Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસએમના જેવો કોઈ નથી

એમના જેવો કોઈ નથી

આપણો સર્જનહાર આપણાથી કેટલો પ્રેમ કરે છે. મનુષ્યને એ બધી વસ્તુઓ આપી જેની એને જરૂરત હતી. મનુષ્ય જ્યારે જન્મ લે છે તો એની સાથે અલ્લાહે એને જોવા માટે આંખ, સાંભળવા માટે કાન અને સુંઘવા અને શ્વાસ લેવા માટે નાક વગેરે આપ્યું. બાળક જ્યારે નાનુ હોય છે તો એ એની માતાનું દૂધ પીએ છે પણ જ્યારે એ વધતુ જાય છે તો એને અન્ય ખોરાક જમવા અને ચાવવા માટે અલ્લાહ એને દાંત આપે છે. વિચારવા માટે બુદ્ધિ આપી. હવા, પાણી વગેરે. કેટલો મહાન અને મહેરબાન છે આપણો સર્જનહાર. પણ આ બધી જરૂરીયાતો ભૌતિક છે પણ મનુષ્યનું અસ્તિત્વ ફકત ભૌતિક નથી. એના સાથે આધ્યાત્મિક પણ છે. મનુષ્યને જેવી રીતે ભૌતિક વસ્તુઓની જરૃર છે એવી જ રીતે તેને આધ્યાત્મિક જરૂરતો પણ છે.

જેવી રીતે અલ્લાહે મનુષ્યની ભૌતિક જરૂરતોની વ્યવસ્થા કરેલ છે. એવી જ રીતે એને આધ્યાત્મિક જરૂરતોની પણ વ્યવસ્થા કરેલી છે. મનુષ્ય દુનિયામાં ભૌતિક વસ્તુઓની સાથે-સાથે સીધા માર્ગ પર ચાલે અને ધરતી પર શાંતિ કાયમ કરે. અને દુનિયામાં શાંતિ ફકત આધ્યાત્મિકતાથી જ થઈ શકે.

મનુષ્યની આધ્યાત્મિક જરૂરતો પુરી પાડવા માટે અલ્લાહે દરેક જમાનામાં અને દરેક જુદી-જુદી જગ્યા કે દેશોમાં પયગમ્બરોને મોકલ્યા અને જેટલા પણ પયગમ્બરો આવતા હતા તે એના જ જમાના અને એના જ દેશના લોકો માટે હતા. જેમકે આદમ અ.સ., નૂૂહ અ.સ., ઇબ્રાહીમ અ.સ., મૂસા અ.સ., ઈસા અ.સ. અને આ બધા સિવાય બીજા ઘણા પયગમ્બરો આવ્યા છે. રિવાયતોના અનુસાર ૧૨૪૦૦૦ પયગમ્બરો આવ્યા છે. કુઆર્નમાં નામથી ૨૫ પયગમ્બરોનો ઉલ્લેખ છે. એના સિવાય અન્ય જેટલા પણ પયગમ્બરો આવ્યા એના નામ આપણને ખબર નથી. પણ એ પયગમ્બરો દરેક દેશો કે દરેક જગ્યાએ આવ્યા છે. અને લગભગ બધા જ પયગમ્બરોએ એક અંતિમ પયગમ્બરના આવવાની ભવિષ્યવાણી પણ કરી છે કે એક અંતિમ પયગમ્બર આવશે, એમનામાં શું શું ગુણ હશે, એ શું કરશે, શા માટે આવશે, કેવું શિક્ષણ અને કેવો સંદેશ લઈને આવશે.

દા.ત. મૂસા અ.સ.ને ઇશ્વરે જે ગ્રંથ આપ્યો હતો ‘તોરાત’ (આજે એનું બગડેલું સ્વરૃપ બાઈબલના જુના કરાર છે)માં અલ્લાહે મૂસા અ.સ.ને કહ્યું કે, “હું એક પયગમ્બર મોકલીશ, જે તમારા ભાઈઓમાંથી (મૂસા અ.સ.ની જેમ) હશે અને હું પોતાના શબ્દો તેના મુખમાં મુકીશ અને તે મારી આજ્ઞાાથી સંબોધન કરશે.” (Bible Old-testament, Deuteronomy 18:18)

ઈસા અ.સ.એ કહ્યું હતું કે, “I still have many things to say to you, but you cannot bear them now. However, when he, the sprit of truth (e.i. Prophet Muhammad) has come, He will guide you into all truth; for he will not speak on his own authority, but whatever he hears he will speak; and he will tell you things to come. He will glorify me.” (Bible, John 16:12-14)

હિંદુ ધર્મ ગ્રંથમાં પણ પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.ની ભવિષ્યવાણી છે. “એક મલેચ્છ આવશે જેનું નામ ‘મહામદ’ (મુહમ્મદ) હશે, તે પોતાના સાથીઓ જોડે આવશે. તે લોકોને સાચી દિશા બતાવશે, રાજા ભોજ તેઓને માન આપશે. આ વ્યક્તિ આર્ય ધર્મ (સાચો ધર્મ)નો ફેલાવો કરશે. તેમના અનુયાયીઓ દાઢી રાખશે પરંતુ માથે ચોટલી રાખશે નહીં; બાંગ (અઝાન) પોકારીને લોકોને સમુહ પ્રાર્થના માટે બોલાવશે. તેમના પુરૃષો ખત્ના (circumcision) કરાવશે. વિશ્વમાં એક ક્રાંતિ લાવશે. માંસાહાર કરશે પરંતુ સુવ્વરનું માંસ ખાશે નહીં.” (ભવિષ્યપુરાણઃ પર્વ-૩, ખંડ-૩, અધ્યાય-૩, શ્લોક-૧૦ થી ૨૭)

કુઆર્નમાં છે, “લોકો ! આ રસૂલ તમારા પાસે તમારા રબ તરફથી સત્ય લઈને આવી ગયો છે, ઈમાન લઈ આવો, તમારા જ માટે સારું છે,” (સૂરઃ નિસા-૪ઃ૧૭૦)

આ અંતિમ પયગમ્બર મુહમ્મદ સ.અ.વ. છે જેમની ભવિષ્યવાણી એમના પહેલાના પયગમ્બરોએ કરી હતી. હવે મુહમ્મદ સ.અ.વ. આખરી પયગમ્બર છે. એમના પછી કોઈ પયગમ્બર આવવાના નથી. દુનિયાના અંત સુધી સમગ્ર માનવજાત માટે પયગમ્બર મુહમ્મદ સ.અ.વ. માર્ગદર્શક અને આદર્શ છે.

ઇશ્વર જ્યારે કોઈ વ્યક્તિને પયગમ્બર માટે પસંદ કરે છે તો તે એમ-તેમ કોઈપણ વ્યક્તિને પયગમ્બર નથી બનાવતો. જે લોકોે પયગમ્બર હતા એમના જીવનને એમની નેતિકતા અને એમનું ચરિત્ર બધા જ ગુણો સામાન્ય વ્યક્તિથી જુદા અને સર્વ શ્રેષ્ઠ હોય છે અને કોઈપણ વ્યક્તિ એમનું આચરણ, નૈતિકતા, જીવનચરિત્રની જેમ તો દૂરની વાત એમના જેવું કોઈ હોય શકે આની કલ્પના પણ કરી ન શકાય. પયગમ્બરોના જીવન બધા જ અનૈતિક અને ભ્રષ્ટ કામોથી પવિત્ર હોય છે અને બધા પયગમ્બરોમાં પણ જે આખરી પયગમ્બર મુહમ્મદ સ.અ.વ. એ તો બધા કરતા ઉંચા સ્થાન અને ઉંચા દરજ્જા પર છે. અલ્લાહે પોતે જ કહ્યું છે કે, “અને નિઃશંક તમે નૈતિકતાના ઉચ્ચ દરજ્જા પર છો.” (સૂરઃ કલમ-૬૮ઃ૪)

જ્યારે પણ અલ્લાહ કોઈને પયગમ્બર બનાવીને મોકલે છે તો પયગમ્બરની પયગમ્બરીને લોકો માટે સાબિત કરવા માટે સબૂત કે નીશાનીઓ પણ આપે છે કે જેનાથી લોકો ઓળખી જાય કે આ વ્યક્તિ સાચો પયગમ્બર છે. એટલા માટે કેટલાક પયગમ્બરોને અલ્લાહે ચમત્કારો પણ આપેલા. એવી જ રીતે અંતિમ પયગમ્બરની પયગમ્બરી સાબિત કરવા માટે એની સાથે પણ ચમત્કારો તો આપ્યા હતા પણ સૌથી મોટી નિશાની એમનું જીવન છે.

જ્યારે પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.ને પયગમ્બર બનાવવામાં આવ્યા ત્યારે લોકોએ એમની પયગમ્બરીની એમનાથી નિશાનીઓ માંગતા હતા. તે લોકોના જવાબમાં અલ્લાહે કહ્યું કે, “… વિશ્વાસ કરનારાઓ માટે તો અમે સ્પષ્ટ નિશાનીઓ પ્રગટ કરી ચૂક્યા છીએ. (તેનાથી વધીને નિશાની શું હશે કે) અમે (હે મુહમ્મદ) તમને સત્ય જ્ઞાાનના સાથે શુભ-સૂચના આપનાર અને ડરાવનાર બનાવીને મોકલ્યા.” (સૂરઃ બકરહ-૨ઃ૧૧૮-૧૧૯).

અને પયગમ્બર મુહમ્મદ સ.અ.વ. એ પોતે પણ પોતાના જીવનને પયગમ્બરીના સબૂતમાં પેશ કરેલ છે. “છેવટે આ પહેલાં હું એક આયુષ્ય તમારા વચ્ચે પસાર કરી ચૂક્યો છું, શું તમે બુદ્ધિથી કામ લેતા નથી ?” (સૂરઃ યુનૂસ-૧૦ઃ૧૬)

તો ચાલો માનવતાના ઉપકારક આપણા સર્જનહારના અંતિમ ઇશદૂતના જીવનની એક ટૂંકી ઝલક જોઈએ; પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.થી પહેલા અરબના યુગને જહાલતનો યુગ કહેવાય છે. કેમકે પહેલા અરબમાં બહુ જ અજ્ઞાાનતા હતી. કોઈ એક નાનકડી વાત પરથી વર્ષો સુધી ઝગડો અને ખૂન ખરાબા અને ફસાદ ચાલતો હતો, વ્યાજખોરી આમ હતી, સ્ત્રીઓની કોઈ ઇઝ્ઝત ન હતી, જ્યારે કોઈ છોકરી જન્મતી તેને જીવતી દાટી દેવામાં આવતી, શરાબ અને જુગાર પણ આમ હતો, મૂર્તીપુજા થતી હતી વગેરે… આવી જ હાલત લગભગ સમગ્ર દુનિયામાં પણ હતી. “કેવળ અરબસ્તાનની જ નહીં, બલ્કે સમગ્ર વિશ્વની સ્થિતને દૃષ્ટિમાં રાખો અને વિચારો.”

આ વ્યક્તિ જે લોકોમાં જન્મ્યો, જેમનામાં બાળપણ વીત્યું, જેમના સાથે રહીને ઉછરીને યુવાવસ્થાએ પહોંચ્યો, જેમના સાથે તેનો મેળ-મિલાપ રહ્યો, જેમના સાથે તેના વ્યવહારો અને મામલાઓ રહ્યા. તે બધા કરતાં આરંભથી જ તે સ્વભાવમાં, આચરણમાં જુદો દેખાઈ રહ્યો હતો. તે કદી જૂઠ નથી બોલતો, તેની સચ્ચાઈ ઉપર તેની જાતિના બધા લોકો સાક્ષી આપે છે. તેના કોઈ ખરાબમાં ખરાબ શત્રુએ પણ ક્યારેય તેના ઉપર એ આરોપ નથી મુક્યો કે તે અમુક વખતે જૂઠ બોલ્યો હતો. તે કદાપિ કોઈના સાથે અપશબ્દોનો પ્રયોગ નથી કરતો. કોઈએ તેના મુખેથી ગાળ કે કોઈ અશ્લીલ વાત નથી સાંભળી. તે લોકો સાથે દરેક પ્રહારનો વ્યવહાર કરે છે. પણ ક્યારેય કોઈથી કડવી વાતનો અને વાદ-વિવાદનો પ્રસંગ જ નથી બન્યો. તેમની વાણીમાં કટુતા અને કઠોરતાની જગ્યાએ માધુર્ય છે અને તે પણ એવું કે જે તેનાથી મળે છે, તે તેનો જ બનીને રહી જાય છે. તે કોઈના સાથે દુર્વ્યવહાર નથી કરતો. કોઈનો હક નથી મારતો. વર્ષો સુધી વેપાર કરવા છતાં કોઈનો એક પૈસા અનુચિત રીતે નથી લેતો. જે લોકો સાથે તેના સંપર્કો રહ્યા, તે બધા તેની પ્રમાણિકતા ઉપર પૂર્ણ ભરોસો કરે છે. તેની જાતિના તમામ લોકો તેને ‘અમીન’ (અમાનતદાર, સત્યનિષ્ઠ) કહે છે. દુશ્મન સુદ્ધાં પોતાની કિંમતી ચીજ-વસ્તુઓ તેના પાસે મુકે છે. અને તે તેને સાચવે છે. નિર્લજ્જ લોકોમાં તે એટલો લજ્જાવાન છે કે હોશ સંભાળ્યા પછી કોઇએ તેને નગ્ન નથી જોયો. દુરાચારીઓ વચ્ચે તે એટલો પવિત્ર આચરણવાળો છે કે ક્યારેય કોઈ કુકર્મમાં લિપ્ત થતો નથી. દારૃ અને જુગારને સ્પર્શ નથી કરતો. અશિષ્ટ લોકોના વચ્ચે તે એટલો શિષ્ટ અને સભ્ય છે કે અશિષ્ટતા અને ગંદકીથી નફરત કરે છે. તથા તેના પ્રત્યેક કામોમાં પવિત્રતા અને શુદ્ધતા જોવા મળે છે. કઠોર હૃદયો વચ્ચે તે એવા કોમળ હૃદયવાળો છે કે દરેકના દુખ-દર્દમાં સહભાગી થાય છે, અનાથો અને વિધવાઓ, મહિલાઓની મદદ કરે છે. મુસાફરોની સેવા કરે છે. કોઈને તેનાથી દુઃખ નથી પહોંચતુ અન તે સ્વયં બીજાઓના દુઃખ ઉઠાવે છે. બર્બરો અને જંગલી માણસોની વચ્ચે તે એવો શાંતિપ્રિય છે કે પોતાની જાતિના લોકોમાં બગાડ, ઉપદ્રવ અને રક્તપાતની બોલબાલા જોઈને તેને પીડા થાય છે, પોતાના કબીલાની લડાઈઓથી તે દૂર રહે છે તથા સંધિ અને સમજૂતી કરાવવાના પ્રયાસોમાં સૌથી આગળ રહે છે. મૂર્તિ-પૂજકોના વચ્ચે તે એવી શુદ્ધ પ્રકૃતિ અને ઠીકઠાક બુદ્ધિવાળો છે કે ધરતી અને આકાશમાં કોઈ વસ્તુ તેને પૂજવા યોગ્ય નથી. દેખાતી, સૃષ્ટિની કોઈ વસ્તુ અથવા જીવધારી સામે તેનું શીશ ઝુકતું નથી, મુર્તિઓ ઉપર ચઢાવાતી ખાવાની વસ્તુ પણ ગ્રહણ કરતો નથી. તેનું મન સ્વંય ‘શિર્ક’ (અનેેકેશ્વરવાદ) અને સૃષ્ટિ પૂજાથી ઘૃણા કરે છે. તે વાતાવરણમાં આ વ્યક્તિ સૌથી જુદો દેખાય છે, જાણે ઘનઘોર અંધકારમાં એક દીપક સળગી રહ્યો છે અને પથ્થરોના ઢગલામાં એક હીરો ચમકી રહ્યો છે.

પ્રો. કે. એસ. રામાકૃષ્ણ રાવ એમની પુસ્તક ‘મુહમ્મદ ઇસ્લામના પયગમ્બર’માં લખ્યું છે કે, “એક કહેવત છે – ઈમાનદાર વ્યક્તિ ખુદાનો છે. મુહમ્મદ સ.અ.વ. તો ઈમાનદારથી પણ શ્રેષ્ઠ હતા. તેમના અંગ-અંગમાં માનવતા વસેલી હતી. માનવ સહાનુભૂતિ અને પ્રેમ તેમની આત્માનું સંગીત હતું. માનવસેવા, તેનું ઉત્થાન, તેની આત્માને વિકસિત કરવી, તેને શિક્ષિત કરવી, ટુંકમાં એ કે માનવને માનવ બનાવવો તેમનું મિશન હતું. તેમના આચાર-વિચાર, વચન અને કર્મનો એક માત્ર દિશા-નિર્દેશક સિદ્ધાંત અને પ્રેરણા સ્ત્રોત માનવતાની ભલાઈ હતી. આપ અત્યંત વિનયી અને સુશીલ, પ્રત્યેક આડંબરથી મુક્ત અને એક આદર્શ નિસ્વાર્થી હતા. તેમણે પોતાના માટે ક્યા ક્યા ઇલકાબો પસંદ કર્યા? માત્ર બેઃ અલ્લાહનો બંદો અને તેનો પયગમ્બર. બંદો (દાસ) પહેલાં, પછી પયગમ્બર.” (ઇસ્લામના પયગમ્બર પા. ૨૪)

એજ પુસ્તકમાં પા. ૨૦માં લખ્યું છે કે, “પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.ના વ્યક્તિત્વની બધી હકીકતોને જાણી લેવું ખુબજ કઠિન કામ છે. હું તેમની માત્ર કેટલીક ઝાંખી જ જોઈ શક્યો છું. આપના વ્યક્તિત્વના કેવાકેવા મોહક દ્રશ્યો નિરંતર નાટકીય પ્રભાવની સાથે આપણી સમક્ષ આવે છે. પયગમ્બર મુહમ્મદ સ.અ.વ. ઘણી હેસિયતોથી આપણા સામે આવે છે. મુહમ્મદ પયગમ્બર, મુહમ્મદ જનરલ, મુહમ્મદ શાસક, મુહમ્મદ યોદ્ધા, મુહમ્મદ વેપારી, મુહમ્મદ ઉપદેશક, મુહમ્મદ દાર્શનિક, મુહમ્મદ રાજનીતિજ્ઞા, મુહમ્મદ વકતા, મુહમ્મદ સમાજ સુધારક, મુહમ્મદ અનાથોના સહાયક, મુહમ્મદ ગુલામોના રક્ષક, મુહમ્મદ સત્રી વર્ગનો ઉદ્ધાર કરનારા અને તેમને બંધનોમાંથી મુક્ત કરનારા, મુહમ્મદ ન્યાય કરનારા, મુહમ્મદ સંત અને આ તમામ મહત્વપૂર્ણ ભૂમિકાઓ અને માનવકાર્ય ક્ષેત્રોમાં આપની હેસિયત સમાન રૃપે એક મહાન નાયકની છે.” (પ્રો. કે.એસ. રામાકૃષ્ણા રાવ)

આ છે પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.ના જીવનના અમુક ગુણો. આ તો એમના જીવનના સમુદ્ર માત્ર એક બુંદ હતું. હવે એમના જીવનને જોઇએ અને પછી જોઇએ કે દુનિયામાં પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.ની હેસિયત સિવાય કોનું જીવન આટલુ પવિત્ર અને સંપૂર્ણ છે? એમના જીવનમાં સમગ્ર માનવજાત માટે માર્ગદર્શન છે. કારણકે પયગમ્બર મુહમ્મદ સ.અ.વ. જીવનના દરેક ક્ષેત્રમાં સંપૂર્ણ (પરફેક્ટ) છે. એમનું જીવન મનુષ્યોમાં સંપૂર્ણ આદર્શ છે.

આજે યુવાઓ ફિલ્મ કલાકારો અને ક્રિકેટ ખેલાડીઓ વગેરેને પોતાના આદર્શ અને રોડ મોડલ માને છે, એમનું અપવિત્ર જીવન ક્યાં અને ક્યાં મુહમ્મદ પયગમ્બર સ.અ.વ.નું પવિત્ર જીવન અને એમનું વ્યક્તિત્વ. મને તો આ લોકોને પયગમ્બર મુહમ્મદ સ.અ.વ. સાથે સરખામણી કરવાનું પણ મન નથી થતુ. આ લોકો અશ્લીલતા, ઝૂઠ, શરાબ જેવા અનૈતિક કામોમાં ડૂબેલા છે. અને આજનો યુવાવર્ગ એમને આદર્શ માને છે…!!!

હું આપણા યુવા મિત્રોથી વિનંતી કરૃં છું કે પોતાના જીવનમાં તે એક વાર પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.ની જીવની જરૃર વાંચે. ભલે ગમે તે ધર્મના હોય કેમકે પયગમ્બર મુહમ્મદ સ.અ.વ. એ ફકત મુસલમાનો માટે નથી પણ સમગ્ર માનવો માટે છે. જેવી રીતે અલ્લાહે ચાંદ, સૂર્ય અને બધી પ્રાકૃતિક વસ્તુઓ બધા જ લોકો માટે બનાવી છે (ફકત મુસ્લિમો માટે નહીં) એવી જ રીતે સમગ્ર સૃષ્ટિનો સર્જનહારે એના પયગમ્બર અને એ પયગમ્બર જોડે જે પુસ્તક (કુઆર્ન)ને સમગ્ર સૃષ્ટિ અને સમગ્ર માનવજાત માટે મોકલ્યું. (ફકત મુસ્લિમ સમુદાય માટે નહીં). કુઆર્નમાં ઉલ્લેખ છે કે, “હે પયગંબર! અમે તો તમને દુનિયાવાળાઓ માટે રહમત (દયા અને કૃપા) બનાવીને મોકલ્યા છે.” (સૂરઃ અંબિયા-૨૧ઃ૧૦૭)

પયગમ્બર મુહમ્મદ સ.અ.વ. સમગ્ર જગતવાસીઓ માટે રહમત, કૃપા અને દયા બનાવીને મોકલવામાં આવ્યા છે. કોઈ એક સમુદાય કે ધર્મ માટે નહીં, તો સમગ્ર જગતવાસીઓને પણ જોઈએ કે જે વ્યક્તિ આપણા માટે કૃપા અને દયા બનાવીને મોકલવામાં આવ્યા છે એની જીંદગીને જાણે, એમના પવિત્ર જીવનનો અધ્યયન કરે. “હકીકતમાં તમારા માટે અલ્લાહના રસૂલ (ઈશદૂત)માં એક ઉત્તમ આદર્શ છે…” (સૂરઃ અહઝાબ-૩૩ઃ૨૧)

mo.azharsk@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments