Sunday, October 19, 2025

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)

સત્ય

બાળપણની યાદશક્તિ અને શિક્ષણનો અસર છેલ્લા સમય સુધી રહે છે. આમ તો બાળપણની મોટાભાગની યાદદાસ્ત ખેલ-કૂદ અને મજાની જ હોય છે, પરંતુ અમુક યાદદાસ્ત ભુલોની પણ હોય છે. મારી પણ આવી જ એક યાદદાસ્ત છે જેનાથી કદાચ તમને પાઠ મળી શકે.

જ્યારે હું નાનો હતો પિતાશ્રીની દવાની દુકાન હતી. હું અને મારા ભાઈ આ દુકાન ઉપર અવારનવાર દિવસે જતા હતા. એક વખત મારા ભાઈએ દુકાનથી પૈસાની ચોરી કરી. ભાઈએ મને પણ પાંચ રૃપિયા આપી દીધા. મે ત્રણ રૃપિયાની  ખાવા-પીવાની વસ્તુ ખરીદી અને બાકીના બે રૃપિયા ખિસ્સામાં નાંખી દીધા. સંજોગોવશાત, એ બે રૃપિયા મારા ખિસ્સામાંથી પડી ગયા. પિતાશ્રીએ પુછયું, આ પૈસા ક્યાંથી આવ્યા? મે સત્ય બોલી દીધું. પિતાશ્રીએ મને સમજાવ્યું. ભાઈને બોલાવીને સજા ફટકારી અને કહ્યું કે જો તુ પણ ખોટું બોલતો તો તને પણ ફટકાર પડતી.

આ તે દિવસનો પાઠ છે કે તેના પછી મારા દિમાગમાં ચોરી કરવાનો વિચાર ન આવ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments