Saturday, July 27, 2024
Homeસમાચારચાલતી ટ્રેનમાં ત્રણ નિર્દોષોની હત્યા એ અમાનવીય અને જઘન્ય કૃત્ય છેઃ જમાઅતે...

ચાલતી ટ્રેનમાં ત્રણ નિર્દોષોની હત્યા એ અમાનવીય અને જઘન્ય કૃત્ય છેઃ જમાઅતે ઈસ્લામી હિંદ

નવી દિલ્હી:

“ભારતીય રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના કોન્સ્ટેબલ દ્વારા ચાલતી ટ્રેનમાં મુસ્લિમ સમુદાયના ત્રણ નાગરિકો અને એક RPF અધિકારીના ગોળીબાર દ્વારા મૃત્યુને ઘાટ ઉતારી દેવાની ઘટના અત્યંત નિંદનીય છે. મીડિયા અહેવાલો અનુસાર, હત્યાની રીત સૂચવે છે કે તે એક ભયંકર નફરતપૂર્ણ અપરાધ હતો જેમાં આરોપીઓએ મુસ્લિમ દેખાતા મુસાફરોને નિશાન બનાવ્યા હતા અને તેમને ગોળી મારીને હત્યા કરી હતી.” જમાઅતે ઈસ્લામી હિંદના ઉપાધ્યક્ષ મલિક મોઅતસીમ ખાને મીડિયાને જાહેર કરેલા નિવેદનમાં આ વાત કહી.


તેમણે કહ્યું, “એવું લાગે છે કે આ મુસ્લિમો વિરુદ્ધ સંગઠિત હિંસક હુમલાઓ જે રીતે ચાલી રહ્યા છે તેની જ એક કડી છે. આપણા દેશમાં આ એક નવી સામાન્ય બાબત બની રહી છે. તાકાતવર સત્તાપક્ષ દ્વારા કટ્ટરપંથી અને ધ્રુવીકરણનું વાતાવરણ ઊભું કરવા માટે કરવામાં આવેલા પ્રયાસોનું આ દુઃખદ પરિણામ છે.” તેમણે કહ્યું, “એવું લાગે છે કે જઘન્ય અપરાધોના ગુનેગારો, ખાસ કરીને મુસ્લિમો વિરુદ્ધ માનસિક રીતે બીમાર વ્યક્તિઓને, કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ કટ્ટરપંથીકરણના આરોપોને રોકવા માટે, ઉપયોગ કરવામાં આવે છે. આ ઘટના એ પ્રશ્ન પણ ઉભો કરે છે કે માનસિક રીતે બીમાર, સંકુચિત માનસિકતા ધરાવતા વ્યક્તિઓ બંદૂકોથી સજ્જ કઈ રીતે હોઈ શકે અને નાગરિકોની સુરક્ષાની જવાબદારી તેમને કેવી રીતે સોંપવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે હત્યા બાદ આરોપી વડાપ્રધાન અને યુપીના મુખ્યમંત્રીના વખાણ કરતો જોવા મળ્યો હતો.”

જનાબ મલિક મોઅતસીમ ખાને કહ્યું કે, દેશમાં બહુમતીવાદ, ભાગલા, નફરત અને ધ્રુવીકરણની નીતિ બેજવાબદાર મીડિયા, વિભાજનકારી ફિલ્મો, સાહિત્ય અને પુસ્તકો દ્વારા અપનાવવામાં આવી રહી છે તેનું આ પરિણામ હોઈ શકે છે. અમને લાગે છે કે મીડિયાની સતત દ્વેષપૂર્ણ પત્રકારિતા આવી ઘટનાઓનું મૂળ કારણ છે. તેથી મીડિયાએ તેમનું કાર્ય ખૂબ જવાબદારી પૂર્વક નિભાવવું જોઈએ. અમે પીડિતોના પરિવારોને વળતર આપવા અને તેમના સંબંધીઓને યોગ્ય રોજગાર આપવા માટે ‘RPF’ ને માંગણી કરીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments