Thursday, April 25, 2024
Homeઓપન સ્પેસસમસ્યાઓના ઉકેલ માટે આગળ આવો ...

સમસ્યાઓના ઉકેલ માટે આગળ આવો …

કોઈએ કહ્યું છે કે પહેલાં દુનિયા મિત્રો અને દુશ્મનોમાં વિભાજીત હતી. જુદા-જુદા વિસ્તારો એક બીજાને દુશ્મન સમજતા હતા. પરંતુ જમાનાના પરિવર્તનની સાથે જ હવે ન તો વ્યક્તિ અને ન જ વસાહતને દુશ્મન અને દોસ્ત સમજવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં બધા એક બીજાના મિત્રો છે અને એક બીજાના હરીફ અને આગળ વધવા વાળા (Competitor) પણ. હવે લોકોમાં પણ અને સમૂહો, દેશો અને વસાહતોમાં પણ એક-બીજાથી આગળ વધવામાં લોકોનો મોહ ખૂબ વધી ગયો છે. સામાન્ય માણસ જેને રાષ્ટ્રીયસ્તરે ફેંસલાઓથી દૂર રાખવામાં આવતો હતો, હવે શાસનકર્તાઓ તેમને ફેંસલાઓમાં ભાગીદાર બનાવવા માટે લાચાર બન્યા છે. આ બે મૂળ વિચારોને દૃષ્ટિ સમક્ષ રાખીને વર્તમાન કાળના સંબંધોમાં પરિવર્તન પણ નજર રહેવી જોઈએ. જેના લીધે જ વાસ્તવમાં આ પરિવર્તન આવ્યું છે. મહત્વની વાત એ છે કે જ્યારે પહેલાં જાતિવાદ, રંગ અને વંશવાદ, ધર્મ અને પંથોના પાયા ઉપર માણસો વચ્ચે ભેદભાવ કરવામાં આવતો હતો, ત્યાં હવે લોકો જોઈ રહ્યા છે કે વિકાસશીલ દેશોમાં લાયકાત, ચાલચલગત અને કાર્યકુશળતાના આધારે પ્રગતિ કરવાની તકો સૌને ઉપલબ્ધ છે. આથી આ અપ્રાકૃતિક સામાજીક વિભાજન ઉપર આધારિત સમાજના પછાત વર્ગના અને બીજા નબળા વર્ગોના લોકોની માગ છે કે તેમની સાથે પણ એવો જ વ્યવહાર કરવામાં આવે. આ પૂર્ણ પરિપેક્ષ્યમાં જોઈએ તો સંબંધ જે પહેલાં ઘણો જ મહત્વનો હતો તે હવે વધારે મહત્વપૂર્ણ બની ગયો છે. સંબંધ ન માત્ર વ્યક્તિ સાથેનો જ, પરંતુ તેના વિચારો, દૃષ્ટિકોણ, અને રાત-દિવસની પ્રવૃત્તિઓ સંબંધે પણ. ઉન્નતિ, સુખ, શાંતિ અને સફળતા માટે આ જરૂરી છે કે દેશના સૌ નાગરિકોના સંબંધો ખૂબજ મજબૂત, સુદૃઢ હોય. હવે આ સંબંધ જેટલો વધારે મજબૂત હશે તેટલા પ્રમાણમાં તેના સ્થાયી પરિણામો પણ પ્રગટ થઈ શકશે.

બીજી તરફ આ પણ વાસ્તવિક્તા છે કે ઇસ્લામ અને ઇસ્લામી શિક્ષણનો ફેલાવો કરવાવાળાઓને અંતિમ કક્ષાએ અપમાનિત અને બદનામ કરવાની વિવિધ યુક્તિ પ્રચલિત થઈ ગઈ છે. આ આક્રમણમાં અગ્રક્રમે તે લોકો છે, જેઓને ઇસ્લામ અને ઇસ્લામી શિક્ષણ પ્રત્યે નફરત છે. આ નફરત શું કારણથી છે? તેના વિવિધ કારણો હોઈ શકે છે. અજ્ઞાનતા, ઈર્ષા, દ્વેશભાવ, સત્તાનો નશો, અથવા તે સત્તા જે તેમના હાથમાં આવવાની આશા છે વિગેરે. વિવિધ કારણો સંભવી શકે છે. પરંતુ આ નફરત કરનારાઓના પણ બે જુથ છે. એક તે શાસનકર્તાનો સમૂહ અને સરકારો જેને આપણે યહૂદી અને ઈસાઈ અને તેમના સાથીઓ તરીકે ઓળખીએ છીએ. ત્યાં જ બીજી તરફ પરસ્પરની દુશ્મનીમાં ગ્રસ્ત મુસલમાનોના તે વ્યક્તિઓ અને જૂથો છે જેમના ઇસ્લામને બદનામ કરવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનાથી ઉલ્ટુ ઇસ્લામી તાલીમની રોશનીમાં આ દુનિયા બુરાઈ અને ભલાઈ માટેનું પરીક્ષાગૃહ છે અને આપણે સૌ આ પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છીએ. હવે આ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા માટેની રીત એ છે જે પરીક્ષા લેનારે બતાવી છે, તે પ્રમાણે વર્તન કરવામાં આવે. કુઆર્ન અને હદીસની રોશનીમાં શાંતિપૂર્વક રહેવાનો માર્ગ એ કંઈ મસ્લેહતની વાત નથી પરંતુ હકીકતમાં ઇસ્લામી શિક્ષણ એ વાતને સ્વીકારતી જ નથી કે તાકાત, જુલ્મ અને અત્યાચારનો માર્ગ અપનાવવામાં આવે. આ જ વાસ્તવમાં મૂળ નિયમ (ઇસ્લામિક સિદ્ધાંત) છે. તેનું સ્પષ્ટ ઉદાહરણ નબીએ કરીમ સ.અ.વ.ની મક્કાની જીંદગી છે અને તે જમાનામાં મુસલમાનો ઉપર ગુજારવામાં આવેલા જુલ્મો, અત્યાચારો અને અગણિત ત્રાસદાયક બનાવો છે. અનુભવ એ છે કે જે જગ્યાએ અને જે સમુહ તરફથી પણ જુલ્મ અને અત્યાચારનું આચરણ થાય છે તેમની અંદર બૌદ્ધિક દલીલ અને માનવ મૂલ્યોની સ્વિકૃતિ સમાપ્ત થઈ જાય છે. આશરે ૧૯૬૫ અથવા ૧૯૬૬ની વાત છે. કેટલાક આરબ યુવાનોએ મૌલાના મૌદુદી રહ.થી રિયાધમાં મુલાકાત કરી. તેઓએ મૌલાનાને કહ્યું કે ‘આપ આપના દેશમાં ચૂંટણીમાં ભાગ લઈ શકો છો અને ચૂંટણીમાં ભાષણો કરી શકો છો. આપના દેશમાં લોકશાહી છે. પરંતુ અમે લોકો તો આ બધુ નથી કરી શકતા. તેથી અમે લોકો ગુપ્ત રીતે આંદોલન ચલાવવા માટે મજબૂર છીએ અને જ્યારે ગુપ્ત આંદોલન કરીશું તો તેમાં અત્યાચારનો તો ઉપયોગ કરવા પડશે.’ તો મૌલાનાએ ફરમાવ્યું, આપ આ તરીકાથી જે પરિવર્તન લાવશો તે પદ્ધતિ ઇસ્લામી હોઈ શકતી નથી. તેનું કારણ એ છે કે આ પદ્ધતિથી જે સત્તા પ્રાપ્ત કરશે તે સત્તા ટકાવી રાખવા માટે એ જ પદ્ધતિ પ્રમાણે વર્તન કરશે. આપે એવા અસંખ્ય આંદોલનો જોયા હશે. એવા આંદોલનમાં સૌથી પહેલાં જે વ્યક્તિ માર્યો જાય છે તે આંદોલન ચલાવનારનો સૌથી નજીકનો મિત્ર હોય છે. એવું શા માટે થાય છે? તે આંદોલન અથવા પરિવર્તન જે ગુપ્ત ચળવળો અને અત્યાચાર દ્વારા આવે તેમાં આ બહુ મહત્વનું હોય છે કે કોઈ વ્યક્તિ દુશ્મન સાથે મળી રહ્યો ના હોય, કોઈ તેની બાતમી પહોંચાડતું ન હોય, કોઈ પોતે સત્તામાં આવવાના પ્રયત્નો કરી રહ્યું ન હોય. જો આ વાતનો શક પેદા થાય છે તો કતલ સિવાય તેને ચૂપ કરવાનો બીજો કોઈ માર્ગ હોતો નથી. સારાંશ કે તેમણે કહ્યું કે આપણે જે પરિવર્તન ઇચ્છીએ છીએ, તે એ શાસનકર્તાઓના માધ્યમથી આવી શકે છેે જે ખુશીથી ઇસ્લામના આદેશોે કબુલ કરે. અર્થાત આ ઇસ્લામની રોશનીમાં જેનો અર્થ જ ‘શાંતિ’ છે. માટે શાંતિ અને સંતોષ કાયમ રાખીને વર્તમાન સમયની ચાલુ વ્યવસ્થા તંત્રની સુધારણા માટેની શાંતિમય રીતે પુરી કોશીશ અને જદ્દોજહદ કરવી જોઈએ.

સંબંધોની અગત્યતા અને વ્યવસ્થા તંત્રની શાન્તિપૂર્ણ રીતે સુધારણા કરવાવાળાઓની નજર સમક્ષ આ હકિકત પણ સ્પષ્ટપણે રહેવી જોઈએ કે આજે આદમી જે સમસ્યાઓથી પ્રભાવિત છે તે કોઈ પંથ કે ધર્મની સમસ્યાઓ નથી. પરંતુ તમામ માનવોની સમસ્યાઓ છે. ઉદાહરણ રૃપે જો કુટુંબની વ્યવસ્થાનો નાશ થઈ રહ્યો છે તો એ ફકત કોઈ ખાસ દેશ અથવા ધર્મ કે પંથની સમસ્યા નથી, આ સમસ્યાથી બધા જ ધર્મો અને વર્ગો અને દૃષ્ટિકોણોથી સંબંધ ધરાવનારા લોકો પ્રભાવિત છે. એવી જ રીતે લડાઈ-ઝઘડા, જુલ્મ અને અત્યાચાર, અન્યાય અને સુખ-ચેન અને શાંતિની સમાપ્તિથી બધા જ લોકો પ્રભાવિત છે. વળી અમીર અને ગરીબ વચ્ચે અન્યાયપૂર્ણ રીતે વધતી જતી ખાઈથી પણ લોકો પ્રભાવિત છે. એમાં ધાર્મિક દૃષ્ટિકોણ અને પંથના પાયાઓ ઉપર કોઈ પણ પ્રકારનું વિભાજન તમે જોવા નહી પામશો. સિવાય એના કે તેઓ બધા મહત્વની સમસ્યાથી પ્રભાવિત હોય. વળી રાજકિય, આર્થિક, અને સામાજિક સ્તરની સમસ્યાઓ જેવી કે વ્યભિચાર, બળાત્કાર, નગ્નતા ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ પણ છે, જેનાથી દેશનો દરેક વર્ગ પ્રભાવિત છે. આ પરિસ્થિતિમાં આમ ન કહી શકાય કે આ સમસ્યાઓનો ઉકેલ જે દુનિયાના તમામ દેશો અને ખાસ દેશના તમામ નાગરિકોનો પ્રશ્ન છે તે થોડા લોકોના હાથમાં છે. આનાથી વિપરીત આ સમસ્યાઓથી પ્રભાવિત આપ પણ છો અને તે પણ. અર્થાત બંને છે. માટે સમસ્યાના હલ માટે પણ બંને એે હળી-મળીને પ્રયત્ન કરવો પડશે અને જો એ પ્રમાણે કરવામાં નહીં આવે તો અર્થાત્ બંને મળીને પ્રયત્ન નહીં કરે તો સમસ્યાના ઉકેલમાં જેનો જેટલો પ્રમાણમાં હિસ્સો હશે તેટલા પ્રમાણમાં લાભાન્વિત થવાનો હકદાર પણ તે જ હશે. આવી પરિસ્થિતિમાં નિષ્ક્રિયતાથી ગ્રસ્ત લોકોએ કોઈપણ પ્રકારની ફરિયાદ કરવી જોઈએ નહીં.

અને અંતિમ વાત એ કે જ્યારે આ વાતનો અહેસાસ થઈ જાય કે માનવીઓની સમસ્યાઓ, માનવીઓના મેળ-મિલાપ અને પરસ્પર સહકાર અને સંગઠનથી જ ઉકેલી શકાય છે તો તે સમયે એ વાતની પણ સમીક્ષા થવી જોઈએ કે આપણી કોશિશોનો હેતુ અને કેન્દ્રબિંદુ શું છે? શું અમારી કોશીશો સરકાર અને શાસનકર્તાઓના વિરૂદ્ધમાં વાદ-વિવાદમાં ખર્ચ થઈ રહી છે? અથવા અમારા ધ્યાનનું મુખ્ય કેન્દ્ર સામાન્ય જન છે. હકિકત આ છે કે મુસલમાનોની બહુમતિ સમસ્યાઓથી જ બેચેન છે. ત્યાં જ બીજી તરફ જે લોકો સમસ્યાઓ અને તેના હલ માટેની વાતો કરે છે તેમની કોશિશોનો ત્રીજો ભાગ સહાયતા એકત્ર કરવામાં અને બીજા બે ભાગ કામ-ચલાઉ અને હંગામી કામોમાં અને સરકાર સાથે વાદ-વિવાદમાં પરો થઈ જાય છે. સામાન્ય લોકો જે વાસ્તવમાં અમારા ધ્યાનનું મુખ્ય કેન્દ્ર હોવા જોઈએ. જેના સાથે સંબંધોની શરૃઆતથી લઈને સમસ્યાઓના હલ સુધી લગાતાર અને સતત સંબંધો અને સાથ-સહકાર અને સંગઠન હોવું જોઈએ. તે કમજોર દેખાય છે. આથી આ પરિપેક્ષ્યમાં ઇસ્લામી શિક્ષણના પ્રચાર-પ્રસારના કામમાં પ્રવૃત્ત રહેવાવાળાઓએ જાણવુ જોઈએ કે તે ચિંતન કરે, નિરિક્ષણ કરે અને જાતની તપાસ કરવાની સાથે ઉમ્મતનું સામુહિક નિરીક્ષણની પણ વ્યવસ્થા કરે કે વ્યક્તિગત અને સામૂહિક રીતે આપણે અન્યોના હરીફ અને આગળ વધવામાં ક્યા સ્તરે છીએ? જો આનો સંતોષકારક જવાબ મળી જાય તો બહુ જ સરસ! પરંતુ જો જવાબ શક્ય ના હોય તો પછી નિશ્ચિતરૃપથી એક મનુષ્યના નાતે મનુષ્યોની સમસ્યાઓ અને તેના હલ માટે ઊભા થઈ જવું જોઈએ. વાસ્તવમાં આ જ આપણા અસ્તિત્વ અને ઓળખને ટકાવી રાખવાનું માધ્યમ બનશે. નહીંતર બીજી રીતમાં આપના માટે આ જ સારૃ રહેશે કે આપ રાષ્ટ્રિય સ્તરે અને આંતરરાષ્ટ્રિય સ્તરે વધારે અપમાનિત અને ફજેત થવા માટે તૈયાર થઈ જાઓ, કેમકે જડતા (નિષ્ક્રિયતા)નું પરિણામ પડતી જ છે, અને પડતીનું નિશ્ચિત પરિણામ દરેક સ્તરે પરાધિનતા જ હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments