Saturday, July 27, 2024
Homeસમાચારજમાઅતે ઇસ્લામી હિંદની ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હી રમખાણો દરમિયાન વહીવટીતંત્ર અને...

જમાઅતે ઇસ્લામી હિંદની ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હી રમખાણો દરમિયાન વહીવટીતંત્ર અને મશીનરીની નિષ્ફળતા, બકરી ઈદ અને આર્થિક સંકટ પર સંબોધન

નવી દિલ્હી: જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા આયોજીત ઓનનલાઇન પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જમાતનાં ઉપપ્રમુખ ડો. પ્રો.સલીમ એન્જિનિયર સાહેબે વિવિધ વિષયો પર પોતાની વાત મૂકી હતી. લઘુમતી પંચ દ્વારા ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણો અંગે રચાયેલી સત્ય શોધક સમિતિના ચોંકાવનારા તથ્ય શોધનારા અહેવાલ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે પોલીસ અને સરકારના પક્ષપાતી વલણ અને પોલીસની એકપક્ષીય કાર્યવાહીના કારણથી આ તોફાનોને વેગ મળ્યો હતો અને દુષ્કર્મીઓને મોકો મળ્યો હતો. દુર્ભાગ્યપૂર્ણ પાસું એ છે કે રમખાણો દરમિયાન તેમને કેટલીક જગ્યાએ તેમના ઓળખ કાર્ડ બતાવવા કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને ધર્મ અને માન્યતાના આધારે નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસે ઘણા પીડિતોની ફરિયાદો નોંધી નથી. પોલીસે મોહન નર્સિંગ હોમ ફાયરિંગ જેવા ગંભીર અકસ્માતને પણ અવગણવામાં આવ્યો. દિલ્હી લઘુમતી આયોગના અહેવાલે પુષ્ટિ આપી છે કે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની મશીનરી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, કારણ કે તે પોલીસની જવાબદારી છે અને પોલીસ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ છે, તેથી બંનેની જવાબદારી બને છે.

બકરી ઈદ વિશે વાત કરતાં પ્રો.સલીમ સાહેબે જણાવ્યું હતું કે, “જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા ગૃહ પ્રધાન અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને તેઓને રોગચાળાના રોગો દરમિયાન બકરી ઈદની અદાયગીની સરળતાને સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે, અને કહ્યું હતું કે કુર્બાની ઈદુલ અઝહાના દિવસોની સૌથી મહત્વપૂર્ણ ઈબાદત છે અને તેનો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં. તેથી, રાજ્ય સરકારોએ બકરા બજાર એસોસિએશનને સત્તાવાર રીતે મંજૂર પ્રાણીઓના વેચાણ અને ખરીદી માટેની સુવિધાઓ આપવી જોઈએ. આ સ્થળોએ જ્યાં જાનવરોની કુરબાની માટે કડક સાવચેતીનાં પગલાં જરૂરી છે, કોમ્યુનિટી કુરબાની સેન્ટર સ્થાપિત કરવું જોઈએ અને તમામ કુરબાનીની પ્રવૃત્તિઓ ઉચ્ચતમ ધોરણે કરવી જોઈએ અને આરોગ્યની તકેદારી રાખવી જોઈએ. જ્યાં સુધી બકરી ઈદની નમાઝનો સવાલ છે તો સામાજિક અંતરના તમામ સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે. વહીવટીતંત્ર સંબંધિત બાબતોમાં સ્થાનિક વહીવટીતંત્રની મદદ લેવી જોઈએ અને એવું કોઈ પણ કામ ન કરવું જોઈએ જે વહીવટીતંત્રને અડચણરૂપ બને. પરંપરાગત મેળ-મિલાપને ટાળવું જોઈએ. જમાઅતે ઇસ્લામી હિંદની મુસ્લિમ શરિયા કાઉન્સિલે આ પહેલા જ બકરી ઈદ વિશે એક માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે, જેમાં તમામ જરૂરી સૂચનાઓ છે.

દેશની આર્થિક પરિસ્થિતિ અને રોગચાળાના યુગમાં આ પડકારનો સામનો કરવા માટે સરકારના અભિગમ પર ચિંતા વ્યક્ત કરતાં પ્રોફેસર સલીમ સાહેબએ જણાવ્યું હતું કે લોકડાઉનથી સ્થળાંતર કામદારો માટે સંકટ સર્જાયું છે, અને ભારતનો પુરવઠો અને માંગ બંને હચમચી ઉઠ્યા છે. દેશમાં મોટા પાયે વ્યવસાય બંધ છે અને ઉદ્યોગ અને સેવાઓ બંને ક્ષમતાની નીચે કાર્યરત છે. સ્વાભાવિક છે કે, આનાથી દેશના અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી રહી છે. માંગ વધારવા અને ક્રેડિટ સપ્લાયના વાતાવરણમાં સુધારો લાવવા સરકારે નક્કર પગલા ભરવા જોઈએ અને મજબૂત યોજનાઓ બનાવવી જોઈએ.

પરિષદના અંતે પત્રકારોએ વિવિધ વિષયો પર પ્રશ્નો પૂછ્યા હતા. નાગરિક સેવકોએ સરકારને સંયુક્ત પત્ર લખ્યો છે કે કેમ તે અંગે પૂછતાં, મુસ્લિમ સંગઠનોએ સામૂહિક રીતે કયા પગલા લીધા છે? તેમણે કહ્યું કે, અમે રાષ્ટ્રીય સંગઠનો સાથે સંયુક્ત પરિષદો યોજી છે, એટલું જ નહીં, યુવા નેતાઓની મદદથી અને ઘણા લોકોએ વીડિયો કોન્ફરન્સિંગમાં આવા મુદ્દાઓ ઉભા કર્યા છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે પોલીસ અને દિલ્હી રમખાણોમાં સંડોવાયેલા લોકોની તપાસ થવી જોઇએ. એક બીજા જવાબમાં તેમણે કહ્યું કે હાલના દિવસોમાં શરૂ થયેલી મુસ્લિમ યુવકોની ધરપકડની શ્રેણી સંપૂર્ણપણે ખોટી છે. તેનાથી પીડિતોનો ડર વધુ વધી રહ્યો છે. મહિલાઓ પ્રત્યે પોલીસનું વલણ પણ શંકાસ્પદ રહ્યું છે. એક અન્ય સવાલના જવાબમાં, તેમણે કહ્યું કે જ્યાં લોકડાઉન છે અને સામુહિક નમાઝ અદા કરવાની મંજૂરી નથી ત્યાં સ્થાનીય પ્રશાસનની સહાયથી જ પ્રાર્થના કરવી જોઈએ, નહીં તો શરિયા કાઉન્સિલના નિર્દેશન મુજબ ઘરે નમાઝ પઢવી જોઈએ. પૂછવામાં આવ્યું કે શું જમાઅતે ઇસ્લામી હિંદ ભારતીય લઘુમતી પંચ સાથે હાઇકોર્ટનો સંપર્ક કરશે? તેમણે કહ્યું, “જો જરૂર હશે તો, અમે તે કરીશું.”

આ ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સનું સંચાલન જમાઅતના સહાયક સચિવ મીડિયા અરશદ શેખે કર્યું હતું. અંતે, મીડિયા વિભાગના પ્રભારી તનવીરે પત્રકારોનો આભાર માન્યો અને સતત સહયોગ આપવા અપીલ કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments