Sunday, May 19, 2024
Homeપયગામએક પ્રયાણ એક શોધ, માનવીય એક્તાની આધારશિલા શું ?

એક પ્રયાણ એક શોધ, માનવીય એક્તાની આધારશિલા શું ?

લોકસભા ઇલેકશન ૨૦૧૪માં ‘નીચ’ શબ્દ બહુ ગાજ્યો જે પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદીની રાજનીતિ વિશે કહ્યું હતું. તેના પહેલા રામદેવે રાહુલ વિશે એમ કહીને હંગામો ઉભો કર્યો હતો કે તે દલિતોના ઘરોમાં જઇ દીકરીઓ સાથે હનીમૂન મનાવે છે. દેશના નેતાઓ અને કહેવાતા ધર્મ ગુરૃઓ કેટલી નિમ્ન કક્ષાએ પહોંચી ગયા છે. વાણી પરનું નિયંત્રણ કેટલી હદે ગુમાવી ચુક્યા છે. આ ચૂંટણીમાં તેના નમૂના જોવા મળ્યા. વ્યક્તિની વાણી સાંભળીને તેના વ્યક્તિત્વનો અંદાજ કાઢી શકાય છે. અત્યારે આપણે તેના વિશે લાંબી ચર્ચામાં ન ઉતરતા ઊંચનીચ-ભેદભાવ વિશે ચિંતન કરીએ.

ઊચનીચ અને છુત-અછૂતની સમસ્યા એ ભારત વર્ષની કોઇ નવી સમસ્યા નથી. તેનો ઇતિહાસ ખૂબજ પ્રાચીન છે. જેના મૂળ એક ધર્મ સાથે પણ જોડાયેલા માત્ર આર.એસ.એસ.નો સરસંચાલક ઉચ્ચ વર્ગની વ્યક્તિ નથી બનતી પરંતુ દેશના મોટાભાગના ચાવીરૃપ પદો ઉપર ઊચ્ચ વર્ગના લોકો જ બિરાજમાન છે અને ક્યાંય ‘નિમ્ન વર્ગ’ની વ્યક્તિ તેની લાયકાતના લીધે ઊચ્ચ પદ ઉપર પહોંચી જાય તો પણ તેને એવો સમ્માન મળતો નથી જે ઊચ્ચ વર્ગની વ્યક્તિને મળે છે. ઊચ્ચ વર્ણના લોકોની કોલોનીમાં નિમ્ન વર્ગની વ્યક્તિ ઘર ખરીદી શકતી નથી. અથવા તેને ખૂબજ તકલીફ પડે છે. એવા કેટલાક દાખલા મારી પાસે છે. એક દલિત ભાઇએ ઉચ્ચ વર્ણ વાળાઓની કોલોનીમાં મકાન ખરીદયુ પરંતુ તેમને મકાન વેચવાની ફરજ પડી. જોકે શહરોમાં કેટલાંક કારણસર આ સમસ્યા ઓછી જોવા મળે છે પરંતુ ગામડાઓમાં જે ઘટનાઓ બનતી રહે છે તે આપણે સમાચાર પત્રોમાં જોઇએ અને વાંચીએ છીએ.

એક વ્યક્તિ ચાહે હિન્દુ હોય કે મુસલમાન, દલિત હોય કે બ્રહ્મણ, ભારતીય હોય કે અમેરિકન, ગુજરાતી હોય કે કેરળ, તે સમાનધિકાર ધરાવે છે. બધા જના શરીરમાં એક પ્રકારનો લોહી વહે છે. એક જ પ્રકારના અંગ ઉપાંગો છે. એક જ પ્રકારની આત્મા છે. એક જ માતાપિતાની સંતાન છે. પછી નાત-જાત , વર્ણ, રંગ કે ભાષા આધારિત કેવી ઊંચનીય. માનવજાતિ માટે કોઈપણ પ્રકારનો વિભાજન યોગ્ય નથી.

હરિજન હોય કે બ્રહ્મણ, મનસૂરી હોય કે સૈયદ, પઠાન હોય કે આર્ય બધાનો પાલનહાર એક જ ઇશ્વર છે. ઇશ્વરે માનવજીવનને જે ભેટો અર્પિત કરી છે તે પણ સોના માટે સમાન છે. પ્રાણવાયુ હોય કે જીવન જરૂરી પાણી, સૂર્યની ગર્મી હોય કે ચંદ્રનું શીતલ પ્રકાશ સોના માટે સમાન છે જન્મ મરણ, ખાવા-પીવા, જોવા – સાંભળવા, હાલવા ચાલવા માટે ઇશ્વરે બધાને માટે સમાન રીતો આપી છે તેમ છતાં કોઇ વ્યક્તિ કે જાતિ, વર્ગ આપવા વર્ણ પોતાના માટે ઊચ્ચતા અને શ્રેષ્ઠતાનો દાવો કરે તો તેને ઘોર અન્યાય, અત્યાચાર, હણ હણતુ ઝુઠાણુ અને અસત્ય સિવાય બીજુ શું નામ આપી શકાય. સમાનતા અને સહિષ્ણુતાની વાત બિલ્કુલ તાર્કિક અને યોગ્ય હોવા છતાં તે આપણી સામાજિક વ્યવસ્થાનો ભાગ કેમ બની ગયો ચાલો થોડુંક મનન કરીએ કદાચ આપણે યોગ્ય કારણ સુધી પહોંચી જઇએ.

તુમને જો છેડી આજ ઊચનીચની કી બાત
મુઝે મિલ ગયા મોકા કહને કો દિલ કી બાત
નીચ, શુદ્ર, અછુત જિન શબ્દો સે ખફા થા વો
ખુદ ઉસકી કિતાબ કા થા વો ઇક્તીબાસ

હિન્દુ સભ્યતા અને હિન્દુ સંસ્કૃતિના જન્મદાતા વેદકાલીન ભારતીય આર્ય હતા. ટુંકમાં જોઇશું કે શું પ્રાચીન સમયમાં આવી કોઇ વ્યવસ્થા પ્રચલિત હતી ખરી? હિન્દુ ભાઇઓના સૌથી પ્રાચીન ગ્રંથ વેદ છે તેમાં પુરૃષ સુકતના મંત્રો છે. તે જ વર્ણ વ્યવસ્થાના આઘાર શીલા છે.
યત્યપુરુષં વ્યદ્રધુઃ.. શુદ્રોડ બાયત ાા

પ્રજાપતિએ માનવ સમાજરૃપી જે પુરૃષનુ વિધાન કર્યું. તેની કલ્પના કેટલા પ્રકારની છે તથા પુરૃષનો મુખ શું છે? તેમના બંને હાથ કોણ છે? તેમની બંને જાંઘો કોણ છે અને તેમના બંને પગ કોણ છે. તેના જવાબ આગળના મંત્રમાં મળે છે. આ પુરૃષનો મુખ બ્રહ્મણ છે ઃ હાથ ક્ષત્રીય છે, જાંઘ વૈશ્ય છે અને પગ શુદ્ર છે. (ઋગવેદ મન્ડલ ૧૦, સુક્ત ૯૦, મંત્ર ૧૧,૧૨)

મહાભારતના શાંતિ પર્વમાં છે, હે ભરત વંશિઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠર! મહાભાગ કૃષ્ણ એ મુખથી સો શ્રેષ્ઠ બ્રહ્મણને બંને હાથોથી સોં ક્ષત્રીયોને બંને જાંઘથી સો વેશ્યોને તથા બંને ચરણથી સો શુદ્રોને ઉત્પન્ન કર્યા.

મનુ તેમની કૃતિમાં લખે છે, પ્રજાપતિએ લોકોમાં વૃદ્ધિ કરવા મુખ, હાથ, ઉર અને અંતે ચરણોથી ક્રમશઃ બ્રાહ્મણ, ક્ષત્રિય અને શુદ્રને ઉત્પન્ન કર્યો. (મનુઃ૧૩૧)

મહર્ષિ દયાનંદ સરસ્વતીનું ઋગ્વેદ ભાષ્યઃ આ સમાજમાં બ્રહ્મણનો સ્થાન મુખને સદૃશ છે, ક્ષત્રિયને ગુણ, કર્મ, સ્વભાવ મુજબ હાથ બનાવવામાં આવ્યા છે. વૈશ્ય ઉરના સમાન છે અને પગ અર્થાત સેવા અને નિરભિમાનત્વથી શુદ્ર ઉત્પન્ન થાય છે. (ઋગ્વેદ, આર્યભાષા ભાષ્ય પૃ. ૮૯૮)

વર્ણ વ્યવસ્થા ઇશ્વર કૃત છે !

હિન્દુ ધર્મગ્રંથો મુજબ વર્ણવ્યવસ્થા ઇશ્વર કૃત છે. બ્રહ્મણોનું કાર્ય શિક્ષાદિક્ષા કરવું છે તેમને વેદ મંત્રોનું સ્વામી માનવામાં આવે છે. ક્ષત્રિયોનું કામ સમાજમાં શાંતિ વ્યવસ્થા કાયમ કરવું છે તેઓ જ દેશની રક્ષા પણ કરે છે. વૈશ્યોનું કામ વ્યપાર તથા કૃષિને સંભાળવું છે. શુદ્રોનું કાર્ય આ વર્ણોની સેવા કરવું છે. આ વ્યવસ્થામાં અધિકારોની અપેક્ષા કર્તવ્યો પર વધારે ભાર મુકવામાં આવ્યો છે. ઊચ્ચ વર્ણોને તેમાં વિશેષાધિકાર પ્રાપ્ત છે. આ વ્યવસ્થા ગમે તેવી હોય સમય જતા તે જન્મજાત થઇ ગઇ. જન્મજાત વર્ણવ્યવસ્થા બ્રહ્મણ વર્ગની શ્રેષ્ઠતા તથા શુદ્ર વર્ગોની હીનતા ઉપર અત્યાધિક ભાર મુકવામાં આવ્યું છે. બ્રહ્મણને ભૂદેવ જ્યારે શુદ્રને ચાનડાલ, પતિત તથા નીચની સંજ્ઞા આપવામાં આવી છે.

મહાભારતમાં પુરરવાએ માતરિશ્વાથી પ્રશ્ન કર્યો કે વિભિન્ન વર્ણ ક્યાંથી ઉત્પન્ન થયા? તેમણે જવાબ આપ્યોઃ બ્રહ્મણ એ મુખથી બ્રહ્મણ, હાથથી ક્ષત્રીય, જાંઘોથી વૈશ્ય અને આ ત્રણેય વર્ણોની સેવા માટે ચરણથી શુદ્રને ઉત્પન્ન કર્યો.

મનુસ્મૃતિ મુજબ સમગ્ર સૃષ્ટિની રક્ષા માટે બ્રહ્મણએ મુખ, હાથો, જાંઘ અને પગોથી ક્રમશઃ બ્રહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શદ્રોને ઉત્પન્ન કર્યો. વાયુ પુરાણ તથા વિષ્ણુ પુરાણમાં પણ આવી જ માહિતી છે. પરંતુ ત્યાં ક્ષત્રીયની ઉત્પત્તિ હાથના બદલે વક્ષ સ્થળથી બતાડવામાં આવી છે. (પ્રાચીન ભારતમાં વર્ણાશ્રમ-વ્યવસ્થાઃ મનોરમા જોહરી પૃ. ૨-૪)

વૈદિક કાળમાં શુદ્રોની સ્થિતિ :

હે રાજન; તમો આ રાક્ષસ (શુદ્ધો)ને નષ્ટ કરો. જડમૂળથી કાપી નાંખો, તેમના મધ્ય ભાગને કાપી નાખો. પ્રત્યેક અગ્રગામીનો હનન કરો, આ પાપીને દૂર કરી દો. (ઋગ્વેદ – ૩-૧૨-૬)

હે ઇન્દ્રાગ્ને! તમે પ્રથમ ચેષ્ટાથી જ અસુરો ના નેવ નગરોને એકી સાથે ભષ્મ કરી દીધાં. (ઋગ્વેદ ૩-૧૨-૬)

હે ઇન્દ્ર તમે દસ્યુના નાશ કરવાવાળો, તેમના પુરો નું ધ્વંશ કરવાવાળો અદ્ભૂત કર્માપુત્ર અમને આપો. (ઋગ્વેદ ૧૦-૯૯-૭)

પ્રાચીન સ્મૃતિકારોમાં મનુએ રાજા દ્વારા વર્ણવ્યવસ્થા બનાવી રાખવા ઉપર વિશેષ ભાર મુક્યો તેમના મતમુજબ રાજ્ય ત્યારે જ ઉન્નતિ કરી શકે છે જ્યાર સુધી તેમાં વર્ણોની શુદ્ધતા બની રહે છે. (હિન્દુ સમાજ – સંગઠન ઔર વિધાન પૃ. ૮૦-૮૪)

અછૂત કેમ બન્યા:

આર્યો બહારથી ભારત આવ્યા અને અહિંના મૂળનિવાસીઓ (દ્રાવિણે) સાથે યુદ્ધ કર્યું. અનાર્યોથી બનેલા શુદ્ર વર્ણનો બીજો વર્ગ બહિષ્કૃત હતો. આ તે લોકો હતા જેઓ આર્યો સામે લડ્યા. તેઓ સેનાના લોકો હતા. જ્યારે તેઓ હારી ગયા તો તેમને ગુલામ બનાવી બદલાની ભાવનાથી તેમને ઘૃણિત કાર્યો સોંપવામાં આવ્યા. ત્યાર બાદ તેમને અછૂત બનાવવામાં આવ્યા. ચમડા ઉતારવું, મેલું ઉઠાવવું, ધાયનું કાર્ય કરવું, ભૂંડ પાળવું વગેરે જેવા ઘૃણિત કાર્યો કરવાથી તેઓ અછૂત થઇ ગયા.

અછૂત હિન્દુ નથી. તેઓ હિન્દુઓથી પૃથક છે અને તેમનું અસ્તિત્વ પૃથક છે. અછૂત પણ એવું માને છે.

રામાયણ કાળમાં શુદ્રોને હવન, યજ્ઞ અને વિદ્યાદયયનું અધિકાર ન હતો. જો કોઇ શુદ્ર તપસ્યા કરે તો તેને ધર્મ વિરૂદ્ધ કાર્ય કરનાર સમજી રાજા દ્વારા મારી નાંખવામાં આવતો હતો. દા.ત.

ક્ષત્રીય યાચક શુદ્ર જેવો છે તેમનાથી દેવતા યજમાન હવ્ય ગ્રહણ નથી કરતા (રામા બાલકાન્ડ ૫૬,૧૩,૧૪)

બધું જ અપરાધ તે શુદ્ર શમ્બુક ઋષિનો છે જે નિશંક સ્વર્ગ જવા માટે તપ કરી રહ્યો હતો. હે રામ! તમે તે વર્ણાશ્રમ વિરોધી મનુ દ્વારા સ્થાપિત સમાજ નિયમોનો ભંગ કરવાવાળો, પાપીનો માથુ પોતાના હાથોથી કાપી નાખો. તે દુષ્ટના મરતા જ બ્રહ્મણનો બાળક જીવી ઉઠશે.

જાતિ પ્રથાના સમર્થક તુલસીદાસ:

બ્રહ્મણની નિંદા કરનારી વ્યક્તિ ઘણા બધા નરક ભોગી જગતમાં કાગડાના રૃપમાં જન્મ લે છે. (ઉત્તરકાંડઃ૨૧૧-૧૨)

શાપ આપતો, મૃત્યુ પામતો અને કઠોર વચન કહેતો બ્રહ્મણ પૂજનીય છે એવું સંત કહે છે. શીલ અને ગુણથી હીન બ્રહ્મણો પણ પુજનીય છે પરંતુ ગુણો યુક્ત-જ્ઞાન નિપુણ શુદ્ર પણ પૂજનીય નથી. (આરણ્યકાન્ડઃ ૬૩-૧)

ઊચનીચ અસ્પૃશ્યતા વિશેની કેટલીક વાતો આપણે ટુંકમાં જોઇ. વધુ જાણકારી માટે ‘દલિત સમસ્યા – જડમે કોન’ પુસ્તક જોઇ શકાય છે. ગાંધીજી પણ આ વર્ણ વ્યવસ્થાના વિરોધી નહોતા માત્ર અસ્પૃશ્યતાને નાબૂદ કરવા માગતા હતા.

શ્રીમતિ લક્ષ્મી નરસુએ ગાંધીજીનો નીચે આપેલુ વાક્ય ઉદ્ધત કર્યું છે.

“વર્ણાશ્રમ મનુષ્યના સ્વભાવમાં નિહિત છે. હિન્દુ ધર્મ તેને જ વૈજ્ઞાનિક ઢબે પ્રતિષ્ઠિત કર્યું છે. જન્મથી જ વર્ણનું નિર્માણ થાય છે. ઇચ્છા મુજબ તેને બદલી શકાય નહીં.”

આવી જ રીતે ખ્રિસ્તી ધર્મમાં પણ શ્વેત-અશ્વેતનો ભેદભાવ જોઇ શકાય છે.

ધાર્મિક ભેદભાવ સિવાય આજના યુગમાં આર્થિક ભેદભાવ પણ જોઇ શકાય છે. પૈસાદાર લોકો ગરીબ લોકો સાથે રહેવામાં પોતાની બેઇજ્જતી (અપનામ) સમજે છે. શિક્ષણ વ્યવસ્થા પણ બધાને માટે સમાન નથી. વર્ગને બધી સવલતો છે જ્યારે નીમ્ન વર્ગ સવલતો વગરની શાળામાં અભ્યાસ કરે છે. રાજનીતિ અને નોકરીઓમાં પણ ભેદભાવ સ્પષ્ટ પણે જોઇ શકાય છે. વ્યક્તિને શિક્ષણનું સમાનાધિકાર મળવુ જોઇએ, સામાજિક દરજ્જો અને સંમાન મેળવવુ જોઇએ. આત્મગૌરવ સાથે જીવવાનો અધિકાર મળવો જોઇએ. ગુણ મુજબ કાર્ય સોપી શકાય પરંતુ જન્મ જાતે ઉંચનીચ ન હોવી જોઇએ.

સંકુચિત દૃષ્ટિ અને મનની અસહિષ્ણુતાના કારણે માનવજીવન કટંકોથી ભરાઇ જાય છે. સમાજમાં જે ઊચનીચ, છુત-અછુત અને અસ્પૃશ્યતાની સમસ્યા છે તેને કઈ રીતે નાબૂદ કરી શકાય તેના સંદર્ભમાં ઇસ્લામના દૃષ્ટિકોણ ઉપર વિચાર કરવો રહ્યો હું અહિં ટુંકમાં માનવીય સમાજ વિશે ઇસ્લામની વિચારધારા રજુ કરૃ છું. જેમાં મનુષ્યજાતિને એક અને સંગઠિત રહેવાની શીખ આપવામાં આવી છે. કુઆર્ન કહે છે,

“લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો (જાતિઓ) અને કબીલા (બિરાદરીઓ) બનાવી દીધા જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં અલ્લાહના નજીક તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધુ પરહેઝગાર (અલ્લાહથી ડરનાર, સંયમી) છે. નિશ્ચિતપણે અલ્લાહ સર્વજ્ઞ અને સુમાહિતગાર છે.” (સૂરઃ હુજુરાત-૪૯ઃ૧૩)

આના જ અનુસંધાનમાં પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)ના પણ ઘણા વચનો છે. દા.ત. આપે ફરમાવ્યું, લોકો, ખબરદાર તમારા બધાનો ઇશ્વર એક જ છે. કોઇ આરબને બિન આરબ પર અને બિન આરબને આરબ ઉપર ગોરાને કાળા પર અથવા કાળાને ગોરા ઉપર કોઇ શ્રેષ્ઠતા નથી. એ માત્ર ઇશભયના આધારે છે. (તિર્મિઝી) “ઇશ્વર તમારા મુખો અને તમારા મનને જોતો નથી એ તો તમારા દિલોની સ્થિતિ અને કર્મોને જુએ છે.” (મુસ્લિમ, ઇબ્નેમાજા) “એક બીજા પ્રત્યે ઇર્ષા ન કરો, દ્વેષ ન રાખો, એક બીજાના સંબંધ ન તોડો, અલ્લાહના બંદા અને ભાઇ ભાઇની જેમ રહો.” (બુખારી, મુસ્લિમ) “ઇશ્વર તે લોકો ઉપર દયા કરે છે જે દયાળુ અને નમ્ર હોય છે.” (બુખારી, મુસ્લિમ) “બધા મનુષ્યો ઇશ્વરનું કુટુંબ છે. ઇશ્વરની દૃષ્ટિએ સૌથી ઉત્તમ તે વ્યક્તિ છે જે પોતાના કુટુંબીજનો સાથે સારો વ્યવહાર કરે છે.”

ઇસ્લામના આ જ શિક્ષણના કારણે દુનિયાના વિવિધ ખંડોમાં અને ભાગોમાં તેના ફેલાવો ખુબજ ઝડપથી થયો. એક ઘરના બે ભાઇઓ બલ્કે જોડના ભાઇઓના પણ વિચાર સમાન હોતા નથી પરંતુ દુનિયાના ૬૦૦ કરોડની વધુ ધાર્મિક લોકો આ બાબતે એક મત છે કે ઇશ્વર એક જ છે. ઇશ્વર એક જ હોય તો તે તેના બંદાઓમાં ઊંચનીચ કેવી રીતે પ્રસ્થાપિત કરી શકે. આ વાત બુદ્ધિમાં ઉતરતી જ નથી. ચોક્કસ પણે શુદ્ધ માર્ગદર્શન પણ એક જ હશે અને સમુદાય પણ એક હોવું જોઇએ. એકેશ્વરવાદનો આ તકાદો છે કે છુતઅછુત અને .અસ્પૃશતા રહિત, ઊંચનીચ વગરનો એક એવા સમાજની રચના થાય જેમાં જન્મના આધારે કોઇ ભેદભાવ ન હશે.

ચાલો આપણે માનવીય એકતા ઝિંદાબાદના સુત્રોચ્ચાર અને પ્રચાર કરીએ અને તેના માટે સર્વ શ્રેષ્ઠ આધાર ક્યાંથી મળે છે તેની શોધ કરીએ. ઇશ્વર આપણને સન્માર્ગ દેખાડે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments