Friday, March 29, 2024
Homeપયગામઇસ્લામી ઓળખની અભિવ્યક્તિ અને તેનો આગ્રહ

ઇસ્લામી ઓળખની અભિવ્યક્તિ અને તેનો આગ્રહ

સીએએ અને એનઆરસી-એનપીઆર સામે ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનોના અભિયાનમાં એક પ્રશ્ન હમણા કેટલાક દિવસોથી ખૂબ ઉભરી રહ્યો છે. તે છે ઇસ્લામી ઓળખની અભિવ્યક્તિ અને તેનો આગ્રહનો પ્રશ્ન. આ પ્રશ્ન પર વિશેષરૂપે નવયુવાનો દરમ્યાન ગરમાગરમ ચર્ચાઓ થઈ રહી છે અને તેમાં અતિશયોક્તિનું પ્રદર્શન પણ થઈ રહ્યું છે.

મુસલમાનો આ દેશનો એક ભાગ છે અને ઇસ્લામ પર સંપૂર્ણપણે અમલ કરીને અને ઇસ્લામી ઓળખ અને ઇસ્લામી માન્યતા સાથે તેઓ આ દેશનો ભાગ બની રહેવા ઇચ્છે છે. તેઓ ભારતના નાગરિકો છે અને દુનિયાની કોઈ શક્તિ તેમને આ નાગરિકતા અને ભારતીય નાગરિકની ઓળખથી વંચિત કરી શકતી નથી. એ રીતે તેઓ ઇસ્લામનો કલેમા પઢતા મુસલમાનો છે અને દુનિયાની કોઈ શક્તિ તેમને ઇસ્લામી ઓળખ અને ઇસ્લામી માન્યતાથી વંચિત કરી શકતી નથી. (ઇન્શા-અલ્લાહ) તેમની નાગરિકતા અને દેશથી તેમના સંબંધને જે લોકો પડકારી રહ્યા છે, તેમનો તેઓ ભરપૂર સામનો કરી રહ્યા છે અને કરતા રહેશે. પરંતુ તેના માટે તેમને પોતાની ઇસ્લામી ઓળખ પર કોઈપણ પ્રકારે ક્ષમાયાચના માગવાની કે ખેદ વ્યક્ત કરવાની જરૂર નથી. બીજા ધર્મોની જેમ ઇસ્લામ આ દેશનો અને અહીંની ધરોહરનો મહત્ત્વનો ભાગ છે અને ઇસ્લામ પર અમલ કરવો અને કાયમ રહેવું પ્રત્યેક મુસલમાનનો મૂળભૂત માનવીય અને બંધારણીય અધિકાર છે. દેશથી વફાદારી અને દેશબંધુઓથી સુખદ અને મધુર સંબંધનો એ તકાદો કદાપિ નથી કે તેઓ પોતાના ધર્મ અને ઈમાનને ત્યજી દે અથવા તેના સંદર્ભમાં કોઈપણ પ્રકારના સમાધાન માટે તૈયાર થાય.

મુસલમાનો પોતાના દેશબંધુઓના એ અધિકારનો સ્વીકાર કરે છે અને માને છે કે તેઓ પોતાના ધર્મ અને પોતાની આસ્થા અનુસાર જીવન વીતાવી શકે છે, એ જ રીતે એ અધિકાર તેઓ પોતે ધરાવે છે. સુખદ અને મધુર સંબંધોનો અર્થ આ અધિકારને ત્યજી દેવાનો નથી, બલ્કે તેનું સન્માન કરવાનો છે. પ્રત્યેક બિનમુÂસ્લમને એ હક્ક છે કે તે પોતાની આસ્થા અનુસાર પ્રાર્થના કરે, ઉપાસના કરે, નારા લગાવે, ભોજન અને પોશાક અપનાવે તથા રીત-રિવાજાનું અનુસરણ અને પાલન કરે. પરંતુ પોતાની પ્રાર્થનાઓ, પોતાના નારાઓ અને સૂત્રો, પોતાની ધાર્મિક ઓળખો અને પ્રતીકોને બીજા લોકો પર થોપવા અને તેના સંદર્ભમાં બળજબરી કરવાનો કોઈ હક્ક તેને પ્રાપ્ત નથી. એ જ રીતે પોતાની આસ્થા અને પરંપરાઓ અનુસાર જીવન વીતાવવાનો હક્ક પ્રત્યેક મુસલમાનને પણ પ્રાપ્ત છે અને તેના માટે પણ એ ઉચિત નથી કે તે પોતાના કલેમા, પોતાના નારાઓ અને સૂત્રો કે પોતાની ઓળખને બીજાઓ પર બળજબરીથી થોપે. ન ઇસ્લામ તેની પરવાનગી આપે છે અને ન સામાન્ય રીતે કોઈ મુસલમાન તેનું આચરણ કરે છે. પરંતુ દુર્ભાગ્યે આ દોષિત સ્વભાવના ચિહ્નો મુસલમાનોમાં પણ દેખાવા લાગ્યા છે કે તેઓ દેશબંધુઓથી સારા સંબંધો માટે ધાર્મિક અને વૈચારિક ઓળખ પર ગંભીર પ્રકારના સમાધાન માટે તૈયાર થઈ જાય છે. સુખદ સંબંધો માટે તમારે પોતાની આસ્થા વિરુદ્ધ ધાર્મિક રીત-રિવાજામાં સામેલ થવું પડે, આસ્થાથી ટકરાતા નારાઓ લગાવવા પડે અથવા પોતાને હિંદુ કહેવડાવવા પડે, તો આ કાર્ય ધાર્મિ સહિષ્ણુતાને નહીં, બલ્કે અસહિષ્ણુતાને પ્રોત્સાહિત કરવાનું કારણ બને છે. આ વલણનો અર્થ એ જ હશે કે તમે સ્વીકાર કરી લીધો કે આ દેશમાં પોતાના ધાર્મિક મૂલ્યોની સાથે તમે સ્વતંત્ર જીવન નથી વીતાવી શકતા.

આની પ્રતિક્રિયામાં બીજું અંતિમ વલણ એ છે કે ગમે તે અવસરે અસંબંધિત નારાઓ અને ઇસ્લામી ઓળખોના કૃત્રિમ અને ભાવનાત્મક રીતે એલાન અને અભિવ્યક્તિનું ચલણ પણ શરૂ થઈ ગયું છે. ઓળખની જાહેરાત અને અભિવ્યક્તિ અંગે આપણા નવયુવાન મિત્રોના જોશ અને લાગણીની આપણે કદર કરવી જાઈએ. વર્તમાન પરિસ્થિતિમાં આ આત્મ-વિશ્વાસ અને સાહસ ઉમ્મત માટે ખૂબ જ કીમતી વારસો છે. પરંતુ આપણે એ વાત પણ સારી રીતે સમજવી જાઈએ કે આજે ખરી લડાઈ કઈ વાતની છે ? અત્યારે ફાસીવાદી બળોનો તાત્કાલિક હુમલો આપણે ઇસ્લામી ઓળખ પર નથી, બલ્કે આપણી ભારતીય ઓળખ પર છે. સાંપ્રદાયિક અને કોમવાદી શક્તિઓ ઇચ્છે છે કે આ દેશના મુસલમાનો બાકી બીજા ભારતીયોથી અલગ થઈ જાય. હિંદુ, સિખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, પારસી સૌ આ દેશની સંતાનો છે અને મુસલમાનો ‘ગેર’ છે. આ પૃથકતા અને અન્યત્વ (Otherness)ની ભાવનાને પેદા કરવી, તેને પ્રોત્સાહિત કરવી અને ફેલાવવી તથા તેને આ દેશના વિચાર અને સ્વભાવમાં દૃઢ રીતે અંકિત કરી દેવી એ સાંપ્રદાયિક અને કોમવાદી પ્રોજેક્ટનો હાલ સૌથી મહત્ત્વનો એજન્ડા છે. તેઓ ઇચ્છે છે કે મુસલમાનોની ટોપીઓ, દાઢીઓ, તેમની ધાર્મિક ઓળખો અને નારાઓનું પ્રદર્શન થાય તથા પ્રદર્શનની સાથે-સાથે અલગતા, અજનબીપણું અને દેશથી અલગાવની નિશાનીઓ બની જાય. હાલ તમામ નેરેટિવ એ જ છે કે મુસલમાનો, તેમના પ્રતીકો, તેમની માંગણીઓ, તેમના વિરોધો, તેમના કેન્દ્રો બધું જ અલગાવવાદની, બલ્કે દુશ્મનીનું પ્રતીક બની જાય, અને લોકો માનવા લાગે કે તેઓ ભારત અને તેની મૂળ ધારાથી અલગ, બલ્કે સંઘર્ષ, વિરોધ અને અથડામણની ધારાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનાથી સંબંધ અને તેમના સાથે સહાનુભૂતિ એક ગુનો અને વિદ્રોહ છે.

આ પરિસ્થિતિના સામનાની રીત એ છે કે આપણે આપણી ઇસ્લામી ઓળખ પર કોઈ દોષિત ભાવનાના ભોગ ન બનીએ અને ન તેને છુપાવવાની કોશિશ કરીએ. પરંતુ તેને ઉભારવાની એવી પદ્ધતિઓ કદાપિ ન અપનાવીએ, જે બીજાઓની કોમવાદી ભાવનાઓને ફેલાવવાવાળી અને આપણને પૃથક કરી દેવામાં મદદ કરવાવાળી હોય. અત્યારે ખરી જરૂર એ જ છે કે આપણે દેશના સામાન્ય લોકોને પોતાનાથી નજીક કરીએ, સમાન મૂલ્યોની ભાવના તેમનામાં મજબૂત કરીએ અને એ કલ્પનાને દૃઢ કરીએ કે આપણે પણ ભારતના નાગરિકો અને તેમના દેશબંધુઓ છીએ. જે રીતે કુર્આને પયગંબરોને પોતાની જાતિઓના ભાઈ કહ્યા છે (જેમ કે – મદયનની જાતિમાં, આદની જાતિમાં, સમૂદની જાતિમાં અનુક્રમે તેમના ભાઈ શુઐબને, હૂદને અને સાલિહે પયગંબર બનાવીને મોકલ્યા). એ ભાવના અહીં રહેવાવાળા બધા લોકોમાં હૃદયમાં ઊંડે સુધી ઊતરી ગયેલ હોય કે મુસલમાનો પણ વતનના સંબંધથી તેમના ભાઈ અને તેમના પોતાના છે. તેના માટે જ્યાં એ જરૂર છે કે આપણે એક કદમ આગળ વધીને દેશબંધુઓને ગળે લગાવીએ, ત્યાં એ પણ આવશ્યક છે કે કોમવાદી અને સાંપ્રદાયિક ભાવનાને ભડકાવનારા અને અંતર પેદા કરનારા વલણથી બચીએ.

નારાઓમાં વિશેષરૂપે ભાવનાઓનો ઉભરો ખૂબ મજબૂત હોય છે. વર્તમાન પરિસ્થિતિમાં નારાઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. નારાઓ એવા હોવા જાઈએ, જે અત્યારના મૂળ પ્રશ્નથી સંબંધિત હોય. નારાઓ ન તો અનેકેશ્વરવાદી હોય, ન આપણી આસ્થા, પરંપરા અને મૂલ્યોથી ટકરાતા હોય, અને ન એવા હોય, જે બીજાઓની પક્ષપાત અને કોમવાદી ભાવનાઓને ઉત્પ્રેરિત કરનારા હોય; બલ્કે નારાઓ મુસલમાનોના, અહીંના તમામ રહેવાસીઓ સાથે સંબંધને મજબૂત કરવાવાળા હોય અને એ વૈશ્વિક માનવીય મૂલ્યો અને સદાચારનું પ્રતિનિધિત્વ  કરવાવાળા અને તેને દૃઢતા પ્રદાન કરવાવાળા હોય, જે વિભિન્ન ધર્મોને માનવાવાળા ભારતીયોને જાડવાનું કારણ બનતા હોય અને જેની સ્પષ્ટતા દેશના બંધારણમાં પણ છે.

જ્યાં સુધી ધાર્મિક અને ઇસ્લામી ઓળખથી સંબંધિત નારાઓનો પ્રશ્ન છે, ‘અલ્લાહુ અકબર’નો નારો તો સૃષ્ટિના પ્રભુ-પાલનહારની મહાનતાની ઘોષણા છે. તેમાં શું વાંધો હોઈ શકે છે ? તેનો સંબંધ તો આપણા ઈમાન અને આસ્થાથી છે. નિરંતર ‘તકબીર’ (પ્રભુ-પાલનહારનો મહિમાગાન) તો એક મુસલમાનની મૂળ જવાબદારી અને તેનું કર્તવ્ય છે. પરંતુ દેશના નજીક ઇતિહાસમાં આવા નારાઓનો એ રીતે દુરુપયોગ થયો છે કે એક સામાન્ય બિનમુસ્લિમ માટે આ કોમવાદી અને સાંપ્રદાયિક ટકરાવ વખતે બોલવામાં આવનાર લશ્કરી નારો બની ગયો છે. ‘લાઇલાહ ઇલ્લલ્લાહ’ તો ઇસ્લામના સંદેશનો આધાર છે. પરંતુ દેશની સામૂહિક માનસિકતા તેને પાકિસ્તાનના આંદોલનથી જાડીને જુએ છે. દુર્ભાગ્યે મુસલમાનોએ એ સંદેશને સમજાવવાનો ગંભીર પ્રયાસ ખૂબ ઓછો કર્યો છે, જેનું આ કલેમા (બોલ) પ્રતિબિંબ પાડે છે. તેથી પરસ્પર સંવાદ અને ગંભીરપણે સંદેશ-પ્રચાર અને આમંત્રણના બદલે જ્યારે આ કલેમાઓ, નારાઓના રૂપમાં બોલવામાં આવે છે, તો તેનાથી કોમવાદી ભાવનાઓ બળવત્તર બને છે, પૃથકતાવાદની ભાવનાને પ્રસરવાની તક મળે છે અને એ અસર જડ પકડે છે કે મુસલમાનો સામાન્ય રીતે ભારતીયોથી અલગ છે. અત્યારે જરૂર એ વાતની છે કે ‘લા ઇલાહ ઇલ્લલ્લાહ’ અને ‘અલ્લાહુ અકબર’ જેવા કલેમાઓ અને ઇસ્લામી પ્રતીકો ગંભીરપણે ઇસ્લામી આમંત્રણ અને ગહન સંવાદ અને પરિચર્ચાઓનો વિષય બને, ભાવનાત્મક નારાઓનો નહીં. એ લોકોને જાડવાવાળા અને તેમના મનો-મસ્તિષ્કને અપીલ કરવાવાળા કલેમાઓ બને, કોમવાદ અને સાંપ્રદાયિકતાની નિશાનીઓ અને રાજકીય અભિયાનોના વિષય ન બને. આ કલેમાઓને લાંબા ગાળા અને ધૂર્યપૂર્ણ ઇસ્લામી આમંત્રણનો આધાર બનાવવા જાઈએ, રાજકીય ખેંચતાણ અને ઘર્ષણના કોલાહલના વાતાવરણમાં રાજકીય ઓળખની અભિવ્યક્તિનું માધ્યમ નહીં.

આ પ્રકારના અભિયાનો પણ આપણને એ તક ઉપલબ્ધ કરાવે છે કે આપણે કુર્આન અને સુન્નતનો સંદેશ ગંભીરતાથી પ્રસ્તુત કરીએ. ઇસ્લામની માનવતા-પ્રિય શિક્ષાઓને ફેલાવીએ. લોકોને બતાવીએ કે ઇસ્લામ કેવી રીતે અન્યાય અને અત્યાચારને નાબૂદ કરે છે, બધા મનુષ્યોને સ્વતંત્રતા અને સમાનતા પ્રદાન કરે છે, માનવો દરમ્યાન ભાઈચારો અને પ્રેમ પેદા કરે છે. એ હકીકતની અભિવ્યક્તિ કરે કે તમામ મનુષ્યો એક ઈશ્વરના સર્જનો અને તેના દાસ છે, એક માતા-પિતાની સંતાન છે. સમય અને સંજાગો જાઈને પોતાના મૂલ્યો અને સિદ્ધાંતો તરફ એ રીતે લોકોનું ધ્યાન આકર્ષિત કરે કે સામાન્ય ભારતવાસીઓ વચ્ચે આ મૂલ્યો અને સિદ્ધાંતો માટે આદર અને સન્માનની ભાવના ઉત્પન્ન થાય.

ઇસ્લામી ઓળખની  અભિવ્યક્તિ અને જાહેરાતની પવિત્ર ભાવનાને જા આ દિશા આપવામાં આવે, તો તેનાથી આ અભિયાન અને સંઘર્ષને ઉશ્કેરાટ અને ભાગલા અને પૃથકતા પેદા કરનાર પદ્ધતિથી બચાવી શકીશું, અને અલ્લાહ તરફ બોલાવવાની આપણી જવાબદારીને પણ અદા કરીશું. (ઇન્શા-અલ્લાહ) ટૂંકમાં, હકીકત પણ એ જ છે કે ઇસ્લામી ઓળખ વાસ્તવમાં કેવળ એક કોમી કે કોમવાદી ઓળખ નથી, બલ્કે એક વૈચારિક, દા’વતી (મિશનરી) અને કર્તવ્યનિષ્ઠાની ઓળખ છે. •

 (ઉર્દુથી અનુવાદ : મુહમ્મદ જમાલ પટીવાલા)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments