જેમ જેમ માનવસભ્યતાનો વિકાસ થતો ગયો તેમ તેમ શહેરોની રચના થતી ગઈ. પ્રાચીન સંસ્કૃતિઓને જાેઈએ તો તેઓ એવા વિસ્તારમાં આબાદ થતી હતી જ્યાં પાણીની સવલત ઉપલબ્ધ હોય,કેમકે તે જીવનની એવી મૂળભૂત જરૂરિયાત છે જેને અવગણી શકાય નહીં. એટલે જ આપણને પ્રાચીન નગરો મોટા ભાગે નદી કિનારે કે દરિયા કાંઠે સ્થાયી થયેલ જાેવા મળે છે. પરંતુ એ બધા નગરો કે શહેરોમાં એક એવું શહેર પણ છે જેની સ્થાપના પોતે એક ચમત્કાર થી ઓછી નથી. સૈયદના હઝરત ઈબ્રાહીમ અલૈ. અને હઝરત ઈસ્માઈલ અલૈ. આ શહેરના સ્થાપક હતા. અલ્લાહની ઇચ્છાથી આબાદ થયેલ આ શહેરનું નામ છે, “મક્કા”. મક્કા પોતાની અંદર ઘણી બધી વિશેષતા ધરાવે છે. ઇસ્લામના સૌથી પવિત્ર સ્થાન તરીકે પ્રસિદ્ધ આ નગર સમૃદ્ધ વેપારી શહેર છે. ભૌગોલિક રીતે જાેઈએ તો તે વિવિધ પ્રદેશોને જાેડતા મહત્વપૂર્ણ વેપાર માર્ગો પર સ્થિત છે. તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે તે સમૃદ્ધ બન્યું હતું. વિવિધ પૃષ્ઠભૂમિના વેપારીઓ મક્કામાં આવતા હતા, જેના કારણે તે વાણિજ્ય માટે એક ધમધમતું કેન્દ્ર બન્યું હતું, જ્યાં મસાલા, કાપડ અને અન્ય વૈભવી વસ્તુઓનો વેપાર થતો હતો. આજે સમગ્ર દુનિયામાંથી મુસલમાનો હજ કરવા માટે આ શહેરની મુલાકાત લે છે. હજ દરમ્યાન વ્યવસાયની પરવાનગી હોવાથી સમગ્ર દુનિયાના લોકો માટે તે એક મહત્વનું વ્યપારિક કેન્દ્ર પણ બની રહ્યું છે. આજે મક્કાને “ઇસ્લામનું ઉદ્ગમસ્થાન અને પારણું” માનવામાં આવે છે. સૂર: અનામની આયત ૯૨માં આ શહેરને “ઉમ્મૂલ કુરા”(તમામ વસાહતોની મા) કહેવામાં આવ્યું છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે અલ્લાહના ઘર (કાબા)નું નિર્માણ સૌપ્રથમ હઝરત આદમ અલૈ. એ કર્યું હતું પરંતુ આ ઇમારત હઝરત નુહ અલૈ.ના સમયમાં આવેલ પૂરમાં નાશ પામી હતી. ત્યારબાદ હઝરત ઈબ્રાહીમ અલૈ.એ ફરીથી કાબાનું નિર્માણ કર્યું. તેથી તેને ઇબ્રાહિમનું શહેર પણ કહેવામાં આવે છે.
આ શહેરના નિર્માણ સમયે હઝરત ઈબ્રાહીમ અલૈ.એ જે દુઆઓ કરી હતી, કુઆર્નમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનાથી આ શહેર વિશેનો ઈબ્રાહીમી દૃષ્ટિકોણ અને વિશેષતાઓ આપણી સમક્ષ આવે છે.
આપણે જાણીએ છીએ કે હઝરત ઈબ્રાહીમ અલ્લાહના પયગંબર હતા. તેમણે લોકોને એક અલ્લાહ તરફ બોલાવ્યા અને માત્ર તેની જ ઈબાદત કરવાનું આમંત્રણ આપ્યું. જે તેમની કોમ સહન કરી શકી નહીં અને તેમના પિતા સહિત સમગ્ર લોકોએ ઈબ્રાહીમ અલૈ. ઉપર ત્રાસ ગુજાર્યો. એટલે સુધી કે તે સમયના રાજાએ તેમને અગ્નિકુંડમાં નાખી દીધા. પરંતુ ચમત્કારિક રીતે હઝરત ઈબ્રાહીમ અલૈ. હેમખેમ બાહર આવ્યા અને પછી પોતાની પત્ની હાજરા અને પુત્ર ઈસ્માઈલ અલૈ. સાથે અરબના આ રણપ્રદેશમાં પહોંચ્યા. એક એવું રણ જ્યાં જીવનને ટકાવી રાખવા માટે કોઈ જ આધાર નહોતો. ન માણસ, ન વનસ્પતિ, ન પાણી અને ન જ જીવનના કોઈ ચિહ્ન. સંપૂર્ણ શુષ્ક અને વેરાન રણમાં અલ્લાહે હઝરત ઈબ્રાહીમ અલૈ. ને કાબાના નિર્માણનો આદેશ આપ્યો. અલ્લાહ તઆલા આ પવિત્ર સ્થાનની આસપાસ એક શહેરને આબાદ કરવા માંગતા હતા. તેઓ, હઝરત ઈસ્માઈલ અલૈ. સાથે જ્યારે કાબાની ઇમારત બનાવતા હતા ત્યારે અલ્લાહથી દુઆ કરતા હતા, જેનો ઉલ્લેખ કુઆર્નમાં આ રીતે કરવામાં આવ્યો છે,
“પાલનહાર ! મેં એક ર્નિજળ અને બિન-ખેડાણ ખીણમાં પોતાના સંતાનોમાંથી એક હિસ્સાને તારા પ્રતિષ્ઠિત ઘર (કા‘બા) પાસે લાવીને વસાવ્યો છે. પાલનહાર ! આવું મેં એટલા માટે કર્યું છે કે આ લોકો અહીં નમાઝ કાયમ કરે, તેથી તું લોકોના હૃદયોને તેમના મોહિત બનાવ અને તેમને ખાવા માટે ફળો આપ, કદાચ આ લોકો કૃતજ્ઞ બને”.(સૂર: ઈબ્રાહીમ ૩૭) – “અને એ કે ઇબ્રાહીમે દુઆ કરી, ‘‘ હે મારા માલિક ! આ શહેરને શાંતિનું શહેર બનાવી દે અને તેના રહેવાસીઓમાંથી જેઓ અલ્લાહ અને આખિરત (પરલોક)ને માને, તેમને દરેક પ્રકારના ફળોની રોજી આપ.‘‘ જવાબમાં તેના માલિકે ફરમાવ્યું, ‘‘અને જે નહીં માને, દુનિયાની ટૂંકી જિંદગી માટેનો સામાન તો હું તેને પણ આપીશ, પરંતુ અંતે તેને જહન્નમની સજા તરફ ઢસડી જઈશ, અને તે સૌથી ખરાબ ઠેકાણું છે.” (સૂર:આલે ઈમરાન ૧૨૬) – “યાદ કરો તે સમય જ્યારે ઇબ્રાહીમે દુઆ કરી હતી, ‘‘પાલનહાર ! આ શહેર (અર્થાત્ મક્કા)ને શાંતિનું શહેર બનાવ અને મને તથા મારા સંતાનોને મૂર્તિપૂજાથી બચાવ”? (સૂર: ઈબ્રાહીમ ૩૫)
ત્રણેય આયતો પરથી જે નિષ્કર્ષ કાઢી શકાય તે મુજબ આપની દુઆના ૫ અંશો છે. શાંતિ,રોજગાર (આર્થિક સુખ), એકેશ્વરવાદ, નમાઝ, આ સ્થાનનો વિશિષ્ટ પ્રેમ
ત્રણેય આયતોમાં જે વસ્તુ સમાન છે તે છે “શાંતિનું શહેર”. ઈબ્રાહીમ અલૈ. જે શહેરની બુનિયાદ નાખી રહ્યા છે તેના માટે તેઓ શાંતિની દુઆ કરી રહ્યા છે. કોઈ પણ સમાજમાં શાંતિનું પ્રથમ પગથીયું મનનું શાંત હોવું છે. આંતરિક શાંતિ રાખનારા લોકો જ એવા સમાજનો ભાગ બની શકે છે જે શાંત હોય. આ શાંતિની વિચારધારાને આર્થિક સમૃદ્ધિ સાથે એક અતૂટ સંબંધ છે. આજે સમગ્ર દુનિયામાંથી લોકો આ સ્થળની મુલાકાતે આવે છે, તેમની ભાષા, રંગરૂપ, સંસ્કૃતિ, વિસ્તાર અને સામાજિક સ્થિતિ જુદી જુદી છે પરંતુ તેમનો વિચાર એક છે, કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. મન મષ્તિશ્ક જ્યારે એકેશ્વર (એક અલ્લાહ)ના શુદ્ધ, સ્વચ્છ અને સત્ય સ્વરૂપ સાથે ઓતપ્રોત થાય છે ત્યારે તે અપાર શાંતિનો અનુભવ કરે છે. એક અલ્લાહ પર ઈમાનનો પ્રભાવ આ પડે છે કે તે વિવિધ ઓળખોને પોતાનામાં સમાવી એક ઓળખ બનાવે છે. સંસારમાં વિવિધ વિચારધારા, સંપ્રદાયો, સંસ્કૃતિઓ, ભાષાઓ અને જાતિના લોકો એક બીજાથી ચઢિયાતાં હોવાનો દાવો કરે છે અહી સુધી કે બીજા સમુદાયો પર અત્યાચાર કરે છે. માનવી પોતાના કે પોતાના સમુદાયના ભૌતિક લાભ માટે અન્યાય,પક્ષપાત કે જુલમ કરતાં પણ અચકાતો નથી. જેના કારણે સમાજમાં અશાંતિ ઉત્પન્ન થાય છે. એકેશ્વરની વિભાવના માનવીને માનવીથી જાેડે છે. જ્યારે ર્શિક દિલોને એક બીજાથી જુદા કરે છે. તેથી હઝરત ઈબ્રાહીમ અલૈ. એ શાંતિના શહેરની સ્થાપના માટે જે દુઆ કરી તેમાં ઈમાનનું મહત્વ સમજી શકાય છે. માત્ર અલ્લાહ ઉપર ઈમાન પૂરતું નથી બલ્કે ર્શિકનો ત્યાગ પણ જરૂરી છે. ઈમાન દિલમાં શાંતિનો પ્રકાશ પ્રજ્વલિત કરે છે અને ર્શિકના અંધકાર તથા જ્વાળાઓથી વ્યક્તિની સુરક્ષા પણ કરે છે. શાંતિની સ્થાપના માટે જરૂરી છે કે દરેક વ્યક્તિ તેના માટે જવાબદાર હોય અને સંપૂર્ણ સભાનતા સાથે જીવન વ્યતીત કરે. વ્યક્તિ જ્યારે ક્ષુલ્લક ભૌતિક લાભ માટે દગો, અસત્ય,અન્યાય, ભ્રષ્ટાચાર, પક્ષપાત, ભેદભાવ, અત્યાચાર, અતિરેક વિગેરે જેવા દુર્ગુણોનો સહારો લે છે ત્યારે અશાંતિ ઉદભવે છે. કોઈ શહેરમાં કાનૂન વ્યવસ્થા ભાંગી પડે તો પણ અશાંતિ ઉદભવે છે. આપની દુઆ દર્શાવે છે કે એક એવા શહેરનું નિર્માણ થાય જ્યાં સંપૂર્ણ પણે શાંતિ હોય. મક્કાવાસીઓના હજાર જુલ્મ છતાં આપ ﷺ જ્યારે મક્કા પહોંચ્યા અને તેમણે આપ ﷺ નો રસ્તો રોક્યો ત્યારે પણ તે શહેરની શાંતિ ભંગ ન થવા દીધી, જેનો ઉલ્લેખ કુઆર્નમાં આ રીતે કરવાંમાં આવ્યો છે, “તે જ છે જેણે મક્કાની ખીણમાં તેમના હાથ તમારાથી અને તમારા હાથ તેમનાથી રોકી દીધા, જાે કે તે તેમના પર તમને પ્રભુત્વ આપી ચૂક્યો હતો, અને જે કંઈ તમે કરી રહ્યા હતા, અલ્લાહ તેને જાેઈ રહ્યો હતો”. (સૂર: ફતહ-૨૪)
શાંતિ મનુષ્યની આંતરિક ઈચ્છા અને પ્રાકૃતિક ભાવના છે. દુનિયામાં વિવિધ વિચારધારાઓ આવી, વિવિધ સામ્રાજ્યો સ્થપાયા, વિવિધ જાતિઓએ રાજ કર્યું, તેમણે પણ શાંતિ અને ન્યાયનો વિચાર રજૂ કર્યો પરંતુ સફળ ન થયા. પરંતુ ઈબ્રાહીમ અલૈ. એ જે દુઆ કરી હતી તે કુબુલ થઈ અને આજે દુનિયાનું સૌથી શાંત શહેર મક્કા છે. મક્કા શહેર દુનિયાની સૌથી વધુ સંસ્કૃતિઓનું સંગમ ધરાવતું શહેર છે, દર વર્ષે લાખો લોકો મળે છે પરંતુ કોઈ હિંસા થતી નથી. અહીં સુધી કે આટલી મોટી જનમેદનીને નિયંત્રિત કરવા માટે જે પોલીસ હોય છે તેમના હાથમાં લાકડી પણ હોતી નથી.
વ્યક્તિના ચિત્તને શાંત રાખવામાં નમાઝનો ફાળો ખુબજ મહત્વનો છે. નમાઝ માણસમાં અલ્લાહ સમક્ષ ઉત્તરદાયિત્વની ભાવનાને વિકસાવે છે, સકારાત્મક ઉર્જા નો સંચાર કરે છે, અશ્લીલ અને ગુનાહના કાર્ય કરવાથી રોકે છે. નમાઝ ધ્યાન, ચિંતન મનનનું શ્રેષ્ઠ સાધન છે. તે એક તરફ બંદાને સીધું અલ્લાહ સાથે જાેડે છે તો બીજી બાજુ લોકો વચ્ચે સામાજીકતા પણ પેદા કરે છે. નમાઝ વ્યક્તિમાં શિસ્ત અને અનુશાસન પેદા કરે છે અને અલ્લાહનો આભાર વ્યક્ત કરવાની તે એક સુંદર પદ્ધતિ છે. વ્યક્તિ સાચા અર્થમાં પોતાના મનને નમાઝના પ્રભાવોને આધીન કરે તો તેના વ્યક્તિત્વમાં એક અદભૂત પરિવર્તન આણી શકાય છે. તેથી ઇસ્લામમાં નમાઝનું મહત્વ ખુબજ વધારે છે, નબી ﷺ એ નમાઝને ઈમાન અને કુફ્ર વચ્ચેની ભેદરેખા પણ કહ્યું છે.
શાંતિની સ્થાપનામાં એક બીજાે મહત્વપૂર્ણ ભાગ અર્થતંત્ર છે. જાે કોઈ શહેરમાં ૧૦૦ ટકા રોજગાર હોય અને દરેક વ્યક્તિની આવક જરૂરતથી વધારે હોય તો માણસમાં અસ્વસ્થ્ય હરીફાઈ સ્વાભાવિક રીતે થતી નથી, લૂટફાટ અને ચોરીના બનાવો તદ્દન શૂન્ય થઈ જાય છે. પ્રાચીન સમયથી કાબાના કારણે મક્કા એક સમૃદ્ધ શહેર બની ગયું છે. રણપ્રદેશ હોવા છતાં અહી દુનિયાની દરેક અને શ્રેષ્ઠ વસ્તુ મળી રહે છે. આજે હજ અને ઉમરહ માટે દુનિયાના ખૂણે ખૂણે થી લોકો ત્યાં પહોંચે છે જેના લીધે મક્કાનું અર્થતંત્ર પણ સતત ધબકતું રહે છે.
મક્કા શહેરની વિશેષતા ઊપર પ્રકાશ પાડતાં અલ્લાહ કુઆર્નમાં ફરમાવે છે,
“નિ:શંક સૌપ્રથમ ઉપાસના-ગૃહ, જે મનુષ્યો માટે બનાવવામાં આવ્યું, તે એ જ છે જે મક્કામાં આવેલું છે. તેને ભલાઈ અને બરકત (સમૃધ્ધિ અને ઉન્નતિ) આપવામાં આવી હતી અને સમગ્ર વિશ્વના લોકો માટે માર્ગદર્શનનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું.” (સૂર:આલે ઈમરાન :૯૬)
જે રાજ્યો ઉચ્ચ આર્થિક વૃદ્ધિ, સંપત્તિ અને એકંદરે વિકાસનો આનંદ માણે છે તેમને આધુનિક પરિભાષામાં સમૃદ્ધ રાજ્ય કહેવાય છે.જેમાં ઉચ્ચ માથાદીઠ GDP, નહિવત બેરોજગારી, મજબૂત માળખાગત સુવિધા, ઉચ્ચ જીવનધોરણ સામેલ છે. અને જે રાજ્યોમાં નાગરિકોના આર્થિક અને સામાજિક સુખાકારીના રક્ષણ અને પ્રોત્સાહન માટે કાર્ય કરવામાં આવે તેને આપણે વેલ્ફેર (કલ્યાણકારી) રાજ્ય તરીકે ઓળખીએ છીએ. તેની નીતિમાં પ્રાથમિકતા લોક કલ્યાણ સેવાઓને આપવામાં આવે છે જેમ કે મફત અથવા સબસિડીવાળી આરોગ્યસંભાળ, જાહેર શિક્ષણ, સામાજિક સુરક્ષા અને બેરોજગારી લાભો,પેન્શન યોજનાઓ વગેરે.. જેનું મુખ્ય ધ્યેય સામાજિક સમાનતા અને સલામતી પૂરી પાડવાનો હોય છે. દુનિયામાં બંને પ્રકારના દેશો છે પરંતુ શ્રેષ્ઠ એ છે જેમાં બંને સ્વભાવ હોય, એટલે જે પોતાના નાગરિકોની આર્થિક વૃદ્ધિ માટે નીતિ ઘડતા હોય અને સાથે વેલ્ફેર નેચર પણ રાખતા હોય. મક્કા શહેરને આ રીતે જાેઈએ તો બંને ગુણો ત્યાં સ્પષ્ટ દેખાય છે.
મક્કામાં મોટા આંતરાષ્ટ્રીય કક્ષાના શોપિંગ મોલ અને ગગનચુંબી ઇમારતો છે,શ્રેષ્ઠ બાંધકામ અને સેવાઓ, શ્રેષ્ટ પરિવહન, ઉચ્ચ કક્ષાની નાગરિક સવલતો મક્કાની સમૃદ્ધિ અને શોભામાં વધારો કરે છે. દર વર્ષે શહેરમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી, મક્કા મુસ્લિમ વિશ્વનું સૌથી વૈવિધ્યસભર શહેર બની ગયું છે. મક્કા માત્ર ભૌતિક રીતે જ નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ ઘણી સમૃદ્ધિ ધરાવે છે.
હઝરત ઈબ્રાહીમ અલૈ.એ જે શહેરની બુનિયાદ મૂકી તે ખુદાનું મરકઝ હતું. શહેરની સમગ્ર વ્યવસ્થા ખુદા-મર્કઝ હોય તો વ્યક્તિગત અને સામૂહિક રૂપે શાંતિની સ્થાપના થઈ શકે છે. સમૃદ્ધ રાજ્ય બનાવવા માંગતા હોઈએ અથવા લોક કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવા માંગતા હોઈએ તો બંને વિચારને પરિપૂર્ણ કરવા માટે શાંતિ ફરજિયાત છે. તેના થકી જ સુખાકારી આવી શકે છે. અને શાંતિની પ્રાપ્તિ માટે ખુદા-મર્કઝ જીવન જરૂરી છે. આવા રાજ્યની સ્થાપના ઈબ્રાહીમ અલૈ. ની જેમ ઉચ્ચ કક્ષાની કુરબાનીઓ માંગે છે. ધ્યેય જેટલો ઊચ્ચ હોય તો સંકલ્પ અને ત્યાગભાવના પણ તે જ સ્તરની હોવી જાેઈએ. •••