Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસપેલેસ્ટાઈન - ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય

પેલેસ્ટાઈન – ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય

પેલેસ્ટાઈન એ જમીન છે જ્યાં ત્રણેય ધર્મોના લોકોના એક સામટા પવિત્ર સ્થળો આવેલા છે. આમાં હેકલે સુલેમાનીના ખંડરો છે, દિવાર ગર્યા છે, મરયમ અલૈ.ની પવિત્ર કબર છે તેમજ મસીહ અલૈ.નું જન્મ સ્થળ છે. આ જમીનને અલ્લાહે ‘પવિત્ર જમીન’નું ઉપનામ આપ્યું છે અને મુહમ્મદ સલ્લ.ને મે’રાજમાં મસ્જિદે હરામથી મસ્જિદે અકસા લાવવામાં આવ્યા અને ત્યાં જ તમામ નબીઓએ તેમની ઇમામતમાં નમાઝ અદા કરી.

હુઝુરે અકદસ સલ્લ.ના જમાનામાં પેલેસ્ટાઈન પર ખ્રિસ્તીઓનો કબ્જો હતો. આ તે જમાનો હતો કે જ્યારે ખ્રિસ્તીઓ, યહુદીઓના સખત વિરોધી હતા. હઝરત ઉમર ફારુક રદિ.ના જમાનામાં પેલેસ્ટાઈનની વિજયની એ ઐતિહાસિક ઘટના ઘટી જેમાં ખ્રિસ્તી પાદરીઓએ ઉમર રદિ.ને મદીનાથી બોલાવીને કિલ્લાની ચાવીઓ સોંપી અને તે સમયનું દૃશ્ય એ હતું કે તેમનો ગુલામ ઊંટ પર બેઠો હતો અને પોતે ઊંટની નકેલ પકડીને ચાલતા આવી રહ્યા હતા.

ઉમર રદિ.થી પાદરીઓએ જે કરાર કર્યો તેમાં યહૂદીઓ વિશે શરત હતી કે તેઓ દર્શાનાર્થી તરીકે દાખલ થઈ શકે છે પરંતુ તેમને અહીં વસવાટનો હક રહેશે નહીં અને ઐતિહાસિક રીતે સાબિત છે કે સદીઓ સુધી આ શરત પર અમલ થતો રહ્યો. યહુદીઓ પેલેસ્ટાઈનને પોતાની મિલ્કત દેશ કહે છે. જ્યારે ઇતિહાસ મુજબ યહુદીઓ ૧૩૦૦ ઇ.પુ. આ વિસ્તારમાં દાખલ થયા હતા અને છેવટે બે સદીના સંઘર્ષ પછી આ વિસ્તાર તેમના કબ્જા હેઠળ આવ્યું. યહુદીઓ આ વિસ્તારના ખરા નાગરિકો ન હતા. અસલ નાગરિકોનો સંબંધ જે કબીલા અને જાતિ સાથે હતો તેને બાઈબલની અંદર સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે. બની ઇસરાઈલે એટલે કે યહુદીઓએ એવી જ રીતે કત્લે આમ કરીને પેલેસ્ટાઈન હાંસલ કર્યું જે રીતે યુરોપીયન દેશોએ અમેરિકાને ‘રેડ ઇન્ડિયન’ નામના કબીલાના કત્લેઆમ દ્વારા હાંસલ કર્યું હતું.

પેલેસ્ટાઈનમાં વસવાટ કરનારાઓના ઇતિહાસને સંક્ષિપ્તમાં નીચેના ચાર ભાગમાં વર્ગીકૃત કરી શકાય;

૧) યહુદીઓએ શરુઆતમાં કત્લેઆમ કરીને પેલેસ્ટાઈન પર બળજબરીપૂર્વક કબ્જો કર્યો હતો.

૨) ઉત્તર-પેલેસ્ટાઈનમાં ફકત ચાર-પાંચસો વર્ષ સુધી રહ્યા.

૩) દક્ષિણ-પેલેસ્ટાઈનમાં વસવાટની યહુદીઓની મુદ્દત વધુમાં વધુ ૮૦૦ વર્ષ સુધી રહી.

૪) આરબો ઉત્તર-પેલેસ્ટાઈનમાં ૨૫૦૦ વર્ષ અને દક્ષિણ-પેલેસ્ટાઈનમાં ૨૦૦૦ વર્ષોથી વસવાટ કરી રહ્યા છે.

આ હકીકત હોવા છતાં યહુદીઓનો આજનો દાવો છે કે પેલેસ્ટાઈન તેમના બાપ-દાદાની મિલ્કત છે, જે અલ્લાહે તેમને અર્પણ કરી હતી. આ મિલ્કત તેઓ બળથી હાંસલ કરી આ વિસ્તારના ખરા નાગરિકોને એવી રીતે કાઢી મુકવા ઇચ્છે છે જેવી રીતે તેઓએ ૧૩૦૦ ઇ.પુ. કર્યું હતું. યહુદીઓ હઝરત ઇસા અલૈ.ના સંદેશાનું ઇન્કાર કરી તેમની હત્યા કરવાના કુચેષ્ટાના પરિણામે અલ્લાહ તઆલાના અઝાબનો ભોગ બની ઇ.સ. ૭૦ થી લઈ ૧૯મી સદીના આખરે અને ૨૦મી સદીની શરુઆત સુધી દુનિયામાં ભટકતા રહ્યા. તેઓ પોતાના આ ૨૦૦૦ વર્ષના પુરાયુગના Diaphora ના નામથી યાદ કરે છે.

આ યહુદીઓનો સીધો સંબંધ બની ઇસરાઈલના ૧૨ કબીલા સાથે છે. તેમને “પુર્વીય યહુદી” નો નામ પણ આપવામાં આવે છે. મતલબ મધ્યપૂર્વમાં વસવાટ કરનારા યહુદીઓ એ આનુવાંશિક યહુદીઓ છે જે ગઈ સદીઓમાં ઇરાકના શહેર બાબિલ અને બીજા વિસ્તારોમાં સ્થાયી હતા. પછી તેઓ તુર્કીના રસ્તે પશ્ચિમ યુરોપના દેશો જેવા કે સ્પેન, હોલેન્ડ અને જર્મની વગેરેમાં સ્થાયી થઈ ગયા. યહુદીઓના ૨૦૦૦ વર્ષના ડ્ઢૈટ્ઠૅર્રટ્ઠિ યુગમાં આધુનિક સંશોધકો અને ઇતિહાસકારોએ પોતાની શોધખોળના આધારે ‘યુરોપીયન યહુદીઓ’ને નસલની રીતે ખિઝર કોમના હોવાનું કબુલ કર્યું છે. ખિઝર કોમ તાતારી કોમની એક શાખ છે, જેને ‘સિહીકેન’ જાતિના નામથી યાદ કરવામાં આવે છે. તે એમની નસલથી છે. સમુદ્રી સ્પેન અને બ્લેક સી વચ્ચે ‘કફકાઝ પર્વત’ના ઉત્તરમાં ખિઝર કોમનો એક ખુબજ વિશાળ શાસન ઇસ્લામી સમયની શરુઆતમાં હતો. આ ખુબજ નીડર અને લડાયક કોમ હતી,જેણે ઇસ્લામી શાસનના શરુઆતના તબક્કામાં યુરોપમાં પગપેસારાને રોકી દીધું હતું. ઇ.સ. ૭૪૦માં આ બહુદેવવાદી કોમે યહુદી ધર્મ અપનાવ્યો અને યહુદીઓના ૧૨ કબીલા ઉપરાંત ૧૩માં કબીલા તરીકે ઓળખાયા. ૧૨મી સદીમાં આ વિસ્તારમાં પુર્વથી મોઘલોે અને ઉત્તરથી રશીયાએ સતત હુમલાઓ કરીને પૂર્વીય યુરોપના પોલેન્ડ અને હંગેરી જેવા દેશોમાં જઇ વસવા મજબૂર કર્યો. આગળ જતા આ યહુદીઓના જાણિતા ફિરકા ‘ઇશ્કેનાઝી યહુદી’ તરીકે ઓળખાયા. જ્યારે ખરા યહુદીઓ ‘સેફાર્ડિક યહુદી’ના નામે ઓળખાય છે. ઇશ્કેનાઝી યહુદીઓ, સેફાર્ડિક યહુદીઓને જેન્ટાઈલ એટલે કે કાફિર (પદભ્રષ્ટ) સમજે છે અને પોતાને ઇબ્રાહીમ અલૈ.ના વંશજ અને ખરા યહુદીઓ માને છે.

ઇ.સ. ૧૮૮૦માં પૂર્વીય યુરોપના ઇશ્કેનાઝી યહુદી પરિવારો એે પેલેસ્ટાઈનમાં આવી વસવાટ કરવાનું શરુ કર્યું. તેમના જાણિતા નેતા થીયોડોરા હરઝલે ઝાયોનિસ્ટ ચળવળની શરુઆત કરી. જેનો ખરો હેતુ પેલેસ્ટાઈન પર કબ્જો કરવાનો અને હેકલે સુલેમાનીનું નિર્માણ હતોે. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે આ ઝાયોનિસ્ટોના નેતા ડૉ. વાઇઝ મેને ઇંગ્લેન્ડની સરકારને વિશ્વાસ અપાવ્યો કે યહુદીઓની તમામ સંપત્તિઓ અને તેમની તમામ પ્રતિભાઓ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સાથે હશે જો બદલામાં તેઓ પેલેસ્ટાઈનના કબ્જા પર પેલેસ્ટાઈનને તેમનો કોમી વતન જાહેર કરવાનું વચન આપે. છેલ્લે ૧૯૧૭માં પેલેસ્ટાઈન પર કબ્જો થતા તે પરવાનો તેમણે મેળવી લીધો.

પછી બીજા વિશ્વયુદ્ધમાં એટલે કે ૧૯૪૮માં આ કોમી વતનને કોમી રાજ્ય તરીકે બદલી દેવામાં આવ્યું. જેને અમેરિકા અને રશીયાએ ‘ઇઝરાયલી રાજ્ય’ તરીકે રાતોરાત કબુલ કર્યો. હકીકતમાં ઇઝરાયલમાં ઇશ્કેનાઝી યહુદીઓનો કબ્જો છે જે ઝાયોનિસ્ટ છે. જનસંખ્યાના આધારે ઇશ્કેનાઝી યહુદીઓ અસલ યહુદીઓની સંખ્યા કરતા દસ ગણા છે. આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે અસલ યહુદી એટલા સેફાર્ડિક યહુદીઓ વધારે સંખ્યામાં પશ્ચિમી યુરોપથી પેલેસ્ટાઈનમાં લાવીને વસાવવામાં આવ્યા છે અને તેમની પરિસ્થિતિ બે નંબરના નાગરિક જેવી છે. જ્યારે ઇશ્કેનાઝી યહુદીઓનો ઇઝરાયલ રાજ્યમાં શાસન છે અને ઇઝરાયલને ઝાયોનિસ્ટ રાજ્ય બનાવવા કાર્યરત છે. પેલેસ્ટાઈનની જમીન જ્યાં ત્રણેય ધર્મોના પવિત્ર સ્થળો આવેલા છે ત્યાં જ ક્યામત પહેલાની ભવિષ્યવાણીઓમાં પણ તેમનામાં (ત્રણેય ધર્મોમાં) ઘણી સામ્યતા જોવા મળે છે. હદીસે પાકમાં આ તરફ સ્પષ્ટ દલીલ મળે છે કે ક્યામત પહેલા સીરીયાને ખાસ ભાગ ભજવવો છે. એમ તો સીરીયામાં પેલેસ્ટાઈન, જોર્ડન અને લેબેનોનનો પણ સમાવેશ થાય છે પરંતુ આ સમગ્ર જમીનમાં પેલેસ્ટાઈનમાં બેતુલ-મુકદ્દસ અને હાલના સીરીયામાં દમસ્કસની મહત્તા દલીલ સાથે જોવા મળે છે.

ઝાયોનિસ્ટ ચળવળ વૈચારિક પશ્ચાદભૂમી ત્રણ મુદ્દાઓ પર આધારીત છે.

૧) યહુદીઓ અલ્લાહના સૌથી નજીક છે અને અલ્લાહ તેમને ખુબ પ્રેમ કરે છે અને બાકીના તમામ મનુષ્ય કરતા વિશેષ છે.

૨) એક ઈશ્વરીય વચને તેમને પેલેસ્ટાઈનથી જોડ્યું છે. આ વચન અલ્લાહે હઝરત ઇબ્રાહીમ અલૈ.ને આપ્યું હતું. જે ક્યામત સુધી છે.

૩) હઝરત ઈસા અલૈ.ના આગમનની આસ્થા, પેલેસ્ટાઈનમાં યહુદીઓના શાસનથી જોડાઈ છે. એટલે કે જ્યારે યહુદીઓ પેલેસ્ટાઈનમાં એકઠા થઈ જશે તો તેમની વચ્ચે જ ઈસા અલૈ.નું અવતરણ થશે.

અલ્લાહે કુઆર્ન મજીદમાં બની ઇસરાઇલને તમામ મનુષ્ય પર વિશેષ દરજ્જો હોવાનું સાફ શબ્દોમાં કહ્યું છે. પરંતુ સાથેસાથે તેમની ભ્રષ્ટતા, વચનભંગ અને નબીઓના કત્લ કરી નાખવાના ગંભીર ગુનાઓ સબબ તેમને વિશેષ હોદ્દા પરથી દૂર કરવાનું સાફ શબ્દોમાં ઉલ્લેખ છે. અને મુસલમાનોને આ વિશેષ દરજ્જો આપવાનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હઝરત ઇબ્રાહીમ અલૈ.થી પુરી દુનિયા પર ઇમામતનું જે વચન અલ્લાહે જે આપ્યું છે તે વચન તેમની સારી, નેક ઓલાદો પરથી પણ છે. અવજ્ઞાકારી, અન્યાયી અને કાફિરોથી નહીં. અલ્લાહે સૂરઃઅંબિયામાં કહ્યું, “અને અમે ઝબૂરમાં શિખામણ પછી લખી ચુક્યા છીએ કે જમીનનો વારસો અમારા નેક બંદાઓ પાસે હશે.”

બની ઇઝરાયલ પોતાની ધાર્મિક પુસ્તકોના શિક્ષણ મુજબ એક એવા મસીહની રાહ જોઈ રહ્યા હતા અને જોઈ રહ્યા છે જે તેમને દુનિયાના ખુણે ખુણેથી લાવીને પેલેસ્ટાઈનમાં વસાવશે અને ગ્રેટર ઇઝરાયલ પર પેલેસ્ટાઈનથી શાસન કરશે. હઝરત ઈસા અલૈ.ના આગમન પર જ્યારે તેઓએ તેમનામાં તે લક્ષણો નથી જોયા તો તેમના ઇશદુતત્વ (રિસાલત)ને વખોડવા ઉપરાંત તેમને ફાંસીએ ચઢાવી દીધો. ઝાયોનિસ્ટોએ તેમની આ ધારણાઓનું શોષણ કર્યું અને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકા ઉપર પોતાના અસરથી ઇઝરાયલ રાજ્યની સ્થાપના કરી.

તમામ યહુદીઓને પેેલેસ્ટાઈનમાં લાવીને વસાવ્યું અને ત્યાં પહેલાથી વસવાટ કરતા લોકો પર અત્યાચાર અને ત્રાસ ગુજારી દેશમાંથી કાઢી મુક્યું. ઇ.સ. ૧૯૬૭માં છ દિવસની લડાઈમાં પુરા પેલેસ્ટાઈન પર કબ્જાની સાથેસાથે આસપાસના બીજા વિસ્તારો કબ્જે કર્યા. આ રીતે તેઓ ગ્રેટર ઇઝરાયલની સ્થાપના તરફ વધી રહ્યા છે. હેકલે સુલેમાનીનો નિર્માણ, મસ્જિદે અકસા અને મસ્જિદે સફરાને તોડવાથી જ શક્ય બનશે. ઝાયોનિસ્ટો આ તમામ આયોજનોને યહુદીઓના મસીહુલ-મોઊદના આગ્મન પહેલા પુરુ કરવામાં લાગેલા છે.

ઝાયોનિસ્ટ યહુદીઓએ ઈસા અલૈ.ના પહેલા અવતરણને જ નકારી દીધું અને હવે તેઓનો જે મસીહુલ-મોઊદ હશે તે મસીહ-દજ્જાલ હશે પરંતુ ઝાયોનિસ્ટો ઈસાઈ પણ છે. તેથી તેઓ તેમના બીજા આગમને માનનારા છે અને તેઓ પણ ઝાયોનિસ્ટ યહુદીઓ સાથે મળીને મસીહુલ-મોઊદને સત્તાધીશ કરવામાં બરાબરના ભાગીદાર છે. તેઓ પણ મસીહ-દજ્જાલના જાળમાં ફસવાના છે.

જ્યારે મસીહ-દજ્જાલ આવશે તે સમયે મુસ્લિમો હઝરત મહેંદી અલૈ.ના વડપણ હેઠળ યહુદીઓથી યુદ્ધ કરશે પછી એક દિવસે ફજરની નમાઝ સમયે અલ્લાહ મસીહને ધરતી પર અવતરિત કરશે અને મસીહદજ્જાલ (ખોટા મસીહ)ને કતલ કરશે. તમામ યહુદીઓ માર્યા જશે. આ સામાન્ય ખ્રિસ્તીઓ મસીહ પર ઈમાન લાવી મુસ્લિમોમાં શામેલ થઈ જશે. પુરી દુનિયા પર ફરી એકવાર ઇસ્લામી શાસનની સ્થાપના થશે. આ હદીસ પર વાતને પુરી કરવામાં આવે છે. “મારી ઉમ્મતનો એક વર્ગ હંમેશા સાચા રસ્તે સંઘર્ષ કરશે. જે આ વર્ગથી દુશ્મની કરશે તો તે તેમના પર નિયંત્રણ હાંસલ કરશે. ત્યાં સુધી કે તે વર્ગ મસીહદજ્જાલ વિરૂદ્ધ સંઘર્ષ કરશે.” (અબુદાઊદ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments