Saturday, January 31, 2026

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
Homeકેમ્પસ વોઇસકેન્દ્રીય બજેટ 2026: શિષ્યવૃત્તિ અને સર્વસમાવેશકતા માટે SIO ની માંગણીઓ

કેન્દ્રીય બજેટ 2026: શિષ્યવૃત્તિ અને સર્વસમાવેશકતા માટે SIO ની માંગણીઓ

શિક્ષણ હંમેશા સામાજિક ઉત્થાનનું સૌથી શક્તિશાળી માધ્યમ રહ્યું છે. ભારતના મુસ્લિમ સમુદાય માટે; જેઓ ઐતિહાસિક રીતે હાંસિયામાં ધકેલાયેલા, આર્થિક રીતે નબળા અને ઉચ્ચ શિક્ષણમાં અલ્પ પ્રતિનિધિત્વ ધરાવે છેતે માત્ર પ્રગતિનો માર્ગ નથી, પરંતુ એક જીવનદોરી છે. તેમ છતાં, પાછલા કેટલાક કેન્દ્રીય બજેટ એક ચિંતાજનક વલણ છતું કરે છે: લઘુમતી શિક્ષણમાંથી રાજ્ય દ્વારા ક્રમશઃ પીછેહઠ કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા કોઈ મોટી જાહેરાતો દ્વારા નહીં, પરંતુ બજેટમાં કરવામાં આવતા ‘શાંત ઘટાડા’ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે.

બજેટમાં કાપ: આકસ્મિક નહીં, પણ નીતિગત નિર્ણય

લઘુમતી શિષ્યવૃત્તિની ફાળવણીમાં આવેલો તીવ્ર ઘટાડો એ વહીવટી ભૂલ નથી, પરંતુ એક રાજકીય પસંદગી છે. પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ, જે ગરીબ પરિવારોના બાળકોને શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવામાં મદદ કરે છે, તેની ફાળવણી 2023-24માં ₹433 કરોડ હતી, જે ઘટાડીને 2025-26માં ₹195.70 કરોડ કરી દેવામાં આવી છે. તેવી જ રીતે, ઉચ્ચ શિક્ષણ માટે અનિવાર્ય એવી પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિના બજેટમાં પણ ગત વર્ષે લગભગ 65% જેટલો મોટો કાપ ઝીંકવામાં આવ્યો છે.

આનાથી પણ વધુ આશ્ચર્યજનક બાબત ફાળવવામાં આવેલા ભંડોળનો અપૂરતો ઉપયોગ છે. વર્ષ 2023-24માં ફાળવેલ ₹433 કરોડમાંથી માત્ર ₹95.83 કરોડ ખર્ચાયા હતા. જ્યારે 2024-25માં ₹326.16 કરોડની ફાળવણી સામે માત્ર ₹90 કરોડ જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્થિતિ શિક્ષણની ઓછી માંગને કારણે નહીં, પરંતુ રાજકીય ઈચ્છાશક્તિના અભાવે સર્જાઈ છે.

સંસ્થાકીય માળખાને વિખેરી નાખવાના પ્રયાસો

શિક્ષણના ક્ષેત્રે લઘુમતીઓને મળતું સંસ્થાકીય સમર્થન પણ વ્યવસ્થિત રીતે ઘટાડવામાં આવ્યું છે:

  • મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ (MANF): સંપૂર્ણપણે બંધ.
  • નઈ મંઝિલ (કૌશલ્ય વિકાસ યોજના): ફંડિંગ શૂન્ય.
  • મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશન: આર્થિક સહાય બંધ.
  • મદ્રેસા આધુનિકીકરણ અને ઉર્દૂ શિક્ષણ: બજેટ નહિવત કરી દેવાયું.

આ યોજનાઓ કોઈ દાન કે ખૈરાત ન હતી, પરંતુ ઐતિહાસિક અન્યાયને સુધારવા માટેના બંધારણીય ઉપાયો હતા. તેમને બંધ કરવા એ સંકેત આપે છે કે લઘુમતી કલ્યાણ હવે સરકારની પ્રાથમિકતામાં નથી.

SIO ની મુખ્ય માંગણીઓ

સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) એ સરકાર પાસે નીચે મુજબની તાર્કિક અને ડેટા-આધારિત માંગણીઓ રજૂ કરી છે:

  • નવી શિક્ષણ નીતિ (NEP 2020) મુજબ કુલ જીડીપીના ઓછામાં ઓછા 6% શિક્ષણ પાછળ ફાળવો.
  • પ્રી-મેટ્રિક, પોસ્ટ-મેટ્રિક અને મેરિટ-કમ-મીન્સ શિષ્યવૃત્તિઓ ફરી શરૂ કરો અને તેમાં દર વર્ષે 15% નો વધારો કરો.
  • MANF અને ‘નઈ મંઝિલ’ જેવી યોજનાઓ બજેટ 2026 માં ફરી અમલી બનાવો.
  • લઘુમતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં AMU અને MANUU ના નવા કેન્દ્રો અને અન્ય કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરો.
  • પછાત જિલ્લાઓમાં હોસ્ટેલ, કાઉન્સેલિંગ સેન્ટરો અને આધુનિક લાયબ્રેરીની સુવિધા આપો.
  • વિદ્યાર્થીઓ માટે વ્યાજમુક્ત શૈક્ષણિક લોન અને નોન-NET ફેલોશિપ વધારીને ₹25,000 કરો.
  • મુસ્લિમ શિક્ષણની સ્થિતિ પર દેખરેખ રાખવા માટે એક વિશેષ કમિશનની રચના કરો.

બજેટમાં કાપ મૂકીને શિક્ષણથી વંચિત રાખવું એ એક પ્રકારની પરોક્ષ હિંસા છે. તે સમુદાયોની આશા અને દેશના લોકશાહીના વચનને નબળું પાડે છે. જો ભારત ખરેખર સર્વસમાવેશક વિકાસ ઈચ્છતું હોય, તો તેણે શિક્ષણ જેવા પાયાના અધિકારમાં પક્ષપાત ટાળવો જોઈએ.

શું શિક્ષણ એ સૌનો બંધારણીય અધિકાર રહેશે, કે પછી તે માત્ર એક ચોક્કસ વિચારધારા પૂરતો મર્યાદિત વિશેષાધિકાર બની જશે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments