Saturday, July 27, 2024
Homeપયગામલવ-જિહાદની વાસ્તવિક્તા

લવ-જિહાદની વાસ્તવિક્તા

‘લવ’ એટલે પ્રેમ, કેટલો સરસ શબ્દ છે. આ પ્રેમ તો છે જે વ્યક્તિને દુખમાંય સૂખની અનુભૂતિ કરાવે છે.

ઇશ્ક કે મરાહિલ મેં વો મરહલાભી આતા હૈ

આફતે બરસતી હૈ દિલ સૂકુન પાતા હૈ

કેટલો નિર્દોષ શબ્દ છે તેમાં એક માતાની મમતા સમાયેલી છે. એક પિતાનું વાત્સલ્ય સમાવેલું છે. પ્રેમ તો માનવની પ્રકૃતિમાં છે. પ્રેમના અંકુરથી જ અહિંસા, દયાભાવ, સહિષ્ણુંતા, ત્યાગ અને બલિદાન, ધૈર્ય અને સહનશિલતા વગેરે જેવા છોડ ઉગે છે જે વટવૃક્ષ બનીને માનવ સમાજ માટે આશિર્વાદ રૃપ બને છે. પ્રેમની ભાવનાથી જ ‘વસુધૈવ કુટુમ્બ કમ’નું સુત્ર સાર્થક બની શકે છે. અલ્લાહનું ઇન્કાર અને કૃતઘ્નતા છતાં દુનિયાનું અસ્તિત્વ ટકેલું છે તે પણ આ વાત તરફ સંકેત આપે છે કે ઇશ્વર પોતાના બંદાઓથી પ્રેમ કરે છે. એક માતા પોતાના બાળકને જે પ્રેમ કરી શકે તેના કરતા ૭૦ ગણો વધુ પ્રેમ અલ્લાહ પોતાના બંદાઓથી કરે છે. આ પ્રેમ તો હતું કે અલ્લાહે પોતાના બંદાઓને સાચું માર્ગદર્શન આપવાની જવાબદારી પોતે લીધી. એટલે જ વ્યક્તિએ સૌથી વધુ પ્રેમ એ અલ્લાહને જ કરવું રહ્યું જે સમગ્ર સંસારનો સર્જનહાર, પાલનહાર, સાચો બાદશાહ અને માર્ગદર્શક છે. એટલે જ ઇસ્લામે ન માત્ર સૌ માનવથી જ પરંતુ પ્રાણીઓ પ્રત્યે પણ પ્રેમ દર્શાવવાનું શિક્ષણ આપ્યું છે. અલ્લાહથી પ્રેમ વગર ઇમાન શુદ્ધ સ્વરૃપમાં રહી શકે નહિં અને તેના પયગમ્બરો કે જેમણે માનવતાને સંમાર્ગ પર લાવવા માટે ઉપદ્રવી, પાપાચારી અને વિદ્રોહી લોકોથી ઘણું બધુ સહન કરવું પડયુંથી પણ પ્રેમ કરવું જોઈએ, વિશેષરૃપે અંતિમદૂત હઝરત મુહમ્મદ સલ્લ.થી, તો જ વ્યક્તિનો ઇમાન પરિપૂર્ણ થઈ શકે છે. તે સાચો શ્રદ્ધાળુ બની શકે છે, કેમકે પ્રેમ એ શક્તિનું નામ છે કે વ્યક્તિ જેને પ્રેમ કરે છે તેની અવજ્ઞાકારીથી દૂર રહે છે અને તેને પ્રસન્ન કરવા, રાખવા બનતા બધા જ પ્રયત્નો કરે છે. અલ્લાહ તઆલાએ બંદાઓને જીવવાનું માર્ગદર્શન આપ્યું છે. જ્યાં અલ્લાહે આ શિક્ષણ આપ્યું કે અલ્લાહના પ્રેમમાં બધુ ત્યજી સન્યાસ ગ્રહણ કરવું યોગ્ય નથી ત્યાં જ આ શીખામણ પણ આપી કે બંદાએ સાથે પ્રેમ કઇ રીતે કરવું. પ્રેમનો કયો સ્વરૃપ યોગ્ય અને પસંદગીપાત્ર છે અને ક્યો સ્વરૃપ અલ્લાહને અપ્રિય છે. જો આ હિદાયતને સામે રાખી લોકો સાથે સંબંધ કેળવીશું તો સમાજમાં કોઈ બેચેની, અનૈતિકતા કે વ્યભિચાર કે પાપાચારને સ્થાન નહીં રહે. તે સુખ અને શાંતિનું પારણું બની જશે.

આવી જ રીતે બીજો એક શબ્દ છે ‘જિહાદ’. આ શબ્દમાં જ સ્ફૂર્તિ, સાતત્ય અને ત્યાગ છુપાયેલો છે. આ શબ્દ વિશે નાની મોટી ગેરસમજ કે ભ્રમણા ફેલાવીને લોકોની આવી માનસિકતા બનાવવામાં આવી છે કે તેઓ તેને આતંકવાદ, ક્રુરતા અને અત્યાચારનો સમાનાર્થી સમજે છે અને તેઓ કહે છે કે મુસલમાનો જેહાદી હોય છે. આ શબ્દનો સાચો અર્થ પણ સમજવાની જરૃર છે. ‘જિહાદ’નું મૂળ   ‘જ-હ-દ’ છે, તેનો અર્થ છે શક્તિ, તાકાત, મહેનત, સંઘર્ષ પારિભાષિક વ્યાખ્યા જોતા જિહાદ એટલે સખત મહનત કરવી, મુશ્કેલીથી માર્ગ કાઢવો તન-મન-ધનથી પ્રયત્ન કરવા, તકલીફ અને પરેશાની સહન કરવી વગેરે થાય છે. ઇસ્લામી પરિભાષામાં તેનો ઉપયોગ પોતાની શક્તિઓ પ્રયત્નો, કાબેલિયતોને સંપૂર્ણપણે કોઇ અન્યાય, ઉપદ્રવ કે અત્યાચારના મુકાબલામાં લગાવવા અથવા ઇશ્વરની પ્રસન્નતા માટે નિર્ધારિત ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા અથાક પ્રયત્નો અને સંઘર્ષ કરવા માટે યોજાય છે. આ જિહાદની શરૃઆત પોતાની મનેચ્છાઓ પર નિયંત્રણ મેળવવા અને પોતાને અલ્લાહના તાબે કરવાથી થાય છે અને અંત ધરતી પર શાંતિ તથા ન્યાયની સ્થાપના કાજે યુદ્ધ સુધી પહોંચે છે. સાથે થાય છે.

કુઆર્નમાં ક્યાંય જાન-માલ ન્યોછાવર કરવા કે યુદ્ધ કરવાનો આશય દુનિયાની જાહોજલાલી, ધન-દોલત, સ્ત્રી, સત્તા કે અન્ય કોઈ ભૌતિક કે સાંસારિક લાભો પ્રાપ્ત કરવાનો દર્શાવ્યો નથી. ‘જિહાદ ફી સબીલીલ્લાહ’ (અલ્લાહના માર્ગમાં જિહાદ)નો આશય અને ઉદ્દેશ્ય માત્ર અલ્લાહની પ્રસન્નતા અને પરલોકમાં તેના દરજાજની ઉચ્ચતા તથા નર્કના અગ્નિથી રક્ષા અને ત્યાંની સફળતા છે. જિહાદ ક્યારે નબળાઓને કચડી નાખવા, તેમનું શોષણ અને અત્યાચાર કરવા, લોકોનું સુખ ચેન છીનવી લેવા, કોઈના માલ-મિલ્કત પર કબ્જો કરવા, કોઈની દીકરી-બહેનને પ્રાપ્ત કરવા કે કોઈ ધર્મને નાબૂદ કરવા માટે થતો નથી. દુનિયામાંથી અન્યાય, હિંસા, દૂષણ, દુરાચાર, અનૈતિકતા, અશ્લીલતા, જુલ્મ, શૌષણ, ઉપદ્રવને ખત્મ કરવા માટે ઇશમાર્ગમાં કરવામાં આવતા જિહાદને ઇસ્લામમાં ખૂબ મહત્વ પ્રદાન કરવામાં આવ્યું છે અને ઇસ્લામ જ નહિં બીજા ધર્મો અને ન્યાયપ્રિય લોકો પણ આ વાતને યોગ્ય ગણે છે.

પ્રેમ (લવ) અને જિહાદ કેટલા પવિત્ર શબ્દો છે પરંતુ અમુક કોમવાદી અને કહેવાતા ધર્મના રક્ષકોએ બંનેનું સંયોજન કરી ‘લવ-જિહાદ’નામનું શબ્દ બનાવી કાલ્પનિક ભય ફેલાવી રહ્યા છે અને તેના મુકાબલા કરવા માટે પોતાના ધર્મના લોકોને જાગૃૃત કરવા ચળવળ ચલાવી રહ્યા છે અને આ ચળવળમાં એક ધર્મ વિશેષ પ્રત્યે ઘૃણાભાવ પેદા કરવામાં આવી રહ્યું છે. સમાજની શાંતિનું દોહન કરવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં ‘લવ-જિહાદ’ જેવી કોઈ વસ્તુ જ નથી એ પણ ‘ઇન્ડિયન મુજાહિદીન’ની જેમ ઘડી કાઢેલી વાર્તાઓ છે. જેમ ‘War on Terror’ના નામે પશ્ચિમ જગતના પોતાના નિર્ધારિત રાજનૈતિક લાભો છુપાયેલો છે. તે જ રીતે સંગઠનો અને સંસ્થાઓનો પણ રાજનૈતિક, આર્થિક વગેરે લાભ છે. જેને ‘Hidden Agenda’ કહે છે જે સામે આવતા નથી. ‘અસલી ચહરા છુપા રહે નકલી ચેહરા સામને આયે’ જેવી સ્થિતિ છે.

મેરઠની ગૈંગરેપ અને ધર્મપરિવર્તનની જે ઘટનાને બહાનું બનાવી ‘લવ-જિહાદ’ની વાત ચર્ચાના ચકડોળે ચઢી છે તેના પાછળના રાજનૈતિક લાભો જોઈ શકાય છે. (૧) જે ગામમાં આ ઘટના બની છે ત્યાં ૩૫ વર્ષ પછી કોઈ મુસલમાન ગ્રામ પ્રધાન તરીકે ચૂંટાયો છે. કોમવાદી તત્વો એ તાસ્સુર આપવા માગે છે કે જુઓ મુસલમાનના પ્રધાન થયાં પછી ગામમાં કેવા કૃત્યો થાય છે. (૨) યુ.પી.માં વર્તમાન સરકારને બદનામ કરી ભાજપ માટે માર્ગ મોકળો કરવો અને તે ‘હિંદુ એકતા’ કે ‘હિંદુ કાર્ડ’ રમયા વગર શક્ય નથી. (૩) લોકસભા ચૂંટણીમાં મુઝફ્ફરનગર રમખાણોથી લાભ લીધો અને હવે વિધાનસભા ચૂંટણીમાં ધર્મરક્ષાના નામે લાભ લેવા પ્રયત્ન કરી રહ્યા છે. (૪) ભાજપ શાસિત રાજ્યમાં ધર્મપરિવર્તન કાયદો છે અને ક્યાંય લાવવા પ્રયત્ન થઈ રહ્યા છે. આ લોકો કદાચ એવું વાતાવરણ ઉભુ કરવા માગે છે કે લોકસભામાં એવો કોઈ કાયદો પસાર થઈ જાય. જો એવું થશે તો આ વસ્તુ નાગરિકોના બંધારણીય અધિકાર પર તરાપ સમાન હશે. (૫) મુસ્લિમોને ભયભીત અને ધર્મપ્રચારથી રોકવાનું ષડયંત્ર હોઈ શકે છે. (૬) મદરસાઓ પ્રત્યે ગેરસમજ ઉભું કરવાનું આયોજન પણ શક્ય છે. કેમકે આ લોકો ભૂતકાળમાં પણ મદરસાઓને કે જે ‘માનવ નિર્માણના ઉદ્યોગો’ સમાન છે આતંકવાદના અડ્ડા કહેતા રહ્યા છે.

એમ તો મેરઠના કિસ્સામાં બળજબરીથી ધર્મપરિવર્તનની વાતને ત્યાંના એસએસપીએ સમર્થન આપ્યું નથી અને મેડિકલ તપાસમાં તેની સાથે બળજબરી થઈ હોય તે વાતને પણ પુષ્ટિ મળી નથી તેમજ તેના શરીરના અવયવો કાઢવાની વાતને પણ ડૉ. સંગીતા ગર્ર્ગે નકારી કાઢી છે. પ્રાથમિક તપાસમાં આમ આ આખી ઘટના બનાવટી લાગી રહી છે. જે તથ્યો પણ બહાર આવે, પરંતુ આપણે ધર્મપરિવર્તન વિશે ગંભીર ચર્ચા કરી લેવી પડશે.

દેશબંધુઓને આ વાત સ્પષ્ટરૃપે સમજી લેવી પડશે કે ‘લવ-જિહાદ’ના નામે ગલી-ગલી, નગર-નગર પહોંચી જે કુપ્રચાર કરવામાં આવી રહ્યું છે તે યોગ્ય નથી. જૂઠ, ષડયંત્ર અને પ્રપંચ પર આધારિત છે. મુસલમાનોની ‘લવ-જિહાદ’ જેવી કોઈ રણનીતિ કે કૂટનીતિ નથી કે જેના થકી તેઓ ઇસ્લામની બોલબાલા કરવા માગતા હોય. એવી ભ્રમણા પણ ફેલાવવામાં આવે છે કે મુસલમાનો લોભલાલચ આપી અથવા બળજબરીથી ધર્મપરિવર્તન કરાવે છે અને પછી તેમને વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. અથવા વિદેશમાં વેચી દેવાય છે. ઇસ્લામ આ ચારેય વસ્તુઓની ઘોર નિંદા કરે છે. એક પ્રતિષ્ઠિત વ્યક્તિ પયગમ્બર મુહમ્મદ સલ્લ. પાસે આવી કહ્યું તમે તમારા પછી મને ફલાણી જગ્યાનો સરદાર નિયુક્ત કરી દો તો હું ઇસ્લામ સ્વીકાર કરવા તૈયાર છું. આપ સલ્લ.એ ફરમાવ્યું કે, ઊંટ બાધવાની દોરીના બદલામાં પણ ઇસ્લામ સ્વીકાર કરવા માગતા હોય તો મને સ્વીકાર્ય નથી. જ્યાં સુધી બળજબરીની વાત છે તો ઇસ્લામના મજબૂત સિદ્ધાતોમાંનો એક આ છે;

“દીન (ધર્મ)ના મામલામાં કોઈ બળજબરી નથી.” (સૂરઃબકરહ-૨૫૬)

“… અને તમારું કામ તેમના પાસે બળજબરીપૂર્વક વાત મનાવવાનું નથી. કેવળ તમે આ કુઆર્ન મારફતે તે દરેક વ્યક્તિને બોધ આપી દો જે મારી ચેતવણીથી ડરે.” (સૂરઃ કૉફ-૪૫)

ઇસ્લામનો સરળ-સામાન્ય નિયમ છે. ધર્મ પ્રત્યે બળજબરી કરોે ન ધર્માચરણ પર પાબંદી સહન કરો. પોતાનો મત, વાત તર્ક અને દાખલા સાથે સારી રીતે લોકો સમક્ષ રાખો. એમને પસંદ હોય તો સ્વીકાર કરે, નાપસંદ હોય તો પોતાના ધર્મની પાબંદી કરતા રહે.

“તમારા માટે તમારો દીન (ધર્મ) છે અને મારા માટે મારો દીન (ધર્મ).” (સૂરઃ અલ-કાફિરૃન – ૬)

“ભલે તો (હે પયગંબર !), ઉપદેશ આપતા રહો, તમે માત્ર ઉપદેશ જ આપવાવાળા છો, કંઈ એમના પર બળજબરી કરવાવાળા નથી.” (સૂરઃ ગાશિયહ ૨૧-૨૨)

સામાન્ય વ્યક્તિ હોય કે સત્તાધારી દરેકને સત્યથી અવગત કરવું જ રહ્યું;

“જાઓ તમે બંને ફિરઔન પાસે કેમ કે તે વિદ્રોહી થઈ ગયો છે. તેના સાથે નરમાશથી વાત કરજો, કદાચ તે શિખામણ સ્વીકારે અથવા ડરી જાય.” (સૂરઃ તાહા ૪૩-૪૪)

ત્રીજી વસ્તુ વેશ્યાવૃત્તિની છે. જે વ્યકિત આ કૃત્ય કરતો હોય કે કરાવતો હોય તેના માટે તો ઇસ્લામે સખત સજા નિયુક્ત કરી છે. બલ્કે રોકથામના ઘણા નિયમો આપયા છે. અહિં સુધી કે છોકરી અને છોકરાને એકાંતમાં મળવાની પણ પરવાનગી આપી નથી. સુશીલ અને સભ્ય કપડા પહેરવાની શિક્ષા આપી છે. નજરની સુરક્ષાનો આદેશ આપ્યો છે. અનૈતિક સંબંધો રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે.

“… દુનિયાના ફાયદાઓ માટે વેશ્યાવૃત્તિ માટે વિવશ ન કરો, જ્યારે કે તેઓ પોતે શુદ્ધ-ચરિત્ર રહેવા માગતી હોય, અને જે કોઈ તેમને વિવશ કરે તો તે બળજબરી પછી અલ્લાહ તેમના માટે માફ કરનાર અને દયાળુ છે.” (સૂરઃ નૂર-૩૩)

ચોથી વસ્તુ વિદેશમાં વેચી દેવાની છે તે પણ યોગ્ય નથી, એક ભ્રમણા છે. ઇસ્લામે તો માનવતાને ગુલામીથી સ્વતંત્રતા અપાવી છે. બલ્કે ગુલામને આઝાદ કરવાને પ્રોત્સાહન આપયુ છે. અલ્લાહ ફરમાવે છે,

“અને તમે શું જાણો કે શું છે તે દુર્ગમ ખીણ ? કોઈ ગળાને ગુલામી (દાસતા)માંથી મુક્ત કરાવવું,” (સૂરઃ બલદ ૧૨-૧૩)

અને પૈસા માટે કોઈ સ્ત્રી કે પુરૃષને વેચી મારવું એક મોટુ પાપ છે. એક ભ્રમણા આ પણ ફેલાવવામાં આવી રહી છે કે મોલ્વીઓ અને ઇસ્લામિક સંગઠનો મુસ્લિમ યુવકોને બિનમુસ્લિમ છોકરીઓને ફસાવવા પ્રોત્સાહિત કરે છે. ઇનામ આપે છે. તેના માટે વર્ગો ચલાવે છે. આ બિલ્કુલ તથ્યહીન અને પાયા વિહોણી વાતો છે. પ્રેમના નામે ક્ષણિક આવેશમાં આવીને યુગલો જે પ્યારની વાત કરવા લાગે છે તેે વાસ્તવમાં એક પ્રકારી હવસની છે. કોઈ ધર્મ કે સંસ્કૃતિથી પ્રેરાઈને આવુ થતું નથી. આ સમસ્યા હિંદુઓમાં આંતરજ્ઞાતિ પ્રેમ અને લગ્નના રૃપમાં પણ જોઈ શકાય છે. અને ઘણા બધા ‘ઓનર કીલિંગ’ના બનાવો બન્યા છે એવા પણ ઘણા બધા કિસ્સાઓ મારી નજરમાં છે જેમાં મુસ્લિમ છોકરી બિનમુસ્લિમ છોકરા સાથે નાસી ગઇ હોય. પરંતુ ક્યારેય મુસ્લિમોએ ‘લવ મહાભારત’ કે ‘લવ રામાયણ’નું નામ આપ્યું નથી. વર્તમાન સમયમાં જે ફિલ્મી કલ્ચર છે તે યુવાનોને અનૈતિક સંબંધો માટે પ્રેરે છે. એ ધર્મના કારણે નથી. બલ્કે એમ કહેવુ વધારે યોગ્ય લખાશે કે ધર્મની જાણકારીના અભાવે યુવાનો આવા સંબંધો બાંધે છે.

“તમે મુશ્રિક (અનેકેશ્વરવાદી) સ્ત્રીઓ સાથે કદાપિ નિકાહ (લગ્ન) ન કરજો, જ્યાં સુધી તેઓ ઈમાન ન લઈ આવે. એક ઈમાનવાળી ગુલામ સ્ત્રી ખાનદાની મુશ્રિક સ્ત્રી કરતાં વધુ સારી છે, ભલે તે તમને ખૂબ જ પસંદ હોય; અને પોતાની સ્ત્રીઓના નિકાહ (લગ્ન) મુશ્રિક પુરુષો સાથે કદાપિ ન કરજો, જ્યાં સુધી તેઓ ઈમાન ન લઈ આવે. એક ઈમાનવાળો ગુલામ પુરુષ ખાનદાન મુશ્રિક પુરુષ કરતાં વધુ સારો છે, ભલે તે તમને ઘણો પસંદ હોય.” (સૂરઃબકરહ-૨૨૧)

જિહાદને પારિભાષિક રૃપે જોઈએ તો વાસ્તવમાં હિન્દુત્વની સ્થાપના માટે જિહાદ (સંઘર્ષ) તો આર.એસ.એસ. અને જનસંઘીઓ કરી રહ્યા છે. જ્યારે બે કૌમો વચ્ચે મુકાબલો હોય તો એક સત્ય પર હોય છે અને બીજી અસત્ય પર. ઇસ્લામે મુસલમાનોને સત્યખાતર જિહાદ કરવાનું આહવાન કર્યું છે. કુઆર્ન કહે છે,

“તો હે નબી ! ઇન્કાર કરનારાઓની વાત કદાપિ ન માનો અને આ કુઆર્નને લઈને તેમના સાથે પ્રબળ અને ભારે સંઘર્ષ (જિહાદ) કરોે.” (સૂરઃ ફુરકાન-૫૨)

આ કુઆર્નનું શિક્ષણ લઈને મુસલમાનો ભારતના દરેક ગામડામાં પહોંચ્યા હોત. કુઆર્નના શિક્ષણ પ્રમાણે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કર્યો હોત, કુઆર્નના સિદ્ધાંતો ઉપર સમાજની રચના કરી હોત તો ભારત વર્ષનું દૃશ્ય કંઇ બીજુ હોત અને ઇસ્લામના દુશ્મનોને ‘લવ-જિહાદ’ના સૂત્રો ન ઉચ્ચારવા પડત. આંતર ધર્મીય પ્રેમનો ઇતિહાસનો અકબર-જોઘાથી પણ પ્રાચીન છે. એક જવાબદાર શહરી અને સાચા મુસલમાન તરીકે આપણી જવાબદારી આ છે કે;

* આપણે પોતાના બાળકોને સમય ફાળવીએ અને તેને ધર્મનું શિક્ષણ આપીએ.

* સત્ય અને અસત્યને પારખવાનું બુદ્ધિ કેળવીએ.

* નાગરિકોના બંધારણીય અને માનવીય હક્કની સુરક્ષા માટે પ્રયત્નશીલ રહીએ.

* અનૈતિક સંબંધો અને અશ્લીલતાથી દૂર રહો અને પોતાની શિયળની સુરક્ષા કરો.

* છોકરાઓના કે છોકરીઓ પ્રેમ કરીને લગ્ન ન કરે, જેનાથી લગ્ન કરે તેને પ્રેમ કરે.

* ધર્મનું પ્રચાર કરો પરંતુ તેના માટે લોભ-લાલચનું ઉપયોગ ન કરો.

જે લોકો એમ કહે છે કે મુસલમાનો છોકરીઓને મુસ્લિમ બનાવીને ત્યજી દે છે અન છોકરીનો જીવન બરબાદ કરી નાંખે છે આ વાત પણ સત્યથી વેડગી છે. ધર્મપરિવર્તન કરી લગ્ન કરતા યુગલોના કિસ્સામાં આવું ઓછું બને છે જ્યારે કે એક જ ધર્મના યુવાનો-યુવતીઓ વચ્ચે પ્રેમ સંબંધો થકી લગ્નમાં પરિણમતા યુગલોનું લગ્ન જીવન મોટાભાગે સફળ થતું નથી, બહુ લાંબુ ટકતું નથી. બોલીવુડ-હોલીવુડના પાત્રો અને રાજનેતાઓથી લઈને સામાન્ય વ્યક્તિ સુધીના કિસ્સા તમે જોઈ શકો છો.

અત્યારે મારે મુસલમાનોને કહેવું છે કે તેઓ વર્તમાન પરિસ્થિતિની સહેજ ચિંતા કર્યા વગર પોતાની જવાબદારી અદા કરતા રહે. ‘લવ-જિહાદ’ના સૂત્રોચ્ચારની ચિંતા ન કરો. લવ (પ્રેમ)નો સંદેશો લઈ સમગ્ર માનવજાતિ સુધી પહોંચો. શાંતિ અને ન્યાયની સ્થાપના કાજે જિહાદ કરો, સંયમ રાખો, સભ્ય, સુશીલ અને સંસ્કારમય સમાજ માટે કટિબદ્ધ થાઓ તો ‘લવ-જિહાદ’ના બલૂનની હવા આપમેળે નિકળી જશે અને હકીકત લોકો સમક્ષ આવી જશે.

ઇસ્લામની વાસ્તવિક્તા :

દુનિયાભરમાં ઇસ્લામ વિશે એક ગેરસમજ આ જોવા મળે છે કે ઇસ્લામની શરૃઆત ૧૪૦૦ વર્ષ પહેલા હઝરત મુહમ્મદ પયગમ્બરે કરી હતી. જ્યારે કે ઇસ્લામી વિચારધારા પ્રમાણે પ્રથમ મનુષ્ય જે ધરતી પર અવતરિત થયો. તેનો ધર્મ પણ ઇસ્લામ હતો. ઇસ્લામ એટલે શાંતિ, ઇશ્વરની આજ્ઞા. આ માત્ર પૂજાપાઠ કે ઉપાસનાનું નામ નથી બલ્કે એક જીવન વ્યવસ્થાનું નામ છે અને આ માર્ગદર્શન અલ્લાહે દરેક યુગમાં દરેક દેશમાં મોકલ્યું છે. જે નબી, પયગમ્બરો આવ્યા છે તે બધાનું શિક્ષણ એક જ હતું. અલ્લાહ કોઈ બીજો અસ્તિત્વ નથી બલ્કે એ જ છે જેણે આપણે પ્રભુ અથવા પરમેશ્વરના નામથી ઓળખીએે છીએ અને ધર્મ પણ એક જ છે જેણે ‘દીને કય્યિમ’ (સનાતન ધર્મ) કહી શકાય. અર્થાત્ “ઇશ્વર એક જ છે લોકો તેને વિભિન્ન નામોથી પુકારે છે.” (ઋગવેદ ૧-૧૬૪-૪૬.)

“લોકો ! તમારા પર અલ્લાહના જે ઉપકારો છે તેને યાદ રાખો. શું અલ્લાહ સિવાય કોઈ અન્ય સર્જનહાર પણ છે જે તમને આકાશ અને ધરતીમાંથી રોજી આપતો હોય ? – કોઈ ઉપાસ્ય તેના સિવાય નથી, પછી તમે ક્યાંથી ધોખો ખાઈ રહ્યા છો ?” (સૂરઃ ફાતિર-૩)

લોકોએ એક નબી દ્વારા અપાયેલ શુદ્ધ ઇશ્વરીય શિક્ષણમાં મિશ્રણ કર્યું તો અલ્લાહે બીજો પયગમ્બર મોકલ્યો. આ બધા દૂતો સંદેશવાહકો, નિશ્ચિત ખંડ અને કોમો સુધી સીમિત હતા. અંતમાં અલ્લાહ તઆલાએ આ સિલસિલાને વિરામ આપતા પયગમ્બર મુહમ્મદ સલ્લ.એ મોકલ્યું, “(લોકો !) મુહમ્મદ તમારા પુરુષોમાંથી કોઈના પિતા નથી, પરંતુ તે અલ્લાહના રસૂલ (ઈશદૂત) અને પયગંબરોના સમાપક (ખાતમન્-નબિય્યીન) છે, અને અલ્લાહને દરેક વસ્તુનું જ્ઞાન છે.” (સૂરઃ અહઝાબ-૪૦)

હવે કોઈ વ્યક્તિ ઇસ્લામને સ્વીકારે તો વાસ્તવમાં તે ધર્મપરિવર્તન નથી બલ્કે (મૂળ) ધર્મનો અંગીકાર છે જે અત્યાર સુધી તેનાથી વિખુટો હતો. આર.એસ.એસ. અને તેની પેટા સંસ્થાઓ ‘શુદ્ધિ’ની ચળવળ દ્વારા મુસ્લિમોને હિંદુ બનાવે તો તે તેમને યોગ્ય લાગે છે અને કોઈ હિંદુ મુસલમાન થાય તો તેઓ ક્રોધીત થઇ જાય છે. આ બેવડુ માપદંડ યોગ્ય નથી. ઇસ્લામનો સ્વીકાર વાસ્તવમાં મૂળ અને પ્રાચીન અને પ્રાકૃતિક શુદ્ધ જીવન વ્યવસ્થા તરફ પ્રયાણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments