Thursday, April 18, 2024
Homeસમાચારમૌલાના વલી રેહમાનીનું નિધન દેશ અને મુસ્લીમ સમુદાય માટે મોટું નુક્સાન: સૈયદ...

મૌલાના વલી રેહમાનીનું નિધન દેશ અને મુસ્લીમ સમુદાય માટે મોટું નુક્સાન: સૈયદ સઆદતુલ્લાહ હુસૈની

જમાઅતે ઇસ્લામી હિન્દ (JIH)ના પ્રમુખે જાણીતા ઇસ્લામિક વિદ્વાન અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)ના જનરલ સેક્રેટરી મૌલાના સૈયદ વલી રહેમાનીના મૃત્યુને સમુદાય અને દેશ માટે એક મોટું નુકસાન ગણાવ્યું છે.

એક શોક સંદેશામાં JIH પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ કહ્યું કે તેમણે વિશાળ ક્ષેત્રમાં સેવા આપી હોવાથી તેમના નિધનથી ભારતીય મુસ્લિમ સમુદાયને મોટું નુકસાન થયું છે. JIH પ્રમુખે કહ્યું કે, “મુશ્કેલ અને પડકારજનક સંજોગોમાં સમુદાયની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરવાના તેમના હિંમત અને ઉત્સાહ માટે મૌલાનાને હંમેશાં યાદ કરવામાં આવશે. AIMPLBના જનરલ સેક્રેટરી તરીકે તેમણે શરિયતની સુરક્ષા માટે અસંખ્ય ઝુંબેશોનું નેતૃત્વ કર્યું હતું અને મીડિયાના ભ્રામક પ્રચાર તેમજ ‘પર્સનલ લો’ માં સરકારની દખલનો વિરોધ કર્યો હતો. શૈક્ષણિક મોરચે, મોટી સંખ્યામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ કર્યો છે અને રહેમાની ફાઉન્ડેશન અને રહેમાની -30 જેવા તેમના વિવિધ કાર્યક્રમો દ્વારા ઉચ્ચ વ્યાવસાયિક શિક્ષણ માટે માર્ગ મોકળો કર્યો છે. મૌલાના વલી રહેમાની દ્વારા 1996 માં સ્થપાયેલ રહેમાની ફાઉન્ડેશન, જાહેર આરોગ્ય, શિક્ષણ, સામાજિક ન્યાય, પર્યાવરણ અને અન્ય ક્ષેત્રોમાં સક્રિય છે. 2009 માં સ્થપાયેલ રહેમાની 30 કાર્યક્રમ, ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓને IIT, JEE, NEET અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે મફત કોચિંગ પ્રદાન કરી રહી છે.

આ ઉપરાંત હુસૈની સાહેબે કહ્યું કે, “ખાનકાહ-એ-રહેમાની હેઠળ, મૌલાનાએ સમાજને શિક્ષિત કરવા અને સુધારવાના પ્રયત્નો કર્યા અને ઈમારત-એ-શરિયત હેઠળ, તેમણે ઘણા રાજ્યોમાં મુસ્લિમ સમુદાયને માર્ગદર્શન પૂરું પાડ્યું. બિહારમાં રાજકીય મોરચે મુસ્લિમોનું પ્રતિનિધિત્વ અને નેતૃત્વ કરી, મદરેસાઓની સુરક્ષા માટેના પ્રયત્નો અને ઉર્દૂ ભાષાના વિકાસ માટેના તેમના સંઘર્ષ મૌલાનાનું મૂલ્યવાન યોગદાન છે. આ બધા મોરચા પર, તેમણે તેમના અથાક સંઘર્ષો દ્વારા નોંધપાત્ર સિદ્ધિઓ પણ હાંસલ કરી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં મહિલાઓને પ્રોત્સાહન આપવું અને શરિયતના રક્ષણ માટે તેમની વચ્ચે આંદોલન શરૂ કરવું તે પણ મૌલાનાની એક મોટી સિદ્ધિ છે. ”

શોકગ્રસ્ત પરિવાર અને તેના અનુયાયીઓ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરતા, JIH પ્રમુખે સર્વશક્તિમાન અલ્લાહને તેમની સેવાઓ સ્વીકારવા અને તેમની રૂહને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય અને દુખભર્યા પરિવાર અને અનુયાયીઓને ધૈર્ય પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments