Saturday, July 27, 2024
Homeમનોમથંનઇસ્લામોફોબિયાઃ ડિસ્કોર્સ, માન્યતા અને અસરો

ઇસ્લામોફોબિયાઃ ડિસ્કોર્સ, માન્યતા અને અસરો

લેખક : હિશામુલ વહાબ

ઇસ્લામોફોબિયાની ઘટના પર વ્યાપક ચર્ચા બદલાતી વૈશ્વિક રાજનીતિ અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાના ઉદ્‌ભવ સાથે ઘણો સંબંધ ધરાવે છે. અમેરિકન મેઇનલેન્ડ પર ૯/૧૧ના હુમલા બાદથી, ‘મુસ્લિમતા’ને લક્ષ્યાંક બનાવીને દ્વેષભાવના ફેલાવવામાં, રાજ્ય સરકારો તેમજ સિવિલ સોસાયટીના યોગદાન દ્વારા, ઇસ્લામોફોબિયાનો પ્રવાહ વધ્યો છે. વધુમાં, ઇસ્લામ અને મુસ્લિમોના નકારાત્મક ચિત્રણે મુસ્લિમ વ્યક્તિઓ અને સમુદાયો પ્રત્યે ભેદભાવ, દુશ્મનાવટ અને હિંસામાં ફાળો આપ્યો છે. જો કે, તાજેતરના સમયમાં, આપણે આવા વર્ણનોમાં એક નોંધપાત્ર બદલાવ જાેઈ શકીએ છીએ, કારણ કે અસંખ્ય રાજકીય અને સિવિલ સોસાયટીના કાર્યકરો આધિપત્યવાદી જૂથો અને બંધારણોના ઇસ્લામોફોબિક અભિગમોની ટીકા હેતુ આગળ આવી રહ્યા છે.
સંદર્ભ
૧૫ માર્ચે ઇસ્લામોફોબિયા સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય દિવસની જાહેરાત સાથે, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશને સમગ્ર વિશ્વમાં સામાન્ય રીતે મુસ્લિમો અને ખાસ કરીને લઘુમતી સંદર્ભોમાં રહેતા મુસ્લિમો વિરુદ્ધ કરવામાં આવતા અન્યાય સામે લડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ૧૫ માર્ચ ૨૦૧૯ ના રોજ ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં ૫૧ મુસ્લિમોની ભયંકર હત્યાને દર વર્ષે મુસ્લિમ વિરોધી કટ્ટરપંથીઓ દ્વારા ફેલાવવામાં આવેલા ઇસ્લામોફોબિક આતંકના ઉદાહરણ તરીકે યાદ કરવામાં આવશે. દૈનિક ધોરણે નાગરિકતાના ઇનકાર અને સહવર્તી હિંસાના મુશ્કેલ સંજોગોમાંથી પસાર થતી વસ્તી તરીકે, ભારતીય મુસ્લિમો, તાજેતરના ભવિષ્યમાં હિન્દુ રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત્‌ કટ્ટરપંથી હિંદુત્વ શાસન હેઠળ તેમની વેદનાઓ અને ફરિયાદોની સમયાંતરે વિશ્વવ્યાપી માન્યતા માટે આશાવાદી છે.
ઇસ્લામોફોબિયાની વિભાવના
Runnymede Trust Report, સૌપ્રથમ જાણીતો કમિશન રિપોર્ટ કે જેમાં ઇસ્લામોફોબિયાની વિભાવના દર્શાવવામાં આવી હતી, તેને ‘મુસ્લિમો પ્રત્યેની પાયાવિહોણી દુશ્મનાવટ, અને તેથી બધા અથવા મોટાભાગના મુસ્લિમોનો ડર અથવા અણગમો’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો (રન્નીમેડ ટ્રસ્ટ રિપોર્ટ ૧૯૯૭). આ અભિવ્યક્તિ ઝેનોફોબિયા ફ્રેમવર્કમાં સમજી શકાય છે જેણે મુસ્લિમો સામે નફરતના વર્તન-અભિગમ વિશે ચર્ચા કરી હતી. આ અભિગમ ઘણી વખત ઇસ્લામોફોબિયાને અજ્ઞાનતા અથવા ઓછા રાજકીય અર્થો માટે મુસ્લિમો પર ભાવનાત્મક આક્રોશના વલણ તરીકે માને છે. ઇસ્લામોફોબિયા પર પ્રાથમિક રચના તરીકે, આ વ્યાખ્યા હજુ પણ મુસ્લિમોમાં તેમજ મુસ્લિમ વિરોધી દ્વેષની કલ્પનાઓને વ્યક્ત કરવા માટે લોકપ્રિય છે.
યુનાઇટેડ નેશન્સ દ્વારા અપનાવવામાં આવેલી વ્યાખ્યા મુજબ, ઇસ્લામોફોબિયા એ ‘મુસ્લિમો અથવા બિન-મુસ્લિમ વ્યક્તિઓ પ્રત્યેનો ભય, પૂર્વગ્રહ અને તિરસ્કાર છે જે મુસ્લિમો અને બિનમુસ્લિમો બંનેને ઓનલાઈન અને ઓફલાઈન વિશ્વમાં ધમકી, ઉત્પીડન, દુર્વ્યવહાર, ઉશ્કેરણી અને ડરાવવાના માધ્યમથી ઉશ્કેરણી, દુશ્મનાવટ અને અસહિષ્ણુતા તરફ દોરી જાય છે. સંસ્થાકીય, વૈચારિક, રાજકીય અને ધાર્મિક દુશ્મનાવટથી પ્રેરિત આ દ્વેષ જે માળખાકીય અને સાંસ્કૃતિક જાતિવાદમાં આગળ વધે છે જે મુસ્લિમોના પ્રતીકો અને માર્કસને લક્ષ્ય બનાવે છે. (અવાન અને ઝેમ્પી ૨૦૨૦). લેખકો દાવો કરે છે તેમ, આ વ્યાખ્યા બે મુખ્ય ક્ષેત્રોને સંબોધે છેઃ “પ્રથમ, તે ઇસ્લામોફોબિયાના સંસ્થાકીય સ્તરો અને આવા વલણની અભિવ્યક્તિઓ વચ્ચેની કડી પર ભાર મૂકે છે, જે પીડિતની (માનવામાં આવેલી) દેખીતી મુસ્લિમ ઓળખ દ્વારા ઉત્તેજિત થાય છે. બીજું, આ અભિગમ ઇસ્લામોફોબિયાને જાતિવાદના ‘નવા’ સ્વરૂપ તરીકે પણ અર્થઘટન કરે છે, જેમાં ઇસ્લામિક ધર્મ, પરંપરા અને સંસ્કૃતિને બ્રિટિશ/પશ્ચિમી મૂલ્યો માટે ‘ખતરા’ તરીકે જોવામાં આવે છે” (અવાન અને ઝેમ્પી ૨૦૨૦). સાંસ્કૃતિક જાતિવાદના ક્ષેત્રમાં ઇસ્લામોફોબિયાને સ્થિત કરીને, તે દલીલ કરે છે કે મુસ્લિમોના કથિત સાંસ્કૃતિક તફાવતને પશ્ચિમી સંદર્ભમાં ઘણીવાર સાંસ્કૃતિક વિચલન તરીકે ગણવામાં આવે છે.
ઇસ્લામોફોબિયાની વધુ ઝીણવટભરી વિભાવના મુસ્લિમ ડિકોલોનિયલ વિચારકો દ્વારા આગળ મૂકવામાં આવી છે, જેઓ તેને પોસ્ટ-કોલોનિયલ/પોસ્ટ-ઓરિએન્ટાલિસ્ટ યુગમાં સત્તાની હરીફાઈના ક્ષેત્રમાં સ્થિત કરે છે. ઇસ્લામોફોબિયા રિસર્ચ એન્ડ ડોક્યુમેન્ટેશન પ્રોજેક્ટ (આઈઆરડીપી) અનુસાર, “ઇસ્લામોફોબિયા એ પ્રવર્તમાન યુરોસેન્ટ્રિક અને ઓરિએન્ટાલિસ્ટ ગ્લોબલ પાવર સ્ટ્રક્ચર દ્વારા ઉશ્કેરાયેલો ડર અથવા પૂર્વગ્રહ છે. તે આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોમાં હાલની અસમાનતાઓની જાળવણી અને વિસ્તરણ દ્વારા કથિત અથવા વાસ્તવિક મુસ્લિમ ખતરા તરફ નિર્દેશિત છે, જ્યારે લક્ષ્ય સમુદાયો (મુસ્લિમ અથવા અન્ય)ના સભ્યતાના પુનર્વસનને પ્રાપ્ત કરવા માટે હિંસાનો ઉપયોગ કરવાની જરૂરિયાતને તર્કસંગત બનાવે છે. ઇસ્લામોફોબિયા વૈશ્વિક વંશીય માળખું પુનઃસ્થાપિત કરે છે અને તેની પુષ્ટિ કરે છે જેના દ્વારા સંસાધન વિતરણની અસમાનતા જાળવી રાખવામાં આવે છે અને તેનો વિસ્તાર કરવામાં આવે છે” (IRDP). આ અભિવ્યક્તિ હેજેમોનિક પાવર સ્ટ્રક્ચર્સના પુનઃમૂલ્યાંકન માટે પૂરતો અવકાશ આપે છે અને ઇસ્લામોફોબિયાની ઘટનાનું વિશ્લેષણ કરવામાં નમૂનારૂપ પરિવર્તનની તરફેણ કરે છે.
ભારતીય પરિદૃશ્ય
હિંદુ કટ્ટરપંથી અંકુશિત શાસન હેઠળ તેની ખતરનાક અભિવ્યક્તિઓને કારણે ભારતમાં ઇસ્લામોફોબિયાની વિભાવનાએ વ્યાપક ધ્યાનાકર્ષિત કર્યું છે. ભારતમાં મુસ્લિમ વિરોધી લાગણી દર્શાવતી સંખ્યાબંધ પરિભાષાઓ અસ્તિત્વમાં હોવા છતાં, ‘ઇસ્લામોફોબિયા’ શબ્દ મુસ્લિમ બુદ્ધિજીવીઓ અને કાર્યકરોના સતત પ્રયાસોથી સમકાલીન લોકપ્રિય નરેટિવનો અવિભાજ્ય ભાગ બની ગયો છે. (કુનુમ્મલ ૨૦૨૨). આથી, ઇસ્લામોફોબિયાના પ્રવચને ભારતના મુસ્લિમોને ‘સાંપ્રદાયિકતા’ અને ‘મુસ્લિમ વિરોધી નફરત’ જેવા અન્ય શબ્દોથી વિપરીત વિશિષ્ટ વ્યાખ્યા આપી છે. અહીં ‘એક જ સિક્કાની બે બાજુ’ જેવા શબ્દસમૂહોની જેમ કોમવાદનો બેધારી તલવાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વતંત્ર ભારતના સમગ્ર ઇતિહાસમાં, દરેક કહેવાતી ‘કોમી હિંસા’ હિન્દુ કટ્ટરપંથીઓ દ્વારા ભારતમાં મુસ્લિમો અને અન્ય સંખ્યાત્મક લઘુમતીઓ વિરુદ્ધ પોલીસ દળના અનુપાલન અથવા મૌન મંજૂરી સાથે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે.
પૌલ બ્રાસના જણાવ્યા મુજબ, અપેક્ષિત રાજકીય પડકારોના સમયમાં હિંદુ મત બેંકને મજબૂત કરવા માટે હિંદુ કટ્ટરપંથીઓ દ્વારા સંચાલિત એક ‘સંસ્થાકીય હુલ્લડ પ્રણાલી’ અસ્તિત્વમાં છે (બ્રાસ ૨૦૧૧). જેમ કે આંબેડકરે સાચું કહ્યું હતું કે, “હિંદુ સમાજનું અસ્તિત્વ જ નથી. તે માત્ર જ્ઞાતિઓનો સંગ્રહ છે. દરેક જાતિ તેના અસ્તિત્વ પ્રત્યે સભાન છે. તેની જાળવણી તેના અસ્તિત્વનું સર્વસ્વ અને અંત છે. જાતિઓ ફેડરેશન પણ બનાવતી નથી. એક જાતિને એવી લાગણી હોતી નથી કે તે અન્ય જ્ઞાતિઓ સાથે જાેડાયેલી છે, સિવાય કે જ્યારે હિંદુ-મુસ્લિમ રમખાણો થાય” (આંબેડકર ૨૦૨૨). દાખલા તરીકે, એકતાના હિંદુ આદર્શો પર મંડલ કમિશનના અહેવાલ દ્વારા મંડરાતા ખતરાને બાબરી મસ્જિદ વિધ્વંસના ઉદ્દેશ્યથી લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા દ્વારા ચાતુર્યપૂર્વક દૂર કરવામાં આવ્યો હતો. ત્રીસ વર્ષ પછી, તેમની વચનબદ્ધ યોજના મુજબ, સંઘ પરિવાર બાબરી કાનૂની કેસ જીતી શકે છે અને તે જ જગ્યા પર રામ મંદિરનું નિર્માણ કરી શકે છે. સંઘ પરિવારના સતત પ્રયત્નોના આ લાંબા યુગનું વિશ્લેષણ કરતાં તે સ્પષ્ટ થાય છે કે તેઓએ એક કાંકરે બે પક્ષીઓને મારીને કટોકટીનું સારી રીતે સંચાલન કર્યું છેઃ જાતિના આધારે હિંદુ ગણોનું અપેક્ષિત વિઘટન અટકાવવું અને મુઘલ-નિર્મિત મસ્જિદની જગ્યાએ તેમના આદર્શ ભારતીય રાજા રામની પૂજા માટે મંદિર નિર્માણ કરવું.
સંઘ પરિવાર પોતાની જાતને માત્ર મુસ્લિમો વિરુદ્ધ લોકપ્રિય એકત્રીકરણ સુધી મર્યાદિત નથી રાખતો, પરંતુ તેમના એજન્ડાઓ માટે ન્યાયિક તંત્ર પાસેથી મંજૂરી મેળવવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે, તેથી ઇસ્લામોફોબિયા સામેના સંઘર્ષને રાજકીય અને કાનૂની બંને મોરચે આગળ વધવાની જરૂર છે. ઇસ્લામોફોબિયા પર યુએનની માન્યતાને તેમના મેનિફેસ્ટો અને નીતિ-કાર્યક્રમોનો મુખ્ય મુદ્દો બનાવવા માટે મુખ્ય રાજકીય પક્ષો સાથે વાતચીત કરવાની જરૂર છે. વધુમાં, અત્યાચાર નિવારણ કાયદાઓ (Atrocities Prevention Acts)ની જેમ ઇસ્લામોફોબિયાને ગુનાહિત બનાવવા માટે સતત કાનૂની પ્રયાસની જરૂર છે. માનવ સુરક્ષા કાનૂન (માસુકા) જેવા લિંચિંગ વિરોધી કાયદાઓ અંગે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં, પ્રારંભિક તબક્કા (NCAML ૨૦૧૮) પછી વાર્તાલાપકારોના ઉત્સાહના અભાવને કારણે પ્રાથમિક રીતે માંગણીઓ અધૂરી રહી છે. તેની સાથે જ, રાષ્ટ્રીય ક્ષેત્રની બહાર, ઇસ્લામોફોબિયા સામેના પ્રતિકારના આંતરરાષ્ટ્રીયકરણના ભાગરૂપે ભારતીય ઇસ્લામોફોબિયાને વૈશ્વિક મંચ પર લાવવાનો આ શ્રેષ્ઠ સમય છે. દાખલા તરીકે, આપણે જોઈ શકીએ છીએ કે, જ્યારે સરકાર અને મીડિયાએ કોવિડ-૧૯ના નામે મુસ્લિમોને નિશાન બનાવ્યા, ત્યારે આરબોએ સોશિયલ મીડિયા દ્વારા તેમની ચિંતા વ્યક્ત કરી, જેનાથી #Islamo-phobia-In-India ટોચ પર ટ્રેન્ડિંગ બન્યું. એ નોંધવું અગત્યનું છે કે, સંઘ શાસન હંમેશાં લઘુમતીઓ સામે આચરવામાં આવેલા તેમના જઘન્ય અપરાધો પર આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાથી ડરે છે. આથી, ઇસ્લામોફોબિયા સામે લડવા માટેના સંઘર્ષને સમકાલીન મુશ્કેલીભર્યા સમયમાં સતત ધ્યાન આપવાની જરૂર છે.
References
Ambedkar, B.R. (2022), Annihilation of Caste, New Delhi: Prabhat Prakashan.

Awan, Imran and Irene Zempi. (2020), “A Working Definition of Islamophobia: A Briefing Paper”, Preparation for the report to the 46th Session of Human Rights Council, November 2020.

Brass, Paul R. (2011), The Production of Hindu-Muslim Violence in Contemporary India, USA: University of Washington Press.

Islamophobia Research and Documentation Project (IRDP). “Defining Islamophobia”, Berkeley Center for Race & Gender, URL: https://crg.berkeley.edu/research/research-initiatives/islamophobia-research-and-documentation-project

Kunnummal, A. (2022). “Islamophobia Studies in India: Problems and Prospects”. Islamophobia Studies Journal, 7(1): 25–44.

National Campaign Against Mob Lynching (NCAML). (2018), “Draft law of ‘Manav Suraksha Kanoon’ (MASUKA)”, URL: https://blog.ipleaders.in/draft-law-manav-suraksha-kanoon-masuka-national-campaign-mob-lynching/

Runnymede Trust. (1997), Islamophobia: A Challenge for Us All, London.

Sulaiman, Mohammed. (2020), “Muslimness as a political formation: An inquiry into Muslim presence”, Social Identities: Journal for the Study of Race, Nation and Culture, 26(1): 31-47.

Tejani, Shabnum. (2021), Indian Secularism: A Social and Intellectual History, 1890-1950, Bloomington: Indiana University Press.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments