થઈ માથું નીચું કરી પોતાના અગાઉના એ દુર્વ્યવહાર બદલ માફી માગવા લાગી.

મરઘીઓના જીવ બચાવવાના પ્રયત્નોમાં બતકોને ખૂબજબ શ્વાસ ચઢી ગયો હતો. તેમને ખૂબજ થાક અને દુઃખાવો થઈ રહ્યો હતો. એ બતકે ખૂબજ પ્રેમપૂર્વક કહ્યું, ‘બહેનો ! મારાથી માફી માગી મને શર્િંમદા કે લજ્જિત ન કરો. પોતાની ભૂલનો અહેસાસ થઈ જવો જ સૌથી મોટી સજા અને માફી છે. બસ હવે પછી આટલું યાદ રાખજો કે મુસીબત સમયે કોઈ મજબૂર તથા લાચાર કે વિવશના કામમાં આવવું સૌથી મોટી ખિદમત/ સેવા તથા ઇબાદત છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments