Saturday, July 27, 2024

જીવનનું આયોજન

વ્યક્તિત્વની શોધથી પોતાની જાતની જાણકારી થાય છે. જીંદગીની જુદી-જુદી દિશાઓ દૃષ્ટિગોચર થાય છે. આંખો ઉઘડી જાય છે, અને પોતાની જાત વિષે પરિચય થવા લાગે છે. વ્યક્તિત્વની શોધ માટેના કોઈપણ પ્રશ્નપત્ર પછી જરૂરી આગળની મંઝીલ એ છે કે આપણે પોતાને કેવી રીતે ઉત્તમથી અતિઉત્તમ બનાવીએ. દૃષ્ટાંત તરીકે આત્માની વર્તમાન પરિસ્થિતિ અગાઉ પણ સંતુષ્ટ ન હતી. હવે આ માપદંડથી પણ તેની પુષ્ટિ થઈ ગઈ. તો આવી પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાના આત્માના ઉત્થાન માટેના વિષયમાં ચિંતાતુર બની જાય છે. આત્માની બુલંદી માટે કેટલાક નુસ્ખાઓ પોતાની જીંદગીના રોજીંદા આચરણમાં સામેલ કરવાનો ઇચ્છુક બને છે. આ પ્રમાણે પોતાના વ્યક્તિત્વના બીજા પણ ઘણા પાસા અપૂર્ણ અધુરા અને પૂર્ણ કરવા માટે જરૂરી જણાય છે. જાતને પરિપૂર્ણ કરવા અને વ્યક્તિત્વની સુધારણા માટે જુદા-જુદા વિભાગોની સુધારણાના બદલે સંપૂર્ણ જાતની પરિપૂર્ણતાને સુધારણાનું નિશાન બનાવવું જરૂરી બની જાય છે. આ ઉત્ક્રાન્તિ માટે સામાન્યપણે ત્રણ રીતો પ્રચલિત છે.

(૧) સમયનું આયોજન

જીંદગીમાં સુંદરતા લાવવા માટે સમયના આયોજન ઉપર અગણિત પુસ્તકો લખવામાં આવ્યા છે. આપણા પ્રોગ્રામોમાં પણ તેની ચર્ચાઓ થાય છે. દરેક વ્યક્તિની જીંદગીમાં જે ૨૪ કલાક મળે છે, તેમાં દરેક પળને પોતાની પકડમાં લેવાની પ્રેકટીસ કરવામાં આવે છે. દ્રષ્ટાંત રૃપે સવારે ૪.૦૦ વાગે ઉઠવું, અધડો કલાક તહજ્જુદ, અડધો કલાક કસરત, પછી ફરજની નમાઝ, પછી ૩૦ મિનિટ મુતાલાએ કુઆર્ન, પછી ૩૦ મિનિટ દૈનિક સમાચાર પત્રનું વાંચન, પછી ન્હાવામાં ૧૫ મિનિટ, નાશ્તા માટે ૧૫ મિનિટ, ઓફિસ પહોંચવા માટે ૧૫ મિનિટ, વગેરે વગેરે.

વિચાર કરશો તો ખબર પડશે કે કોઈ જીવંત વ્યક્તિ અને આઝાદ ઇન્સાનના બદલે આપણે રોબોટ જેવી જિંદગી પસંદ કરીએ છીએ. જેમાં દરેક કામ વ્યવસ્થિત ગોઠવણી પ્રમાણે થાય છે. વ્યક્તિના વિકાસ માટેની આ ઢીલનું ચિત્ર આ છે કે આપણે પ્રાકૃતિક માનવ જીવનની કોઈ ભલાઈના કામ માટે સમય ફાળવવો, કંટાળો આવવો, કોઈ કામ છોડી દેવું, વાતાવરણના કારણે કોઈ કાર્ય માટે તત્પરતા પેદા ન થવી વગેરે આકાંક્ષાઓ માટે કોઈ અવકાશ અને છુટ્ટી આપણી પાસે રાખવા આપણે માગતા નથી. અને આપણી જાત સાથે સમય પાલનના બહાને નિર્દયી વર્તાવને આપણા ઉપર લાદી દઈએ છીએ. છેવટે સમયનો શું વાંક છે કે આપણે તેને જકડી રાખવા માગીએ છીએ?

(૨) કાર્યોનું આયોજન

જીંદગીને અત્યોત્તમ બનાવવા માટે બીજી કાર્યપદ્ધતિ છે કાર્યોનું આયોજન. સમયના આયોજનમાં સૂચના ચેક લીસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો કાર્યોના આયોજનમાં કેલેન્ડર અને ડાયરી દ્વારા જીંદગીનું આયોજન અને કાર્યોને પૂર્ણ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ પરિકલ્પનામાં કોઈ કામને દિવસમાં કોઈ પણ સમયે કરવા માટે અવકાશ રહે છે. દા.ત. તિલાવતે કુઆર્ન દરરોજ લાજમી છે. પરંતુ વ્યક્તિ પોતાની સહુલત પ્રમાણે ઘર, દુકાન, બજાર કે મુસાફરી દરમ્યાન કિતાબ, સીડી, આઈપોડ, મોબાઈલ દ્વારા સાંભળીને કે પઢીને કામ પૂર્ણ થયાનો અનુભવ કરે છે. જેમાં સમયની કોઈ કેદ નથી. કાર્યના આયોજનનો આ અનુભવ ઉત્તમ હોવા ઉપરાંત સરળતા અને વ્યક્તિ સ્વતંત્રતાની નજીક છે. પરંતુ આ કાર્યપદ્ધતિની ખામી એ છે કે સજ્જનતા (સૌહાર્દ)ની લાગણી ઉપર ડાયરીમાં નોંધ કરવામાં આવેલ કાર્યને શ્રેષ્ઠતા પ્રાપ્ત હોય છે. ઘણી વખત વ્યક્તિ કાર્યને બોજ સમાન અનુભવે છે. અને બોજ તળે જીવનની પ્રસન્નતા, આનંદ, અને રાહત ડૂસકા ભરીને પ્રાણ ત્યજી દે છે.

(૩) જીંદગીનું આયોજન

સમયના આયોજન અને કાર્યોના આયોજન કરતા વધારે પ્રગતિશીલ અને પ્રકૃતિના સમીપ જીંદગીના આયોજનનો ખ્યાલ છે. જીંદગીના આયોજનનો અર્થ ‘જાતનું આયોજન’ અથવા ‘વ્યક્તિત્વ આયોજન’ના શબ્દો પ્રયોજાય છે. આ કલ્પનામાં જીંદગીને ઉત્તમ બનાવવા માટે જીંદગીને જ ક્રમબદ્ધ કરવી પડે છે. જીંદગી નિરંતર આગળ ધપતી રહે છે. આ વાતની રાહ જોયા વગર કે આપણે આપણી સ્થિતિ કે જીવન વ્યવસ્થાને અમુક અંશે સુંદર બનાવી શકીએ.

કોઈ ઇજ્તેમામાંથી પરત ફરતી વખતે આપણે એટલા બધા પ્રભાવિત થઈએ છીએ કે નિશ્ચય કરીએ છીએ કે હવેથી તહજ્જુદની પાબંદી કરીશું. પરંતુ બે ત્રણ રાત્રિઓ પછી જીંદગી એ જ જુની ઘરેડ ઉપર આવી જાય છે. અહીં સુધી કે ફજર સુદ્ધાં કઝા થવા લાગે છે. કોઈએ ફૂલેલા પેટ ઉપર ટીકા કરી તો આત્મસન્માન કહે છે કે હવે રોજ સવારે વોકીંગ માટે જવું જોઈએ. અથવા કસરત કરવી જોઈએ. કોઈ જગ્યાએ દર્સે કુઆર્ન આપતી વખતે તિલાવત, તજવીદ અને મખરજની ગલતી પર કોઈ ટકોર કરે છે, તો શરમીંદગીના લીધે મનમાં નિશ્ચય કરીએ છીએ કે હવે દરરોજ કોઈ ઉસ્તાદ પાસેથી જઈને તિલાવતની સુધારણા કરી દઈશું. આપણે કોઈ જૂનો મિત્ર અથવા જુનિયર લાંબી મુદ્દત પછી મુલાકાત પર ટાંઇ-ટાંઈ અરબી વાક્યો, મુહાવરો, દંડાની ચોટની માફક સંભળાવી દે છે તો લઘુતાગ્રંથી અંગડાઈ લેવા લાગે છે કે હવે હું પણ અરબી વ્યાકરણ અને પદવ્યાખ્યા શીખીશ. કોઈ પ્રોગ્રામમાં કોઈ અન્ય સાહેબના પ્રસ્તાવ ઉપર લોકો વાહવાહ બોલી બોલી ઉઠે છે આનું કારણ એ હતું કે તેમનામાં પોઈન્ટને રજૂ કરવાની શક્તિ હતી. ઇચ્છા થવા લાગે છે કે આપણે પણ કોમ્પ્યુટર ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરીશું. આ અને આવી અસંખ્ય કામનાઓ અને ઇચ્છાઓ દિલમાં પેદા થાય છે. અને આપણી બેપરવાઈ, આળસ અને સુસ્તીની ગોદમાં શ્વાસ છોડી દે છે. અને અનેક વખત આપણે પોતે આપણી નિરાશાઓનું ઘર બની જઇએ છીએ. આ સ્થિતિ વધતી જાય તો આપણી જીંદગી અસંતોષનો શિકાર બની જાય છે. આ પરિસ્થિતિમાંથી નીકળવા માટેનો એક માર્ગ આ છે કે આપણે આપણી જીંદગીનું વ્યવસ્થિત આયોજન કરવાનું શીખીએ. તહજ્જુદ માટે ઉઠવાનું, સુંદર રીતે તિલાવતે કુઆર્ન કરવી, કસરત કરવી, કોમ્પ્યુટર શીખવું, અથવા અરબી ભાષા શીખવી. આ ત્યારે જ શક્ય બની શકે કે જ્યારે ઇચ્છાને જરૂરતરૃપે મહેસૂસ કરવા લાગીએ. જરૂરતને પૂર્ણ કરવા માટે પાકો ઇરાદો કરવામાં આવે. ઇચ્છાને અમલમાં મૂકવા માટે આયોજન કરવામાં આવે. આ રીતે વર્ષો-વર્ષના અધુરા સ્વપ્ન થોડા દિવસોમાં સાકાર બની જશે. એ શરતે કે આપણે વ્યક્તિત્વનું આયોજન અથવા જીંદગીના આયોજનની કળા જાણી લઈએ.

ઇચ્છાઓને જરૂરત રૃપે મહેસૂસ કરવા માટે બે રીતો છે.

(૧) આપણે આ વાતનું નિરીક્ષણ કરવું જોઈએ કે આપણે શું પ્રાપ્ત કર્યું ?

(૨) ઘર, સંસ્થા, સમાજ, વિશ્વ અને માનવતાને આપણે શું આપ્યું ?

જો આપણે દસ વર્ષ પહેલાં જે સ્થિતિમાં હતા એ જ સ્થિતિમાં અત્યારે પણ હોઈએ તો આ વાત શરમજનક છે. કેમકે ઘરના આંગણમાં રોપેલો છોડ દસ વર્ષમાં મોટુ વૃક્ષ બની ગયું અને સુંદર ફૂલો લાગી ગયા. અગણિત ફૂલો તેણે ઘર વાળાઓને પ્રદાન કર્યો. ઘરની ગાય દસ વર્ષ પહેલા એક જ હતી. દસ વર્ષોમાં તેણે કેટલાય વાછરડાઓને જન્મ આપ્યો. તે મોટા પણ થઈ ગયા અને સૌએ ભેગા થઈને દૂધની માત્રાને કંઇક ઘણું વધારીને સમાજને પ્રદાન કર્યું.

છેવટે દસ વર્ષોમાં જો આપણે આપણા વ્યક્તિત્વમાં પ્રગતિ નથી કરી તો આપણો ખોળો ખાલીને ખાલી જ રહેશે અને સમાજની નજરમાં આપણું મહત્ત્વ ઘટી જશે. કારણ કે આપણું અસ્તિત્વ બીજાઓ માટે કોઈ લાભદાયક સાબિત ન થયું. આ પરિસ્થિતિનું પૃથકકરણ કરવાથી જાણ થશે કે આ વિકાસ અને પ્રગતિ ન થવાનું કારણ ફકત બેપરવાઈ જ છે. વિસ્મૃતિ, ભૂલ-ચૂક, સુસ્તી, આળસ, ટાળમટોળ એ બેપરવાઈની જ શાખાઓ છે. બેપરવાઈ એ માણસની મૂળભૂત નબળાઈ અને અનાદિકાળની દુશ્મન છે.

સૈયદ હુસૈન નસરએ પોતાના પુસ્તકમાં લખ્યું છે,

“ઇસ્લામનો પાયો અનાદિકાળના ગુનેગાર હોવા ઉપર નથી. તેમ છતાં તે માણસના પ્રાચીન અને વિશિષ્ટ અસલી સ્થાનથી પતનનો સ્વિકાર કરે છે, જેના ઉપર તે પેદા કરવામાં આવ્યો હતો. ઇસ્લામની દ્રષ્ટિમાં બે-પરવાઈ જ વાસ્તવમાં માણસનો સૌથી મોટો ગુનો છે.

અલ્લાહની નજરમાં સૌથી મોટો ગુનાહ છે શિર્ક અથવા તેનો કોઈ ભાગીદાર ઠેરવવામાં આવે. આ ગુનાહ વાસ્તવમાં આપણા પોતાના પ્રારંભને ભૂલી જવાનું પરિણામ છે. પ્રારંભના રહસ્યને ભૂલી જવાના પરિણામે આપણે અલ્લાહની વહદાનિયત (એકેશ્વરવાદ) અને ઇન્ફરાદિયત (અજોડપણુ)ને પણ ભૂલી જઇએ છીએ.” (A Young Muslims Guide to the Modern World, P7)

આપણામાં મોટાભાગના મિત્રોની જીંદગી સુસ્તી અને બેપરવાઈથી ભરપૂર છે. દા.ત. ગાડીના વીમાનો હપ્તો ભરવાની તારીખ વીતી જાય છે. આજ-કાલ કરવામાં બે ચાર મહિના પસાર થઈ જાય છે. છેવટે એ સમયે વીમો ભરવાનો વારો આવે છે, જ્યારે કોઈ રોડ ઉપર પોલીસ આપણને રોકે. કાગળોની તપાસ કરે અને વીમો ભરેલો ન હોવાના કારણે દંડ વસૂલ કરે. ઘરની સ્વીચ બદલવામાં સુસ્તી અને ટાળ-મટોળથી કામ લે છે, એક દિવસ નાની છોકરીને આંગળી અડવાથી ઇલેકટ્રોનિક શોટ લાગે છે, ત્યારે આપણો હોશ ઠેકાણે આવે છે અને શીખ લઈએ છીએ કે ૫ રૃપિયા ખાતર આળસ કરવાથી નન્હી જાનની કિંમત ચુકવવી પડતી. ગજવામાં પૈસા હોવા છતાં ટેલીફોન બીલ ભરવા માટે સુસ્તી અને બેપરવાઈના કારણે વિચાર કરીએ છીએ કોઇ વખત એ તરફ જવાનું થશએ તો ભરી દઈશું. જે દિવસે ટેલીફોન લાઈન કપાઈ જાય છે ત્યારે પાઠ શીખવા મળે છે કે ટેલીફોન બીલ ભરવા માટે ઓફિસ તે રસ્તામાં આવવાની રોહ જોયા વગર આપણે જ ઓફિસના માર્ગે જઈને સમયસર બીલ ભરી દેવું જોઈએ.

પ્રસ્તુત સ્થિતિ એ વાતની ચાડી ખાય છે કે આપણે જીંદગીને ગુજારતા નથી, પરંતુ જીંદગી આપણને વિતાવી રહી છે. જીંદગી ઉપર આપણો કંટ્રોલ નથી પરંતુ આપણા ઉપર જીંદગીનો કંટ્રોલ છે. આપણે જીંદગી જીવતા નથી પરંતુ એક જીવંત ખોળિયુ ધરાવીએ છીએ. પરિસ્થિતિ ઉપર આપણો કંટ્રોલ નથી, પરંતુ પરિસ્થિતિ આપણા ઉપર કંટ્રોલ મેળવી ચુકી છે. આપણે આપણી નિશ્ચિત મંઝીલ તરફ આગળ વધી નથી રહ્યા, પરંતુ જીંદગી આપણને મૃત્યુ અને કબર તરફ આગળને આગળ ધકેલી રહી છે. દુનિયા અને આખેરતમાં આપણે ઇનામ અને મદદને પાત્ર ત્યારે જ બનશું, જ્યારે આપણે જીંદગીમાં કંઇક પ્રાપ્ત કર્યું હશે. અથવા આપણી જીંદગીમાં આપણે દુનિયાને કંઇક આપ્યુ હશે. આ અસંતોષની સ્થિતિને દૂર કરવા માટેનો એક માત્ર ઇલાજ એ છે કે આપણે જીંદગી ઉપર કાબૂ પ્રાપ્ત કરીએ અને તેને સુવ્યવસ્થિત રીતે પસાર કરીએ. સ્વપ્નાઓને સાકાર કરવા માટેનો સર્વશ્રેષ્ઠ તરીકો એ જ છે કે મક્કમતા પુર્ણ ઊભા થઈએ, અભ્યાસ તર્બિયત, તઝકિયાની પ્રાપ્તિ એ ફકત જ્ઞાાન પ્રાપ્ત કરવા માટે નહીં પરંતુ સક્રિયતા અને ગતિશીલતા માટે છે. મનુષ્યને જાણ હોવી જોઇએ કે તે પોતાની જાતમાં છૂપો ખજાનો ધરાવે છે. પરિશ્રમ અને પ્રયત્નોથી તે નિશ્ચિત ધ્યેય પર પહોંચી શકે છે. જીંદગીમાં પરિવર્તન લાવવું એ એક મોટો પડકાર છે. પડકારનો સ્વીકાર કરવાનો અર્થ એ છે કે આપણે જવાબદારીનો સ્વીકાર કરીએ. આપણી જીંદગીને સુખમય, લાભદાયી અને વિકાસશીલ બનાવવી હોય તો વૃક્ષથી બોધગ્રહણ કરવો પડશે કે તે કેવી રીતે પોતાના માટે એક સ્થાન અને એક માર્ગ શોધ કરે છે. જેમાં તેની શાખાઓનો વિકાસ થઈ શકે. જીંદગીમાં એક મોટી ભૂલ એ થઈ ગઈ કે આપણે જીંદગીને શણગારી નથી. આ ભૂલને જાણી લીધા પછી પુનઃદોહરાવવી એ મુર્ખતા કહેવાય. જીંદગીમાં આપણે હંમેશા નવું શીખતા રહેવું જોઈએ. સફળતામાંથી, જેથી પુનઃ તેને દોહરાવી શકાય અન નિષ્ફળતામાંથી, જેથી તેનાથી બચી શકાય. (ક્રમશઃ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments