Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપપાંચ રાજ્યોનો જનાદેશ: લોકશાહીના મૂલ્યો અને નકારાત્મક નરેટિવ્સ-કથાનક વચ્ચેનો સંઘર્ષ

પાંચ રાજ્યોનો જનાદેશ: લોકશાહીના મૂલ્યો અને નકારાત્મક નરેટિવ્સ-કથાનક વચ્ચેનો સંઘર્ષ

શાસન એ સર્વોચ્ચ સામાજિક પ્રવૃત્તિ અને મનુષ્યો દ્વારા નિભાવવાની અપેક્ષિત નૈતિક ફરજ છે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે, મોટાભાગે તેનો દુરુપયોગ અને ગેરવહીવટ થયો છે. આ સાથે ૧૯મી સદીના બ્રિટિશ ઈતિહાસકાર લોર્ડ એક્ટનનું એ વિધાન પણ યાદ આવે છે કે, “સત્તા માણસને ભ્રષ્ટ બનાવે છે અને નિરંકુશ સત્તા માણસને સંપૂર્ણપણે ભ્રષ્ટ કરી નાખે છે.” ભારતીય રાજકારણમાં આ વિધાન સચોટ બેસે છે. ભારતના મોટાભાગના રાજકારણીઓ અને પક્ષો સ્વાર્થી છે, છતાં તેઓ એવા જ સોગંદ લેતા હોય છે કે તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય રાષ્ટ્રની સેવા અને નાગરિકોની મદદ કરવાનો છે.

વર્તમાન પરિદ્રશ્યનું વિશ્લેષણ કરીએ. કેરળ, તમિલનાડુ, આસામ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીઓ પછીની સ્થિતિ જોઈએ તો:

કેરળ: અહીં બે મુખ્ય રાજકીય મોરચા છે: ULF (યુનાઈટેડ લેફ્ટ ફ્રન્ટ) અને UDF (યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ). છેલ્લા બે કાર્યકાળથી ULF શાસન કરી રહ્યું હતું અને હવે UDF સત્તામાં આવ્યું છે. આ રાજ્ય સૌથી શિક્ષિત અને સભ્ય નાગરિકોનું છે. ત્યાં બધું બરાબર છે, સમસ્યાઓ અને તણાવ ન્યૂનતમ છે.

તમિલનાડુ: ૭.૫ કરોડ ઉદારવાદી અને શિક્ષિત લોકો ધરાવતું આ રાજ્ય સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક રીતે સૌથી વિકસિત છે. અહીં બે જૂના પક્ષો DMK અને AIADMK અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે. ફિલ્મ સ્ટારમાંથી રાજનેતા બનેલા વિજયની ‘ટીવીકે’ (TVK) પાર્ટીએ, જેની સ્થાપના માત્ર બે વર્ષ પહેલાં થઈ હતી, મતદારોનું ધ્યાન ખેંચ્યું છે અને હવે તેઓ આગામી પાંચ વર્ષ સુધી શાસન કરશે. ત્યાં આર્થિક પ્રગતિ સંતોષકારક અને શાંતિપૂર્ણ રહેવાની અપેક્ષા છે.

પુડુચેરી: આ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. અત્યારે તેના માટે માત્ર એટલું જ કહેવું પૂરતું છે કે, આપણે તેની સુખાકારીની કામના કરીએ.

આસામ: આ પૂર્વોત્તર સરહદી રાજ્ય હાલમાં હિમંત બિસ્વા સરમાની નવી હિન્દુત્વવાદી અને મુસ્લિમ વિરોધી રેટરિક માટે જાણીતું બન્યું છે. એવી આશંકા છે કે આ ફાસીવાદી મુસ્લિમ વિરોધી પ્રલાપ ચાલુ રહેશે અને મુસ્લિમોને વધુ હાંસિયામાં ધકેલી દેશે, જેઓ રાજ્યની કુલ વસ્તીના ૩૪ ટકા છે. તેમના માટે કોઈ ‘અચ્છે દિન’ નથી; માત્ર ‘બુરે દિન’ જ છે.

પશ્ચિમ બંગાળ: આ રાજ્ય વિશેષ ધ્યાન ખેંચે તેવું છે. ૧૦ કરોડની વસ્તી ધરાવતા આ મોટા રાજ્યનો ભારત માટે મોટો ફાળો રહ્યો છે. અહીં ૨૬ ટકા મુસ્લિમો છે જેમણે મમતા બેનર્જીને સમર્થન આપ્યું હતું. નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમોને મતાધિકારથી વંચિત રાખવામાં આવ્યા હતા અને આપણી સર્વોચ્ચ અદાલતે એવો અભિપ્રાય આપ્યો કે, “જો કેટલાક લોકો મતદાન ન કરે તો તેનાથી કોઈ ફરક પડતો નથી. તેઓ આગામી ચૂંટણીમાં મતદાન કરી શકશે.”

મમતા બેનર્જીની હાર તદ્દન અણધારી હતી. પશ્ચિમ બંગાળમાં, ચૂંટણી પંચના આશીર્વાદ અને ભાજપના ‘ચાણક્ય’ના માર્ગદર્શન હેઠળ ભાજપે સત્તા કબજે કરી છે. આ રાજ્ય પણ મોંઘવારી અને બેરોજગારીથી પીડાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે મોદીજી આ પ્રશ્નો તરફ ધ્યાન આપે છે કે પછી કાલ્પનિક “ઘૂસણખોરો” ને બહાર કાઢવા માટે હિન્દુઓને ઉશ્કેરીને પોતાની સત્તા મજબૂત કરે છે. એક વાત ચોક્કસ છે કે, દેશના વર્તમાન રાજકીય વાતાવરણમાં નફરત અને ભય ફેલાવવા સિવાય ભાજપને બીજું કંઈ જ ફળતું નથી.

આ સમયની માંગ છે કે વિપક્ષી દળો ભારતની પુનઃરચના કરવા અને ૧૪૫ કરોડ નાગરિકોના હિતોનું રક્ષણ કરવા માટે એકજૂથ થાય. દેશને ફાસીવાદી વૃત્તિઓ, નકારાત્મક અને નફરતથી ભરેલી માનસિક ધારણાઓ અને લોકશાહી વિરોધી નીતિઓથી બચાવવા માટે વિપક્ષી પક્ષોએ હાથ મિલાવવા જોઈએ અને મક્કમ નીતિ અપનાવવી જોઈએ.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments