Saturday, July 27, 2024
Homeસમાચારમૌલાના કલીમ સિદ્દીકીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે: જમાઅતે ઇસ્લામી હિન્દ

મૌલાના કલીમ સિદ્દીકીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે: જમાઅતે ઇસ્લામી હિન્દ

UP, ATS દ્વારા મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડના સમાચાર દેશના તમામ ન્યાયપ્રેમી નાગરિકો માટે ચિંતાનો વિષય છે. જમાઅતે ઇસ્લામી હિન્દના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ પોતાના નિવેદનમાં મૌલાના સામેના કથિત આરોપોને બિનશરતી પરત ખેંચવાની માંગ કરી છે. તેઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે. મૌલાના કલીમ સિદ્દીકી માત્ર મુસ્લિમોમાં જ નહીં પરંતુ બિન-મુસ્લિમ સમાજમાં પણ આદરણીય વ્યક્તિ છે. તેમની ધરપકડથી ઘણા મોટા વર્ગમાં હતાશા વ્યાપી ગઈ છે. આ ધરપકડથી ફરી એકવાર યુપી સરકાર પર સવાલો ઉભા થયા છે. યુપીમાં આગામી ચૂંટણીના સંદર્ભમાં તેને હિન્દુ-મુસ્લિમ ધિક્કારને પ્રોત્સાહન આપવાના નિંદનીય પ્રયાસ તરીકે પણ માનવામાં આવી રહી છે. અમે સરકાર અને પોલીસને યાદ અપાવવા માંગીએ છીએ કે આપણા દેશમાં ધર્મ અને શ્રદ્ધાનું પાલન કરવું અને તેનો પ્રચાર કરવો એ દરેક નાગરિકનો મૂળભૂત માનવીય અને બંધારણીય અધિકાર છે. એ જ રીતે, આપણા બંધારણમાં દરેક નાગરિકને ગમે તે વિચારધારા અથવા માન્યતા અપનાવવાની અંતરાત્માની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ સ્વતંત્રતાઓને ઘટાડવાનો અથવા પ્રતિબંધિત કરવાનો કોઈપણ પ્રયાસ અમાનવીય અને ગેરબંધારણીય પ્રયાસ હશે અને આ નાપાક પ્રયાસોનો વિરોધ કરવાની જવાબદારી દેશના તમામ ગંભીર નાગરિકોની છે. અમે એ પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે બળ અથવા લોભ દ્વારા કોઈની શ્રદ્ધા બદલવી એ માત્ર ઇસ્લામના શિક્ષણનીજ વિરુદ્ધ નથી, પરંતુ તે તેના મૂળ આસ્થાની વિરુદ્ધ પણ છે. ઇસ્લામના કોઈ વિદ્વાન આવું કરી શકતા નથી. રાજકીય વિરોધીઓ સારુ આવી પ્રક્રિયાઓ માટે, પોલીસ અને કાનૂન અધિકૃત એજન્સીઓનો દુરુપયોગ દેશના ભવિષ્ય માટે અત્યંત જોખમી છે. એમ લાગે છે કે યુપી સરકાર પાસે તેની કામગીરી પ્રસ્તુત કરવા માટે હકારાત્મક રેકોર્ડ નથી. તેથી, તે સતત કોમી વિભાજન અને તણાવ પેદા કરવા માટે પગલાં લઈ રહી છે. સમાજમાં નફરત ફેલાવીને રાજકીય સત્તા મેળવવા અથવા જાળવવાના પ્રયત્નો માત્ર સમગ્ર રાજ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે હાનિકારક છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments