Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસદુનિયા ઇસ્લામથી કેમ ડરે છે?

દુનિયા ઇસ્લામથી કેમ ડરે છે?

લોકો આંબાના ઝાડ પર ત્યારે જ પથ્થર ફેંકે છે જ્યારે તેમાં કેરી હોય. તેથી જ તેની સુંદરતાની ઇર્ષ્યા કરી વિશ્વના બીજા ઘણાં કારણોથી ઇસ્લામથી લડવાનો પ્રયત્ન કરે છે. લાખ રૃપિયાનો પ્રશ્ન છે આ વિકસિત, સફળ અને સમૃદ્ધ દેશો શા માટે ઇસ્લામથી ડરે છે? કેટલાક લોકો મુસ્લિમોને આતંકવાદી કહે છે, કેટલાક પવિત્ર કુઆર્નની પ્રતોને બાળે છે, કેટલાક લોકો મુહમ્મદ સ.અ.વ.નું મજાક ઉડાવવા માટે તેમનું કાર્ટુન બનાવે છે અને ફિલ્મો બનાવે છે, કેટલાક લોકો ઇસ્લામને વખોડવા માટે હિજાબ (પડદા) પર પ્રતિબંધ લાવવા માટે પુસ્તકો લખે છે. હમાસ અને મુસ્લિમ બ્રધરહૂડને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરે છે અને બીજું ઘણું બધું. આ તમામ બાબતો સુનિયોજીત અને સુસંગઠિત તરીકે કરવામાં આવી રહી છે.

ઇસ્લામથી ડરતા દેશોમાંથી, પશ્ચિમી દેશો મુખ્ય છે. યુનાઇટેડ સ્ટેટ્સ કે જે ‘સુપરપાવર’ કહેડાવે છે, તે ઇસ્લામથી બહુ ગભરાય છે. ઇસ્લામથી લડવા માટે તે ચાવીરૃપ ભુમિકા ભજવી રહ્યું છે. તેણે ઇરાકમાં ૧૦ લાખથી વધારે અને અફઘાનિસ્તાનમાં લગભગ ૨૦ હજાર જેટલા નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા. તે પેલેસ્ટાઈનના નિર્દોષ લોકોને કતલ કરવામાં મદદ કરે છે અને ઇઝરાયેલને નાણાંકીય મદદ પુરી પાડે છે. ૨૦૧૨ની ચૂંટણી પછી ઇજિપ્તમાં લોકશાહી ઢબે ચુંટાયેલ સરકારને ઉથલાવવા માટે સ્થાનિક સંસ્થાઓને મુસ્લિમોને અંદરોઅદર લડાવવા માટે નાણાં પુરા પાડવામાં અમેરિકાએ મોટી ભુમિકા ભજવી, ફકત એટલા માટે કે તેમનો ધ્યેય દેશને ઇસ્લામી નિયમો અનુસાર ચલાવવાનો હતો અને અમેરિકા નહોતુ ઇચ્છતુ કે દુનિયામાં ક્યાંય પણ ઇસ્લામી શાસન સ્થપાય.

હવે ઇસ્લામથી લડવા માટે જે રકમ ખર્ચવામાં આવે છે તે ખૂબ વિશાળ છે. તેઓ મીડિયાનો ઉપયોગ કરે છે, તેમના નાણાંનો ઉપયોગ કરે છે. તેમની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તેમના માનવસંશાધનોનો ઉપયોગ કરે છે અને તે તમામ સાધનોનો ઉપયોગ કરે છે જે ઇસ્લામ વિરૂદ્ધ લડી શકે. તેથી અલ્લાહ કુઆર્નમાં ફરમાવે છે, “જે લોકોએ સત્યને માનવાનો ઇન્કાર કર્યો છે તેઓ પોતાના ધન અલ્લાહના માર્ગથી રોકવા માટે ખર્ચી રહ્યા છે અને હજુ વધુ ખર્ચ કરતા રહેશે, પરંતુ છેવટે આ જ પ્રયત્નો તેમના માટે પસ્તાવાનું કારણ બનશે. પછી તેઓ પરાજિત થશે, પછી આ કાફિરો (ઇસ્લામ-વિરોધીઓ)ને જહન્નમ (નર્ક) તરફ ઘેરીને લાવવામાં આવશે.” (સૂરઃ અન્ફાલ-૩૬)

અલ્લાહ સાફ જણાવે છે કે તેઓ પહેલા ઇસ્લામ વિરૂદ્ધ તેમના નાણાંનો ઉપયોગ કરે છે પછી નાણાં વેડફયાનો પસ્તાવો કરશે અને છેલ્લે તેઓ હારી જશે. ઇતિહાસમાં લડવામાં આવેલ તમામ યુદ્ધો કરતા અમેરિકાને આ યુદ્ધ ખુબજ ખર્ચાળ પુરવાર થશે. આમ તેઓ પોતાની મૃત્યની તૈયારી કરી રહી છે. હવે આપણે કેટલાક મહત્વના કારણોને સમજવાની કોશીષ કરીશું કે જેનાથી વિશ્વ ઇસ્લામથી ડરે છે.

૧. જનસંખ્યામાં વૃદ્ધી :

૧૯૯૦ થી ૨૦૧૦ દરમિયાન વૈશ્વિક મુસ્લિમ જનસંખ્યા સરેરાશ ૨.૨ ટકાના વાર્ષિક દરે વધી છે. ૨૦૦૬માં મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશોમાં આ દર ૧.૮ ટકા રહ્યો હતો. વૈશ્વિક જનસંખ્યા દરની સરખામણી કરીએ તો તે ૧.૧૨ ટકા હતો. ૨૦૧૧માં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આવનારા વીસ વર્ષો સુધી વૈશ્વિક મુસ્લિમ જનસંખ્યા બિનમુસ્લિમોના વૃદ્ધી દર કરતા બમણા દરે વધશે. ૨૦૩૦ સુધી વૈશ્વિક જનસંખ્યાની ૨૬.૪ ટકા વસ્તી મુસ્લિમોની હશે. (૭.૯ બીલિયન લોકો પૈકી).

બીજી તરફ એક સંશોધન પ્રમાણે, એક સંસ્કૃતિને ૨૫ વર્ષ કરતા વધારે વર્ષ સુધી ટકાવવા માટે બાળ પ્રજનન દર પરિવાર દીઠ ૨.૧૧ હોવો જોઈએ. આનાથી નીચા પ્રજનન દરના કારણે સંસ્કૃતિ ઘટતી જશે. ઐતિહાસિક રીતે ૧.૯ના પ્રજનન દર સાથે સંસ્કૃતિ પાછી ન આવે અને ૧.૩ના પ્રજનન દર સાથે સંસ્કૃતિનું પાછું ફરવું અશક્ય છે. કારણ કે સંસ્કૃતિને બરાબર કરવા માટે લગભગ ૮૦ થી ૧૦૦ વર્ષ જેટલો સમય લાગશે. ૨૦૧૪માં સેન્ટ્રલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (CIA) વર્લ્ડ ફેક્ટ બુક દ્વારા બહાર પાડવામાં આવેલ લિસ્ટ અનુસાર ચીનનો પ્રજનન દર ૧.૧૧ છે, યુ.કે.નો ૧.૨૫ છે, ઇટલિ અને ગ્રીસનો ૧.૪૨ છે, સ્પેનનો ૧.૪૮ છે, અને ફ્રાંસનો ૧.૫૬ છે. આ લિસ્ટ દર્શાવે છે કે ઓછામાં ઓછા દર કરતા આ દરો કેટલા નીચા છે.

આ આંકડા દર્શાવે છે કે એક તરફ મુસ્લિમોની વસ્તી ખુબ જ ઝડપથી વધી રહી છે અને બીજી તરફ વિકસિત દેશો જેને કહેવામાં આવે છે તેમનો પ્રજનન દર કેટલો નીચો છે. આમ જો મુસ્લિમોની વસ્તી આવી જ રીતે ઝડપથી વધતી ગઈ તો ભવિષ્યમાં તેઓ મજબૂત સ્થિતિમાં હશે.

૨. ધર્મ પરિવર્તનનો ઉંચો દર :

તાજેતરના આંકડાઓ અનુસાર દુનિયામાં ખુબજ ઝડપથી વિસ્તરતો ધર્મ ઇસ્લામ છે. ન્યુયોર્ક ટાઈમ્સ મુજબ અમેરિકામાં વસતા ૨૫ ટકા જેટલા મુસ્લિમો ધર્મ પરિવર્તનથી મુસ્લિમ છે. બ્રિટનમાં ૬૦૦૦ જેટલા લોકો દર વર્ષે ઇસ્લામ કુબુલ કરે છે અને “બ્રિટિશ મુસ્લિમ મંથલી સર્વે”ના જૂન ૨૦૦૦ના એક લેખ મુજબ ઇસ્લામ કુબુલ કરનારા લોકોમાં મોટા ભાગની સ્ત્રીઓ છે. ૧૯૯૦ – ૨૦૦૦ દરમિયાન લગભગ ખ્રિસ્તી ધર્મ કરતા ૧૨.૫ મીલિયન વધુ લોકોએ ઇસ્લામ અંગીકાર કર્યો હતો. ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને બીજા લોકો અનુસાર દુનિયામાં સૌથી વધુ સ્વીકારવામાં આવતો ધર્મ ઇસ્લામ છે.

ઘણા લોકો ઇસ્લામ વિશે ગેરસમજ, દ્વેશ અને નફરત ફેલાવવાનો અને તેની છબીને વિકૃત કરવાનો પ્રયત્ન કરે છે. દા.ખ. ૯/૧૧નો ધડાકો ઇસ્લામની છબીને ખરાબ કરવાના ઇરાદા સાથે કરવામાં આવ્યો હતો. પરંતુ ૯/૧૧ના ધડાકાએ તેમને એવા હચમચાવી મુકયા કે જેથી તેમને ઇસ્લામ વિશે જાણવાની જીજ્ઞાસા જાગી અને તેમની એ જ જીજ્ઞાસાએ તેમને ઇસ્લામના વર્તુળમાંં સમાવી લીધો. અલ્લાહ કુઆર્નમાં સાચું જ ફરમાવે છે, “તે સમય પણ યાદ કરવાને યોગ્ય છે જ્યારે સત્યના ઇન્કાર કરનારાઓ તારા વિરુધ્ધ યુક્તિઓ ઘડી રહ્યા હતા કે તને કેદ કરી લે કે કતલ કરી નાખે અથવા દેશનિકાલ કરી દે. તેઓ પોતાની ચાલો ચાલી રહ્યા હતા અને અલ્લાહ પોતાની ચાલ ચાલી રહ્યો હતો અને અલ્લાહ સર્વશ્રેષ્ઠ ચાલ ચાલનાર છે.”
(સૂરઃ અન્ફાલ-૩૦)

૩. વર્તમાન વ્યવસ્થા બદલાઇ જવાની બીક :

દરેક જગ્યાએ ઇસ્લામ ન્યાયની સ્થાપનાની વાત કરે છે. ઇસ્લામ અનુસાર દુનિયાનના ઘણા દેશોની પ્રવર્તમાન શાસન વ્યવસ્થા અન્યાયી છે. તેથી વર્તમાન વ્યવસ્થાને ઇસ્લામી વ્યવસ્થાથી બદલવી જોઈએ. એવી મુસ્લિમો દ્વારા પુરા વિશ્વમાં ચર્ચા થાય છે. કુઆર્ન અને હદીષમાં વર્તમાન સમસ્યાઓનો ઉકેલ છે જેનો વિશ્વ સામનો કરી રહ્યો છે.

જો વર્તમાન વ્યવસ્થા ઇસ્લામી વ્યવસ્થાથી બદલવામાં આવી, તો વ્યાજ પર આધારિત તમામ બેંકો બંધ થઈ જશે, કલા અને સંસ્કૃતિના નામે લુંટાતી સ્ત્રીનું શોષણ બંધ થઈ જશે, ગરીબ અને જરૂરતમંદોને તેમના હક્કો આપવામાં આવશે, ફેશન ઉદ્યોગને અનેકરીતે બાંધછોડ કરવી પડશે, દારૃ સદંતર બંધ થઈ જશે, શૈક્ષણિક વ્યવસ્થા ભૌતિકવાદથી ઇશ્વરીય બોધનાવસ્થામાં પરિવર્તિત થઈ જશે વગેરે. આ બદલાવ વર્તમાન વૈશ્વિક નેતાઓના કદને ઓછું કરી નાંખશે.

૪. ધર્મ પ્રત્યે સમર્પણ :

બીજા ધર્મના લોકોની સરખામણીમાં મુસ્લિમો પોતાના ધર્મ પ્રત્યે વધારે સમર્પિત અને ગંભીર છે. તેઓ પાંચ ટાઈમની નમાઝ પઢે છે, રમઝાન મહિનાના રોઝા રાખે, ઝકાત આપે છે અને હજ્જ કરે છે. મોટી વાત છે કે મુસ્લિમ યુવાનોમાં ધાર્મિક સભાનતા વધતી જઈ રહી છે. આ યુવાનોમાં ફકત આધ્યાત્મિકતા જ મજબૂત નથી થઇ પરંતુ તેઓ એક બીજાના નજીક પણ આવી ગયા છે, જે વિશ્વને આવનારા દિવસોમાં એક મોટું સંકટ સમાન લાગે છે.

૫. કુરઆન :

વિશ્વમાં કુઆર્ન સૌથી અનન્ય ગ્રંથ છે, જેને મુસ્લિમો અલ્લાહનો આખરી સંદેશ માને છે. આ ગ્રંથ જુદી જુદી રીતે અનન્ય છે, ૧. આ એકમાત્ર ગ્રંથ છે જે તેના અસલ રૃપમાં ઉપલબ્દ છે. ૨. આ એકમાત્ર ગ્રંથ છે જે એક કરોડ કરતા વધુ લોકોને મોઢે યાદ છે. ૩. આ એકમાત્ર ગ્રંથ સૌથી વધુ વાંચવામાં આવે છે. ૪. આ ગ્રંથ ખામીરહિત હોવાનું દાવો કરે છે. ૫. આ ગ્રંથ જીવતો ચમત્કાર હોવાનો દાવો કરે છે. ૬. આ ગ્રંથના આદેશોને તેના માનનારા લોકો વિશ્વભરમાં સ્થાપિત કરવા ઇચ્છે છે. ૭. આ અનન્યતા, ધનિષ્ઠતા લોકોમાં આ ગ્રંથ પ્રત્યે જોતા અને ધરતી પર તેના આદેશોની સ્થાપના કરવાના હેતુને જોતા ઇસ્લામના દુશ્મનો ઇસ્લામની વિરૂદ્ધ જંગે ચઢવા પ્રેરાય છે.

અલ્લાહ ફરમાવે છે, “મૂસાએ પોતાની કોમને કહ્યું,
”અલ્લાહથી મદદ માગો અને ધૈર્યથી કામ લો, ધરતી અલ્લાહની છે, પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેનો વારસ બનાવી દે છે, અને અંતિમ સફળતા તેમના જ માટે છે જેઓ તેનાથી ડર રાખીને કામ કરે.” (સૂરઃ આ’રાફ-૧૨૮).

આમ અલ્લાહ જણાવે છે કે આ વિશ્વનું સુકાન તે જેને ઇચ્છશે તેને આપશે. આખરે આ વિશ્વ શ્રદ્ધા ધરાવનારાઓનો વારસો છે. અલ્લાહ કુઆર્નમાં આ પણ ફરમાવે છે, “આ લોકો પોતાના મોઢાની ફૂંકો વડે અલ્લાહના પ્રકાશ (નૂર)ને ઓલવવા માગે છે, અને અલ્લાહનો નિર્ણય એ છે કે તે પોતાના પ્રકાશને સંપૂર્ણપણે ફેલાવીને રહેશે ચાહે ઇન્કાર કરનારાઓને આ કેટલુંય અપ્રિય હોય.” (સૂરઃ સફ્ફ-૮).

આમ અલ્લાહ કહે છે કે કાફિરો ઇસ્લામની રોશનીને નાબૂદ કરવા ઇચ્છે છે, અલ્લાહની રોશની ઇસ્લામ છે, અલ્લાહની રોશની પયગંબર મુહમ્મદ સ.અ.વ. છે, તેઓ ઇસ્લામના પ્રવાહને રોકી રહ્યા છે પરંતુ ગૌરવશીલ અલ્લાહ કહે છે કે તેઓ નિષ્ફળ થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments