Thursday, April 18, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપવર્તમાન સંજોગોમાં ભારતીય મુસલમાનોની કાર્ય-પદ્ધતિ

વર્તમાન સંજોગોમાં ભારતીય મુસલમાનોની કાર્ય-પદ્ધતિ

મુલાકાત –
માનનીય અમીરે જમાઅતે ઇસ્લામી હિંદથી ઇન્ટરવ્યૂ

લોકસભાની વર્તમાન ચૂંટણીઓમાં ફાસીવાદી ગણાતી એક વિશેષ પાર્ટીના સત્તા સ્થાને આવવાના કારણે મુસલમાનો ચિંતામાં પડી ગયા હતા અને તેમના પર શોક તથા દુઃખ અને નિરાશાની સ્થિતિ છવાતી જઈ રહી હતી. આવા સંજોગોમાં જરૂરત જણાઈ કે તેમનું ખરૃ માર્ગદર્શન કરવામાં આવે અને તેમની સામે એક એવો વિસ્તૃત કાર્યક્રમ રજૂ કરવામાં આવે જે તેમના દરજ્જાને અનુરૃપ હોય અને જેના દ્વારા સંજોગોમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય. આ પશ્ચાદભૂમિમાં જમાઅતે ઇસ્લામી હિંદના માનનીય અમીર સૈયદ જલાલુદ્દીન ઉમ્રીને ઇન્ટરવ્યૂ માટે વિનંતી કરવામાં આવી જેની તેમણે રાજીખુશીથી પરવાનગી આપી. આ બદલ અમે તેમના ખૂબ જ આભારી છીએ.

આ ઇન્ટરવ્યૂથી વર્તમાન સંજોગોનું ઊંડું વિશ્લેષણ સામે આવે છે. ચૂંટણીઓમાં ધર્મનિરપેક્ષ પક્ષો (સેકયુલર પાર્ટીઓ)ની હાર અને મુસલમાનોની કાર્યપદ્ધતિ-કૂટનીતિની નિષ્ફળતાના કારણો ઉપર પ્રકાશ પડે છે અને વર્તમાન સંજોગોમાં મુસલમાનોને સત્તાધારી પક્ષથી શી આશંકાઓ છે અને તેમની સામે કયા પડકારો છે તે જાણવા મળે છે. બીજી બાજુ હવે પછીની કાર્યપદ્ધતિ સ્પષ્ટ થાય છે, અને માર્ગદર્શન મળે છે કે મુસલમાનો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રોમાં આગળ વધવા માટે શી કાર્યપદ્ધતિ/કૂટનીતિ અપનાવે તેમજ તેમની વચ્ચે એકતા અને સંગઠનને કેવી રીતે વધારી શકાય છે –

પ્રશ્ન : વર્તમાન લોકસભા ચૂંટણીઓમાં ધર્મ-નિરપેક્ષ પક્ષોની હારના કારણો શું છે ?

ઉત્તર : વર્તમાન લોકસભા ચૂંટણીઓ અંગે મીડિયામાં ખૂબ જ ચર્ચા થઈ ચૂકી છે. ધર્મનિરપેક્ષ પક્ષોની હારના અનેક કારણો છે. એક કારણ તેમનું અસંગઠિત હોવું છે. કેન્દ્રમાં યુપીએની સરકાર હતી જેનું નેતૃત્વ કોંગ્રેસ કરી રહી હતી. શરૃઆતના થોડાક વર્ષો સુધી તો આ સંગઠન બાકી રહ્યું, પાછળથી તે વેર-વિખેરપણાનો ભોગ બની ગયું, અને એકબીજા ઉપર આક્ષેપબાજીનો સિલસિલો શરૃ થઈ ગયો. એસપી અને બીએસપી કે જે કોંગ્રેસને બહારથી સમર્થન આપી રહી હતી તે કોંગ્રેસને સતત ટીકાનો ભોગ બનાવી રહી હતી તેમજ કોંગ્રેસની નિષ્ફળતામાં પોતાની સફળતા જોઈ રહી હતી. આ જ સ્થિતિ બીજા પક્ષોની પણ હતી.

કેન્દ્રમાં જે સરકાર હતી તે એટલી હદે ભ્રષ્ટ (કરપ્ટ) થઈ ચૂકી હતી કે ભૂતકાળમાં કદાચ આનું ઉદાહરણ ન મળે. દરેકના મોેઢે તેના ભ્રષ્ટાચાર અને કૌભાંડોનો ઉલ્લેખ કે ચર્ચા હતી. કોંગ્રેસને લઘુમતીઓ અને ખાસ કરીને મુસલમાનોની હિમાયત પ્રાપ્ત હતી. કોંગ્રેસે મુસલમાનોને વચન તો બહુ આપ્યા, સચ્ચર સમિતિ ભલામણો ઉપર અમલ કરવાનું એલાન પણ કરતી રહી, પરંતુ અમલી રીતે મુસલમાનોની મહત્ત્વની માગણીઓની અવગણના કરી રહી, જેમ કે નિર્દોષ મુસ્લિમ યુવાનોની ધરપકડની સમસ્યા, રમખાણ વિરોધી બિલનો પ્રશ્ન, તેમની (મુસલમાનોની) આર્થિક તથા રોજગારની સમસ્યા. આ પ્રકારની અન્ય સમસ્યાઓમાં પણ મુસલમાનોને કોંગ્રેસથી શિકયાત રહી, અને તેઓ (મુસલમાનો) તેનાથી અસંતુષ્ટ થઈ ગયા. તેમણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ્યાં સીધો મુકાબલો હતો ત્યાં કોંગ્રેસને સમર્થન આપ્યું, પરંતુ આ સમર્થન ખુશદિલી સાથે ન હતું, બલ્કે મજબૂરીના દરજ્જામાં હતું. આથી જ્યાં કોંગ્રેસનું કોઈ વિકલ્પ મોજૂદ હતું, ત્યાં તેમણે- એ વિકલ્પને પ્રાથમિકતા આપી.

કોંગ્રેસની નિષ્ફળતાઓની સાથે પરિવર્તનની ખ્વાહેશ પણ મોજૂદ હતી. તેનું કારણ આ હતું કે કોંગ્રેસ અથવા યુપીએ અને ભાજપ અથવા એનડીએ વચ્ચેની નીતિઓમાં કોઈ ખાસ ફરક ન હતું. કોંગ્રેસની નીતિ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા તથા ઇઝરાયલની તરફેણમાં હતી, બલ્કે તેમની મરજીને તાબે હતી. રાષ્ટ્રીય અર્થતંત્ર ઉપર મલ્ટીનેશનલ કંપનીઓ તથા કોર્પોરેટ સેકટરનો કબજો હતો. સૌ જાણે છે કે ભાજપ પણ આ જ દિશામાં કામ કરવા ચાહે છે. આથી જ્યારે કોંગ્રેસ કમજોર થઈ અથવા તો તેનાથી નિરાશા થઈ તો એ પરિબળોનું પીઠબળ ભાજપને પ્રાપ્ત થઈ ગયું, અને આખું કોર્પોરેટ સેકટર તેની પાછળ ઊભું થઈ ગયું. તેણે ચૂંટણીમાં પોતાના પૈસા ભાજપ કે મોદી સાહેબ માટે પાણીની જેમ વહેવડાવ્યા. કેમ કે તે જોઈ રહ્યું હતું કે તેના હિતો હવે ભાજપના જ હાથોમાં વધુ સુરક્ષિત છે. અહીં પ્રશ્ન આ હતો કે એક જ નીતિને કોંગ્રેસ તથા ભાજપમાં કોણ વધુ સારી રીતે પાર પાડી શકે છે. લોકોએ ભાજપની તરફેણમાં મત આપી દીધો અને પરિવર્તનની ઇચ્છા પણ પૂરી થઈ ગઈ.
ધર્મનિરપેક્ષ (સેકયુલર) પક્ષોની નિષ્ફળતામાં મોટી દખલ અહીંની ચૂંટણી વ્યવસ્થા (ઈલેકશન સિસ્ટમ)ની પણ છે. આના હેઠળ અનેક પ્રતિનિધિઓ તથા પક્ષોમાં એ રીતે મતો વહેંચાઈ-વિભાજિત થઈ જાય છે કે જે ઉમેદવારને પણ પોતાના સૌથી નિકટના હરીફ કરતા ૧ ટકાની પણ બહુમતી મળી જાય, તે સફળ થઈ જાય છે, ભલેથી કુલ મતોની દૃષ્ટિએ તેને વધુ મત મળ્યા ન હોય તો પણ. આ જ સ્થિતિ પક્ષોની પણ છે. ઓછા મતો મળવા છતાં એક પક્ષ સફળ થઈ જાય છે અને બીજો નિષ્ફળ થઈ જાય છે. આથી ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજવાદી પક્ષને ૪ ટકા મત મળ્યા, પરંતુ એક પણ બેઠક મેળવી ન શકયો. તૃણમુલ કોંગ્રેસને ૮.૩ ટકા મત મળ્યા અને ૩ર બેઠકો તેના ફાળે આવી ગયા. અન્નાડીએમકેએ ૩.૩ ટકા જ મત મેળવીને ૩૭ બેઠકો જીતી લીધી. બીજુ જનતા દળ ૬.૧ ટકા મત મેળવી ર૦ બેઠકો પર સફળ ઠેરવાયું. જો પ્રમાણસરના પ્રતિનિધિત્વના સિદ્ધાંત ઉપર અમલ થાય તો આ સ્થિતિ બદલાઈ શકે છે. હવે આની માગણી વિવિધ પક્ષો તરફથી થવા લાગી છે. આના પર રાષ્ટ્રીય સ્તરે વિચાર થવો જોઈએ.

પ્રશ્ન : મુસલમાનોની ચૂંટણી સંબંધિત કાર્યપદ્ધતિ- કૂટનીતિ કેમ નિષ્ફળ ગઈ ?

ઉત્તર : આ કહેવું ખરૃ નથી કે મુસલમાનોની ચૂંટણીનીતિ નિષ્ફળ રહી. દરેક ચૂંટણી વખતે તેમની ચૂંટણી નીતિની બે બુનિયાદો રહી છે. એક, ફાસીવાદી પરિબળોને હરાવવા અને બીજી, ધર્મનિરપેક્ષ પરિબળોની હિમાયત કરવી, તેમની સામે પોતાની માગણીઓ મૂકવી અને તેમની પાસેથી માગણીઓ પૂરી થવાની આશા રાખવી. આ બંને વસ્તુઓ આ વખતે પણ મુસલમાનો સામે રહી છે.

મુસલમાનો સામાન્ય રીતે કોંગ્રેસની હિમાયત કરતા રહ્યા છે. તેનો તેને ફાયદો પણ પહોંચતો રહ્યો છે. સમયની સાથે એક તરફ તો કોંગ્રેસે પોતાનો વિશ્વાસ ગુમાવી દીધો, અને બીજી તરફ મુસલમાનો વિવિધ સેકયુલર પક્ષોમાં વિભાજિત થઈ ગયા. હવે સ્થિતિ આ છે કે એ પક્ષો સાથેના તેમના જોડાણને ખતમ કરી શકાય એમ નથી. આનાથી તેમના પણ અને એ પક્ષોના પણ હિતો જોડાયેલા છે. ન તેઓ પક્ષ છોડી શકે છે અને ન જ એ પક્ષ તેમને છોડવા ચાહશે. આથી વર્તમાન સંજોગોમાં આ એક વ્યવહારૃ વાત છે કે મુસલમાનો સંગઠિત થઈને કોઈ ખાસ સેકયુલર પક્ષના પ્રતિનિધિને સફળ બનાવવાનો પ્રયાસ કરે. આ ન તો પહેલાં બન્યું છે અને ન હાલમાં આની શકયતા છે. આ અંગે કેટલાક પ્રયત્નો થતા રહ્યા છે અને આ વખત પણ થયા છે. કયાંક કયાંક તેનું સારૃં પરિણામ પણ સામે આવ્યું છે. પરંતુ સામૂહિક રીતે આને સફળ કહી ન શકાય. ગમે તે હોય મુસલમાનોએ હંમેશની જેમ સેકયુલર પક્ષોને સમર્થન આપ્યું. તેમ છતાં તેઓ નિષ્ફળ રહ્યા. આને આ પક્ષોની નિષ્ફળતા તો કહી શકાય, પરંતુ મુસલમાનોની નિષ્ફળતા કહેવી મુશ્કેલ છે. આ વાત મગજમાં રહેવી જોઈએ કે મુસલમાનો સમગ્ર દેશમાં ફકત ૮-૧૦ મતક્ષેત્રોમાં બહુમતીમાં છે. ત્યાં જો તેમના મત વિભાજિત ન થાય તો તેમનો પ્રતિનિધિ સફળ થઈ શકે છે, પરંતુ બાકીના સ્થળોએ તેમના મતો અસરકારક તો થઈ શકે છે, પરંતુ નિર્ણાયક નથી હોઈ શકતા.

મુસલમાનોના ચૂંટણી જોડાણ ઉપર વિચાર કરતી વખતે તેમની પ્રતિક્રિયા પણ સામે રાખવી પડશે. જો મુસલમાનો કયાંક ૩૦ ટકા પણ હોય અને જો તે સંગઠિત પણ થઈ જાય તો ૭૦ ટકા પણ સંગઠિત થઈ શકે છે, બલ્કે જો તેમની અડધી સંખ્યા પણ સંગઠિત થઈ જાય તો પણ તેઓ જ સફળ થશે.

પ્રશ્ન: નવા સત્તાધારી પક્ષથી મુસલમાનોને શી આશંકાઓ છે ?

ઉત્તર: આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાજપ એક રાજકીય પક્ષ જ નહીં, બલ્કે એક વૈચારિક પક્ષ પણ છે. તેની વૈચારિક સ્ત્રોત આરએસેસ છે. તેનાથી તે વૈચારિક બળ મેળવે છે, અને તેના જ ઇરાદાઓને રાજકીય રીતે પાર પાડવા તેના હેતુઓમાં સામેલ છે. આરએસેસ આ દેશમાં એક ખાસ પ્રકારની સભ્યતા અને સંસ્કૃતિનો ધ્વજવાહક છે, અને તેનું જ અહીં પ્રભુત્વ ઇચ્છે છે, જેને હિંદુત્વ કહેવામાં આવે છે. આનાથી મુસલમાનો અને અન્ય સાંસ્કૃતિક લઘુમતીઓ યોગ્ય રીતે જ આશંકાઓ અનુભવે છે. મુસલમાનો સમજે છે કે આનાથી તેમનો પર્સનલ લૉ ખતમ થઈ શકે છે, તેમના માટે દીની શિક્ષણ ચાલુ રાખવામાં મુશ્કેલીઓ આવી શકે છે, સરકારી અભ્યાસક્રમમાં એવો ફેરફાર થઈ શકે છે કે જે ઇસ્લામના બુનિયાદી શિક્ષણની વિરુદ્ધ હોય. આથી જે રાજ્યોમાં ભાજપ પહેલાંથી સત્તામાં છે ત્યાં આ પ્રકારના પ્રયત્નો શરૃ થઈ ગયા છે. આ અંગે મુસલમાનોએ જાગૃત રહેવું પડશે અને દેશ માટે તેના નુકસાનોને ખુલ્લા પાડવા પડશે. સાંસ્કૃતિક આક્રમકતાને મુસલમાનો જ નહીં અહીની બીજી લઘુમતીઓ પણ સ્વીકારવાની નથી. આ તેમની ઓળખ અને વ્યક્તિત્વને ખતમ કરનાર વલણ છે. લઘુમતીઓમાં આ આશંકાઓનું જન્મવું કે તેમનું વૈયક્તિત્વ ખતમ કરવામાં આવી રહ્યું છે દેશની એકતા તથા અખંડતા માટે નુકસાનકારક છે. સાંસ્કૃતિક આક્રમકતા વિરુદ્ધ જ્યાં કાનૂની પગલાઓની જરૂરત હોય ત્યાં તેના પ્રયાસ પણ થવા જોઈએ.

કેટલીક સમસ્યાઓમાં સરકાર દેખીતી રીતે ખુલ્લી ચર્ચા ચાહે છે. આથી કયારેક મુસલમાનોના લઘુમતી હોવા કે ન હોવાની ચર્ચા છેડવામાં આવે છે, કયારેક સમાન સિવિલ કોડનો પ્રશ્ન ઉભો કરી દેવામાં આવે છે, કયારેક કલમ-૩૭૦ની ચર્ચા કરવામાં આવે છે, જો કે તેનો સંબંધ કાશ્મીર સાથે છે. આ પ્રકારના પ્રશ્નો દ્વારા એવું લાગે છે કે મુસલમાનોનું વલણ અને પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ બાબતે મુસલમાનોએ પોતાનું વલણ સરકાર સામે પણ દૃઢતાપૂર્વક રજૂ કરવું જોઈએ, અને સમગ્ર દેશ સામે પણ તેને દલીલો સાથે મૂકવો જોઈએ.

આ કહેવું મુશ્કેલ છે કે વર્તમાન સંજોગોમાં, જ્યારે કે દેશ એક પ્રકારની આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, હોશ ઉડાવી દેનાર મોંઘવારીએ લોકોના હોશ ઉડાવી દીધા છે, સરકારમાં આવતાં પહેલાં ‘અચ્છે દિન’નું જે સ્વપ્ન દેખાડવામાં આવ્યું હતું લોકોને દૂર દૂર સુધી તે સાકાર થતું જણાતું નથી. આની શકયતા ઓછી જ છે કે સરકાર પોતાના એજન્ડા ઉપર તરત જ અમલ શરૃ કરી દેશે, પરંતુ તેમ છતાં તેના રસ્તા કાઢવાનો પ્રયત્ન અવશ્ય કરશે. આથી તેના પગલાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતા રહેવું પડશે.

પ્રશ્ન: શું વર્તમાન સરકાર પોતાના રાજકીય એજન્ડા ઉપર અમલ કરવામાં સફળ થઈ જશે ? આ અંગે મુસલમાનોની ભૂમિકા શી હોવી જોઈએ ?

ઉત્તર: યોગ્ય જણાય છે કે વાત કેટલીક હદે ભૂતકાળથી શરૃ થાય. ઈ.સ.ર૦૦૪માં ભાજપે વાજપેયી સાહેબના નેતૃત્વમાં ‘શાઇનિંગ ઇન્ડિયા’ના મુદ્દા ઉપર ચૂંટણી લડી હતી, પરંતુ તે સફળ ન થઈ શકયો. આ વખતે નરેન્દ્ર મોદી સાહેબના દેશના વિકાસના નામે ચૂંટણીના મેદાનમાં આવ્યા અને સફળ થઈ ગયા. તેમણે ‘દેશનો વિકાસ, સૌનો સાથ’ અને બહેતર તથા સજાગ-સતર્ક વહીવટીતંત્રને મુદ્દો બનાવ્યો અને સફળતા મેળવી. બંને પ્રસંગોએ ભાજપ પોતાની ખાસ વિચારધારાને ચૂંટણીનો મુદ્દો ન બનાવ્યો. તેનો અર્થ આ છે કે સ્વયં ભાજપ આ અનુભવી રહ્યો છે કે તેના વૈચારિક એજન્ડાથી દેશને કોઈ દિલચશ્પી નથી, તેનાથી લોકોનું કંઈ ભલું નહીં થાય. તેમને સાચી દિલચશ્પી આનાથી છે કે દેશ વિકાસ કરે. તેમની ઇચ્છા છે કે તેમનો દેશ વિકાસશીલ દેશોની હરોળમાંથી નીકળીને વિકસિત દેશોની વચ્ચે ઊભો રહેે. તેન વિકાસનો લાભ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરેક વ્યક્તિને મળે, અને વર્તમાન ભ્રષ્ટ વહીવટીતંત્રના સ્થાને સાફ-સૂથરી, સ્વચ્છ સરકાર અસ્તિત્વમાં આવે.

ભાજપના ચૂંટણી માર્ગદર્શક અને નામજોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હકીકતને સમજી અને પોતાના વૈચારિક એજન્ડાને છોડીને એક એવા એજન્ડાને દેશ સમક્ષ મૂકયો કે જેમાં દેશના લોકો માટે આકર્ષણ હોઈ શકતું હતું. એમાં તેઓ સફળ રહ્યા. તેમણે મોકા મુજબ નાત-જાત કે જ્ઞાતિવાદનો મુદ્દો પણ છેડયો, પરંતુ તેની હૈસિયત મોટાભાગે સ્થાનિક હતી, રાષ્ટ્રીય સ્તરની ન હતી.

હવે દેશના દરેક નાગરિકની આ જવાબદારી છે કે તે સરકારનું ધ્યાન દોરતો રહેે કે તે નિર્માણ તથા વિકાસના ચૂંટણી-એજન્ડા ઉપર અમલ કરે અને તેની કારકિર્દી અને પગલાઓ ઉપર પણ તેની નજર હોય કે સરકાર એ એજન્ડાથી વિમુખ તો નથી થઈ રહી. મુસલમાનોએ પણ એ પાસાથી નિરીક્ષણ કરતા રહેવું જોઈએ કે તે એ એજન્ડાને ત્યજીને હિંદુત્વના એજન્ડા તરફ ન જાય.
આ દેશનું એક બંધારણ છે. તેના હેઠળ ચૂંટણીઓ થાય છે. સરકાર બને છે અને સરકારી વ્યવસ્થા ચાલે છે. બંધારણનો પાયો, વિચાર તથા વર્તનની આઝાદી, સામાનતા અને ન્યાય તથા ઇન્સાફ ઉપર સ્થાપિત છે. આઝાદીનો મતલબ આ છે કે દરેક વ્યક્તિ અને સમૂહને અકીદા અને વિચારની આઝાદી હશે, તેની ધાર્મિક ઓળખ અને વૈયક્તિકતા બાકી રહેશે, તેને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો તથા આર્થિક મહેનત કે દોડભાગનો અધિકાર પ્રાપ્ત હશે અને એવું વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવશે કે જેમાં તે અનુભવે કે તે ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યો છે અને દરેક પ્રકારની બળજબરી તથા અનુચિત બંધનોથી આઝાદ છે. એ જ રીતે અધિકારો અને સત્તાઓ વિશે એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ અથવા તો એક સમૂહ તથા બીજા સમૂહ વચ્ચે ફરક તથા ભેદ ન હોય અને ન્યાય તથા ઇન્સાફના તકાદાઓ દરેક સ્થિતિમાં પૂરા કરવામાં આવે.

દેશની પ્રજા-લોકોની આ જવાબદારી છે કે તેઓ આ જુએ કે દેશના તંત્રમાં બંધારણનું પાલન બરાબર થઈ રહ્યું છે કે નહીં. જો કોઈ તરફથી તેનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તો તેની સામે અવાજ ઉઠાવે. આ દેશમાં ન્યાયતંત્ર પણ મોજૂદ છે, અને બંધારણની રક્ષા જેની જવાબદારી છે, તેણે પણ આ મામલામાં સજાગ અને સતર્ક હોવું જોઈએ.

પ્રશ્ન : વર્તમાન સંજોગોમાં ભારતીય મુસમલાનો સમક્ષ મોટા પડકારો શું છે ?

ઉત્તર : ભારતના મુસલમાનો સામે જે પડકારો છે તે નવા નથી. અલબત્ત વર્તમાન સંજોગોએ તેની તીવ્રતામાં વધારો કરી દીધો છે. તે પૈકી માત્ર બેનો અહીં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છેઃ

(૧) મુસલમાનો સામાત્ય રીતે ઇસ્લામના શિક્ષણથી અજાણ છે. આ અંગે જે પ્રયત્નો મુસલમાનો તરફથી થઈ રહ્યા છે તે અપૂરતા છે. ઇસ્લામથી અજાણતા તેમને દીનથી દૂર કરી રહી છે. આની સાથે વર્તમાન શિક્ષણ અને અભ્યાસ, લિટ્રેચર તથા મીડિયામાં એક તો ઇસ્લામનો કોઈ ઉલ્લેખ જ નથી હોતો, અને જો કયારેક હોય પણ છે તો તે નકારાત્મક રીતે. આ કારણે એક સામાન્ય મુસલમાન ઇસ્લામથી દૂર ન પણ હોય તો તેમાં કોઈ આકર્ષણ નથી અનુભવતું, અને ઇસ્લામ સાથે તેનો માત્ર એક ઔપચારિક સંબંધ રહી જાય છે. આના માટે સમગ્ર ઉમ્મતમાં દીનના ઇલ્મને મોટાપાયે ફેલાવવાની અને તેની સાથે સંબંધને મજબૂત કરવાની જરૂરત છે. આ કાર્ય લાંબાગાળાની યોજના માગી લે છે. આને પૂરો કરવાના શકય ઉપાયો કરવા જોઈએ.

(ર) સમગ્ર વિશ્વ ઉપર પશ્ચિમી સંસ્કૃતિનું પ્રભુત્વ છે તેની જ ચારે તરફ રાજ છે. ભારતના મુસલમાનોએ પણ એ સંસ્કૃતિને અપનાવી રાખી છે. વર્તમાન સંજોગોમાં હિંદુત્વના એક ખાસ કલ્ચરને વિકસાવવા માટે પ્રયત્ન ચાલુ છે. તેનો સંબંધ પોષાક, દેખાવ અને ખાવા-પીવાની રીતભાતોથી વધારે ધર્મ અને અકીદા સાથે છે. આનાથી મુસલમાનો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. આનાથી સાવચેત રહેવાની જરૂરત છે. સભ્યતા અને સંસ્કૃતિ વિશે ઇસ્લામનું પોતાનું એક દૃષ્ટિકોણ છે, તે કોઈપણ દેશ અને પ્રદેશની સંસ્કૃતિ તથા પરંપરાઓને ખતમ નથી કરતો, અલબત્ત તેને પોતાના અકીદાના તાબે રાખે છે. ભારતના મુસલમાનોએ પણ અહીંની રીત-ભાતોને અપનાવી પરંતુ પોતાના અકીદા ઉપર અડગ રહ્યા.

પ્રશ્ન : દેશના રાજકીય પક્ષોએ મુસમલાનો વિશે શું વલણ અપનાવ્યું છે ?

ઉત્તર : આ એક હકીકત છે કે દેશના રાજકીય પક્ષો મુસલમાનોને વોટબેંકની હૈસિયતથી જુએ છે. તેમને તેમની સમસ્યાઓ સાથે કોઈ દિલચશ્પી નથી. તેઓ જો દિલચશ્પી લે છે તો પણ માત્ર એટલી હદ સુધી કે તેમને સત્તા પર આવવામાં મુસલમાનોનો સહકાર મળી રહે. આના માટે પણ તેઓ બહુમતીના સંકેતોને જુએ છે કે તે તેમનાથી દૂર ન થઈ જાય. સચ્ચર સમિતિએ આંકડાઓ દ્વારા જણાવી દીધું છે કે મુસલમાનો કેટલાક પાસાઓથી અહીંના પછાત વર્ગો ઓબીસી કરતાં પણ પાછળ છે. જો અહીંના રાજકીય પક્ષોને મુસલમાનોના પ્રશ્નોથી મુસલમાનોની સ્થિતિ આ ન હોત. કોઈપણ પક્ષ વિશે આ કહેવું મુશ્કેલ છે કે તે મુસલમાનોની સમસ્યાઓ કે પ્રશ્નો ઉપર હમદર્દીથી વિચાર કરે છે અને તેમની સ્થિતિને બહેતર બનાવવા માટે ગંભીરતાથી પ્રયત્ન કરી રહ્યો છે.

પ્રશ્ન : મુસલમાનોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે મુસલમાનો પોેતે કઈ કાર્યપદ્ધતિ/કૂટનીતિ અપનાવે ?

ઉત્તર : શિક્ષણ એ દરેક વ્યક્તિનો પ્રાકૃતિક અધિકાર છે. તેના વિના તે ન તો વિકાસ કરી શકે છે અને ન તો સમાજમાં તેની વિશ્વસનીયતા સ્થાપિત થઈ શકે છે. આ એક હકીકત છે કે મુસલમાનો શૈક્ષણિક ક્ષેત્રે બીજાઓ કરતાં ઘણા પાછળ છે. ભૂતકાળની સરકારે ફરજિયાત શિક્ષણનો કાયદો પસાર કર્યો, તેનાથી મુસલમાનોએ લાભ ઉઠાવવો જોઈએ. આપણી સમસ્યા આ છે કે સરકારી મદ્રેસાઓમાં જે અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે તેનાથી વિદ્યાર્થીઓને દીની જાણકારી પ્રાપ્ત નથી થતી, બલ્કે એક રીતે દીન તેના માટે અજનબી બનીને રહી જાય છે. અહીં મુસલમાનોના મોટા મોટા દીની મદ્રેસાઓ સ્થપાયેલા છે, જ્યાં દીની વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવે છે, ત્યાંના જ ફારેગ લોકો સામાન્ય રીતે દીનના પ્રસ્તુતિકરણની ફરજ બજાવે છે. આ સિવાય પણ તેમની પોતાની સેવાઓ છે. પરંતુ જેમ કે આંકડાઓ બતાવે છે, કે તેમનાથી લાભાન્વિત થનારા મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૪ ટકા છે. બાકી સંખ્યા સંખ્યા ધર્મનિરપેક્ષ (સેકયુલર) શાળાઓમાં શિક્ષણ મેળવે છે. દીનથી તેમને વાકેફ કરાવવા માટે અનેક જગ્યાએ રાતના અને સવારના મદ્રેસાઓ તથા મકતબ (નાના મદ્રેસા) મોજૂદ છે. તેમના દ્વારા દીનનો પ્રાથમિક પરિચ કેટલીક હદે થઈ જાય છે, પરંતુ દીની શિક્ષણના તકાદાઓ પૂરા નથી થતાં તેના માટે ખૂબ જ વિસ્તૃત કાર્યક્રમ હોવો જોઈએ. આધુનિક શિક્ષણની જે સંસ્થાઓ સ્થાપવામાં આવે અથવા તો જે હાલ અમલી રીતે મોજૂદ છે તેમા દીની શિક્ષણ રસમરૃપના ન હોય, જેવું કે અત્યાર સુધી થઈ રહ્યું છે, બલ્કે અભ્યાસક્રમમાં તેને યોગ્ય સ્થાન આપવામાં આવે અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તેને સમય પસાર (ટાઈમ પાસ) કરવાનું સાધન ન સમજે, બલ્કે તેને ખરેખર એ મહત્ત્વ આપે જેના માટે તે હક્કદાર છે. આમાં શંકા નથી કે કેટલીક સંસ્થાઓમાં આનો પ્રયાસ પણ થાય છે. સ્વયં જમાઅતે ઇસ્લામી હિંદે જે સંસ્થાઓ સ્થાપી છે તેમાં તેનું પાલન કરવાનું આવે છે, પરંતુ આના તકાદાઓ આનાથી પણ વધુ છે. આના માટે સમગ્ર ઉમ્મતે ધ્યાન આપવું પડશે. તે ઇચ્છે તો સમગ્ર દેશમાં એ પ્રકારની સંસ્થાઓની જાળ પાથરી શકે છે, જેમાં દુન્યવી શિક્ષણની સાથોસાથ દીનનું જ્ઞાન-શિક્ષણને પણ યોગ્ય સ્થાન આપવામાં આવે, પરંતુ તેમ છતાં આ આશા રાખી શકાય નહીં કે મુસ્લિમ વિદ્યાર્થીઓની દિશા બદલાઈ જશે, અને ત્યાંથી દીનના પ્રવકતા અને તેના સમર્થક અને મદદગાર વિદ્યાર્થીઓ તૈયાર થશે. આના માટે સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થાને જ ઇસ્લામી માર્ગદર્શન અને આધુનિક કે વર્તમાન તકાદાઓને દૃષ્ટિ સમક્ષ રાખી બદલવી પડશે. અને એક નવી શિક્ષણ વ્યવસ્થા અસ્તિત્વમાં લાવવી પડશે. આ એક લાંબાગાળાની યોજના છે, આનો કયાંય પ્રયોગ પણ નથી થયો, જેનાથી ફાયદો ઉઠાવી શકાય. વર્તમાન સંજોગોમાં આપણે આ સ્થિતિમાં નથી કે કોઈ નવી શિક્ષણ-નીતિ ઉપર અમલ કરી શકીએ. આથી જે કાંઈ કરી શકીએ છીએ તે આ જ કે વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં ઇસ્લામના શિક્ષણને અસરકારક સ્થાન આપવામાં આવે, અને એ સંસ્થાઓના ફારેગ થનારાઓમાંથી જ કેટલાકને દીનની ખિદમત અને પ્રગતિ માટે તૈયાર કરવામાં આવે. આ આખી સમસ્યા વિચારવાલાયક છે. આના પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવાનો આ મોકો નથી. રોજીનો સંબંધ પણ શિક્ષણ સાથે છે. તેના વિના આર્થિક વિકાસની કલ્પના મુશ્કેલીથી જ કરી શકાય છે. શિક્ષણણની સાથે સરકાર અને બિનસરકારી નોકરીની કલ્પના ઉભરે છે. તેની તકો મર્યાદિત છે. આનાથી હટીને પણ શિક્ષિત માણસ માટે રોજગારની શકયતાઓ અશિક્ષિત વ્યક્તિની સરખામણીમાં વધુ હોય છે. મુસમલાનોમાં આજે પણ એવા કાબેલ અને શિક્ષિત નવયુવાનો મોજૂદ છે કે તેમને આર્થિક સહાય પ્રાપ્ત થાય તો તેઓ આર્થિક દૃષ્ટિએ પગભર થઈ શકે છે, બલ્કે બીજાઓની મદદ પણ કરી શકે છે. આના માટે ઇસ્લામે આરોગ્ય અને મૂડી બંનેને મહત્ત્વ આપ્યું છે અને તેના ભરપૂર ઉપયોગનો આદેશ આપ્યો છે. તે વ્યક્તિને આર્થિક દોડધૂપ માટે પ્રોત્સાહન આપે છે અને તેની અંદર મહેનત અને મજૂરી તેમજ ભારે પરિશ્રમની લાગણી પેદા કરે છે કે માણસ પોતાના માટે તથા પોતાના પત્ની અને બાળકો તેમજ આશ્રય હેઠળના લોકો માટે જાઇઝ હદોમાં શકય પ્રયત્નો કરે. તેને તે સવાબનું કાર્ય ઠેરવે છે. કેટલીક વખતે માણસે જેટલી મહેનત કરવી જોઈએ અથવા જેટલી તે કરી શકે છે, તેમાં ઢીલ થાય છે. આના કારણે તે આર્થીક દૃષ્ટિએ કમજોર બલ્કે બીજાઓનો મહોતાજ થઈ જાય છે.

આની સાથે જ ઇસ્લામ સમાજમાં હમદર્દીનું વાતાવરણ પેદા કરે છે કે જે લોકો બેરોજગાર છે તેમને રોજગારથી લગાવે. આમાં શંકા નથી કે ઉમ્મતમાં કેટલાક લોકો અને કયાંક કયાંક સંસ્થાઓ આના માટે પ્રયત્નો પણ કરે છે પરંતુ સમસ્યા જેટલી મોટી છે એ દૃષ્ટિએ આ પ્રયત્નો બહુ ઓછા છે. જો આખી ઉમ્મત આ નક્કી કરી લે કે તેની કોઈપણ લાયકાત ધરાવતી કે કાબેલ વ્યક્તિ બેરોજગાર નહીં હોય તો તેમના અર્થતંત્રના બહેતર માર્ગો ખુલી શકે છે, પરંતુ આ પ્રકારની કોઈ મોટી અને વિસ્તૃત યોજના ઉમ્મત સમક્ષ નથી. આ અંગે વિચારવું જોઈએ.

પ્રશ્ન : મુસલમાનોની એકતામાં કઈ વસ્તુઓ અડચણરૃપ છે અને તેમના પર કેવી રીતે નિયંત્રણ મેળવી શકાય છે ?

ઉત્તર : અલ્લાહતઆલાએ દુનિયાના તમામ મુસલમાનોને એક ઉમ્મત બનાવ્યા, અને અલ્લાહના રસૂલ સ.અ.વ.એ આને ‘એક શરીર’ ઠેરવ્યા કે શરીરના એક ભાગને તકલીફ પહોંચે છે તો સમગ્ર શરીર તેનું દર્દ અને પીડા અનુભવે છે અને બેચેન વ્યાકૂળ થઈ જાય છે, આ ઉમ્મતનો અકીદો એક છે, તેની ઇબાદતો સમાન છે, તેનો નફો તથા નુકસાન એક છે. આથી તેણે પોતાની હરોળોમાં એકતા પેદા કરવા માટે તથા મતભેદ તથા વિખવાદથી દૂર રહેવાની તાકીદ કરવામાં આવી છે પરંતુ સમયની સાથે આ ઉમ્મત વિવિધ ગ્રંથ સંબંધિત ફિકહી (ધાર્મિક કાયદાઓ વિષયક) અને મસ્લકી સમૂહોમાં વિભાજિત થતી ગઈ. તેમની વચ્ચે મતભેદોએ એટલી તીવ્રતા ધારણ કરી લીધી છે કે તેમનું ખતમ થવું મુશ્કેલ છે. પરંતુ તેમ છતાં આ અહેસાસ પણ જોવા મળે છે કે આપણી વચ્ચે એકતા અને સંગઠન હોવું જોઈએ. ઉમ્મતની કોઈ વિશિષ્ટ વ્યક્તિ અને જાણીતી સંસ્થાને આનાથી મતભેદ નથી. બધા જ અનુભવે છે કે મતભેદોએ આપણને કમજોર કરી દીધા છે અને આપણું વજન નથી અનુભવાઈ રહ્યું.
આ ઉમ્મતની એકતાનો પાયો તેનું જીવન-ધ્યેય છે. કુઆર્ને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુંં કે આ ઉમ્મત દુનિયામાં નેકીનો હુકમ આપવા અને બૂરાઈથી રોકવા માટે સર્જવામાં આવી છે. તેણે અહીં સત્યની સાક્ષીની ફરજ અદા કરવાની છે. આ ધ્યેય દૃષ્ટિ સમક્ષ હોય, વિશાળ હૃદયતાથી કામ લેવામાં આવે અને નિખાલસ પ્રયત્નો હોય તો મતભેદો વચ્ચે પણ એકતાના માર્ગે નીકળી શકે છે.
ઉમ્મતની વચ્ચે ફિકહી મતભેદો પણ છે. એ મતભેદોમાં તીવ્રતા પણ જોવા મળે છે. જો કે આ મતભેદો ગૌણ છે. તેમનામાં તીવ્રતાનું ઔચિત્ય નથી. જો ઉમ્મતનો ધ્યેય દૃષ્ટિ સમક્ષ હોય અને એકતાની ભાવના મોજૂદ હોય તો આ મતભેદો છતાં આપણે સૌ સાથે મળીને ચાલી શકીએ છીએ. જમાઅતે ઇસ્લામીએ પોતાના વર્તુળમાં ફિકહી મતભેદોને ખતમ કરીને ઉમ્મતે તેના જીવન-ધયેય ઉપર એકત્ર કરવાનો પ્રયાસ કર્યો છે અને આમાં મોટી હદે તે સફળ છે. અહીં હન્ફી, શાફઈ, એહલે હદીસ એમ બધા જ મસ્કલ સાથે સંંબંધ ધરાવનારા લોકો હળી-મળીને દીનની દા’વત અને તેની પ્રગતિ કે સર્વોપરિતા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

રાષ્ટ્રીય સ્તરે મુસલમાનોની એવી સમસ્યાઓ કે જેમના મહત્ત્વથી ઇન્કાર નથી કરી શકાતો, તેમના વિશે સંગઠિત કે સંયુકત વલણ અપનાવવું જોઈએ. મુસ્લિમ મજલિસે મુશાવરત અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના રૃપમાં આનો પ્રયોગ થઈ ચૂકયો છે. આમની સાથે વિવિધ વિચારધારાના લોકો જોડાયેલા છે. આના સારા પરિણામો પણ જોવા મળી રહ્યા છે. આ સંસ્થાઓનો વર્તુળ વિસ્તૃત કરવા અને તેમને મજબૂત કરવાની જરૂરત છે. જે સમસ્યાઓ તેમના વર્તુળથી બહાર છે તેમના માટે કોઈ અન્ય સંયુકત પ્લેટફોર્મની રચના વિશે પણ વિચારી શકાય છે. જમાઅત આ પ્રકારની સમસ્યાઓમાં સંયુકત પ્રયત્નોનું સ્વાગત કરે છે અને દરેક પ્રકારના સહકાર માટે તૈયાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments