Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસવ્યક્તિની ઉન્નતિમાં સંગઠનનો ફાળો – ૨

વ્યક્તિની ઉન્નતિમાં સંગઠનનો ફાળો – ૨

(ગતાંથી ચાલુ)
‘અમેરિકાની એક સડક પર એક મહિલા એવી રીતે ઉભી છે કે જાણે તેની કારનું ટાયર પંકચર થઈ ગયું છે. એક બીજુ ટાયર રાખીને તે લાચાર સ્ત્રી એની રાહ જોઈ રહી છે કે કોઈ હમદર્દ તેની મદદ માટે રોકાઈ જાય. પસાર થનાર ગાડીઓ પસાર થઈ જાય છે. પરંતુ તેમાં ‘Good Samaritan’ બહુ ઓછા જ પસાર થાય છે. એક બીજી સડક પર એક બીજો અનુભવ બિલ્કુલ આ જ પ્રકારનો થાય છે પરંતુ અહીં ફરક એ છે કે આ પ્રકારની લાચાર સ્ત્રીથી એકાદ કીલોમીટર પહેલાં એક બીજી લાચાર સ્ત્રીની ગાડી ઉભેલી હતી અને તેની મદદ માટે નવયુવાન કંઇક કામગિરી કરી રહ્યો હતો. જે વાસ્તવમાં અનુભવી ટીમનો એક વ્યક્તિ હોય છે. પરંતુ સડક પરથી પસાર થનાર દયાળુ અને પરગજુ વ્યક્તિઓ જ્યારે જ્યારે આ દૃશ્ય દેખીને આગળ વધે છે તો એકાદ કિલોમીટર દૂર જ્યારે બીજી સ્ત્રી આવી જ પરિસ્થિતિમાં સપડાયેલી નજરે પડે છે તો સારી એવી સંખ્યામાં વ્યક્તિઓ ઉતરીને ‘May I help you’ કહીને મદદ માટે તૈયારી બતાવે છે. આ બીજા પ્રકારના અનુભવમાં પહેલાં અનુભવની સરખામણીએ ‘Good Samaritan’ સંખ્યા વધુ હોય છે. આ રીતે જ્યારે માણસમાં સારા કામની પ્રેરણા જાગે છે તો તેને ‘Observational Learning’ કહે છે અને તેની અસર વધારે ગાઢ હોય છે. આત્મશુદ્ધિ માટે સંગઠન સાથે સંબંધ દ્વારા પ્રાપ્ત થનાર જ્ઞાન અને સદ્ભાવના અજ્ઞેય પરંતુ ગાઢ અને ટકાઉ હોય છે.

કારકિર્દીમાં શ્રેષ્ઠતા :

શું આપે ક્યારેય આ વિચાર કર્યો છે કે ખેલાડી પોતાના નેટ સેશનથી સારૃ પ્રદર્શન તે સમયે કરે છે જ્યારે તે કોઈની સાથે હરિફાઈમાં પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરે છે. પ્રવચનની પ્રેકટીસમાં વક્તાઓ સ્ટેજ ઉપર અને શ્રોતાગણની સામે સારૃ અને ચોટદાર ભાષણ કેમ કરી શકે છે? નોર્મર નામના એક મનોવૈજ્ઞાનિકે આ વિષય ઉપર સંસોધન કર્યું. તેણે કેટલાક નવયુવાનોને અમુક ચોક્કસ અંતરે સાયકલ પર સવાર કરીને જુદી-જુદી સાયકલીંગ કરાવી અને તેના ટાઈમીંગની નોંધ કરી લીધી. પછી યુવાનોને એક જુથ કરીને સાઇકલ પર એક સાથે હરિફાઈ કરાવી. તેનો રીપોર્ટ બતાવે છે કે યુવાનોની દોડ બીજા સાથીઓની હાજરીમાં ઘણી જ તે જ થઈ ગઈ અને લક્ષ્યપ્રાપ્તિ માટે શ્રેષ્ઠ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.

આપણે આપણી જીંદગીની કારકિર્દીમાં ઠંડા અને ટહેલતા-ટહેલતા ચાલવાના આદી હતા. સંગઠને આપણને તે જ ગતિથી ચાલતા કરી દીધા. સંગઠન સાથે જોડાતા પહેલાં આપણે પ્રસંગોચિત વાત કરી શકતા ન હતા, પરંતુ સંગઠનનો આ ઉપકાર છે કે આપણે તર્કશક્તિથી સજ્જ થઈને પ્રસંગોચિત અને બુદ્ધિમત્તાની વાતો જ્યારે કરીએ છીએ, ત્યારે સામેના વ્યક્તિઓ ખુશ અને સંતુષ્ટ થઈ જાય છે.

આપણે પત્ર લેખન અને લેખનકળા સમવયસ્ક યુવાનો વચ્ચે શિખીએ છીએ. આ રીતે આપણે સારા લેખક બની શકીએ છીએ. આમ આપણી જીંદગી સુશોભિત બની જાય છે અને આપણું વ્યક્તિત્વ પ્રભાવશાળી બની જાય છે.

યોગ્યતાઓનો વિસ્ફોટઃ

દુનિયામાં પેદા થનાર દરેક વ્યક્તિ પોતાનું અનન્ય વ્યક્તિત્વ લઈને આવે છે. તેની અંદર યોગ્યતાઓની શક્યતાઓ સુષુપ્ત અવસ્થામાં રહેલી હોય છે. આ સુષુપ્ત યોગ્યતાઓની પરખ થઈ પણ જાય, તેમ છતાં તેને આચરણમાં લાવી શકતા નથી. આ વાત સર્વ સંમત છે કે દુનિયામાં માણસની ગણના, કિંમત અને માન-પ્રતિષ્ઠા તેની યોગ્યતાઓ અને હુનરમંદીના કારણે થાય છે. પરંતુ પરલોકમાં માણસનું વજન તેની યોગ્યતાઓના બદલે તેના સદ્ચારિત્ર્ય અને સદ્વર્તનના કારણે થશે. આત્મશુદ્ધિમાં સદ્ચારિત્ર્ય, સદ્વર્તન અને યોગ્યતાઓ બંનેને નિખારીને શ્રેષ્ઠતા, ઉત્તમતા અને ઉન્નતિના શિખર સુધી અપૂર્ણ અને અધૂરો ગણાશે. સદ્ચારિત્ર્ય તો સાલેહ લોકોની સોબતથી પેદા થાય છે પરંતુ યોગ્યતાઓ અને સદ્ગુણો સંગઠનથી પેદા થાય છે.

દરેક અણુમાં શક્તિ છુપાયેલી હોય છે. પરંતુ દરેક અણુ પોતાની શક્તિનો જાહેર કરી શકતો નથી. પરંતુ જ્યારે તે જ અણુને Fission Mechanismમાં સેટ કરવામાં આવે તો તેની અંદરની છુપી શક્તિનો વિસ્ફોટ થાય છે, જે ભલાઈના કામો માટે પણ એવી જ રીતે ઉપયોગ કરી શકાય છે જેવી રીતે એટમ બોમ્બમાં ઉપયોગ થાય છે. આવી જ રીતે વ્યક્તિની અંદર લેખનકળા, બોલવાની કળા, શાયરી, મધુર રાગ, રમુજવૃત્તિ, વ્યવસ્થા-ગોઠવણી, સજાવટ, ગ્રંથરચના અને સંશોધન વગેરે કલાઓ અણુના રૃપમાં છુપાયેલી હોય છે. પરંતુ અમે ઘણા બધા યુવાનોની આવી યોગ્યતાઓ મુરઝાઈ જતી દેખી છે, જેઓ સંગઠનની મહાન દોલતથી વંચિત રહે છે. પરંતુ જેમણે આ ઉપહારનો સ્વિકાર કરી લીધો તેમની જીંદગીમાં ચારે ચાંદ લાગી ગયો અને તેમની જીંદગીઓ તેમના રહેલી યોગ્યતાઓ ઉચ્ચ શિખરે પહોંચાડીને ઝળહળતી અને વિશાળ બની ગઈ.

દોષોની જાણકારીઃ

આત્મશુદ્ધિમાં પ્રાથમિક અને પાયાનું કાર્ય પોતાના દોષોને ઓળખવાનું છે. જેથી જીંદગીને તે દોષોથી સાફ-સુથરી કરવામાં આવે. નહીંતર આ દોષો પ્રગતિના પંથમાં આડ બની જાય છે. એક બુદ્ધિશાળી અને પ્રગતિનો ઇચ્છુક વ્યક્તિ આ વાતથી ખુશ થશે કે કોઈ અન્ય તેના દોષોને તેની સમક્ષ જાહેર કરે, જેથી તે તેના ઉપર કાબૂ પ્રાપ્ત કરી શકે. ઈમામ ગઝાલી રહ.ની કિતાબના હવાલાથી અગાઉના વિષયોમાં દર્શાવવામાં આવ્યું છે કે ખામીઓને ઓળખવાની ચાર રીતો છે તેમાં પ્રથમ નેક લોકોની સોબત, બીજી બુદ્ધિમાન અને સાચામિત્રોની દોસ્તી, ત્રીજી ટીકાકારોની ટીકાઓથી ફાયદો પ્રાપ્ત કરવો અને ચોથા રીત દુર્જનોને દેખીને દુશ્કર્મથી બચતા રહેતું. આ ચાર રીતો પૈકી બીજા નંબરની રીત ઇસ્લામી સંગઠનમાં જ પ્રાપ્ત થઈ શકે છે. નહીંતર સામાન્ય મિત્રોની બેઠકોમાં ખુશામતની આદત હોય છે. કલંકિત ને શ્રેષ્ઠ બનાવીને પેશ કરવામાં આવે છે. પરંતુ ઇસ્લામી સંગઠનમાં કોઈ પણ જાતનો વધ-ઘટ કર્યા વગર દિલની લાગણી સાથે અને હિકમત સાથે વાત-ચીત દ્વારા આપણા દોષો આપણી સામે લાવીને આપણી સુધારણા કરે છે અને આ કાર્ય તેઓ લિલ્લાહ અને નિઃસ્વાર્થ ભાવનાથી કરે છે. ઇમામ ગઝાલી (રહ.) વર્ણન કરે છેઃ “બીજુ એ કોઈ પોતાના શુભેચ્છક, સાચા મિત્રને કહે કે મારી સ્થિતિ અને કાર્યો ઉપર આપ દેખ-રેખ રાખતા રહો, અને જે કંઇ મારી આદતો અને કાર્યો જાહેરમાં અને ખાનગીમાં દોષયુક્ત અને અશોભાસ્પદ હોય તેનાથી મને ચેતવી દો. દીનના નાજાવર ઈમામો આ જ રીતે વર્ણન કરતા હતા. હઝરત ઉમર રદી. ફરમાવ્યા કરતા હતા કે અલ્લાહની રહમતની વર્ષા થાઓ તે વ્યક્તિ ઉપર, જે મને મારા દોષો જણાવે. તે હઝરત સલમાન ફારસી રદી.ને પોતાના દોષો વિષે પુછ-પરછ કરતા રહેતા હતા જ્યારે હઝરત સલમાન ફારસી રદી. આપની પાસે તશરીફ લાવ્યા તો આપે ફરમાવ્યું, મારી એવી કોઈ વાત વાત પણ પહોંચી છે જે તમને સારી ન લાગતી હોય? તેમણે નમ્રતાપૂર્વક કહ્યું કે મને માફ કરો. આપે દબાણપૂર્વક પૂછ્યું તો તેમણે કહ્યું, મેં સાંભળ્યું છે કે આપ દસ્તરખ્વાનમાં બે જાતના શાક ખાઓ છો, વળી આપની પાસે બે પોષાક છે, એક રાત્રિ માટે અને એક દિવસ માટે. આપે ફરમાવ્યું, તે સિવાય બીજું કંઇ સાભળ્યું છે? તેમણે કહ્યું, ના. આપે ફરમાવ્યું, આ બંને વસ્તુથી આપ નિશ્ચિત બની જાઓ.” (અહ્યાઉલ ઉલુમ, જિલ્દ-૩પા.૯૫)

પરંતુઃ

સંગઠનથી વ્યક્તિની ઉન્નતિ થાય છે એ વાત સૂર્યથી પણ વધારે તેજસ્વી છે. પરંતુ અમુક સમયે સંગઠનમાં વ્યવસ્થાતંત્રનું પલ્લુ ભારે બની જાય છે. કામગિરીના બદલે સમસ્યાઓ ઉપર આપણી શક્તિનો વધારે વપરાશ થાય છે. સાદગીના બદલે જવાબદારીના નામે પરિસ્થિતિને અનુરૃપના મોહમાં પ્રસિદ્ધિનો ચસ્કો લાગી જાય છે. સર્ક્યુલર, પ્રવાસો, ઇજતિમાઓ, મુલાકાતો, મિટિંગો, સુચની મિટિંગ, રિપોર્ટ્સ, ધરણા પ્રદર્શનો, નારાઓ વિગેરે કાર્યો મહત્વના કાર્યો તરીકે નક્કી કરવામાં આવે છે. જેના કારણે વ્યક્તિનું વ્યક્તિત્વ સુધરવાને બદલે સત્વહીન બની જાય છે. એવામાં વડીલો સાથે મળવાનો કે પોતાના અંતરાત્માથી મળવાનો સમય ક્યાંથી મળી શકે? અમે મોટા, અમારા દરજ્જાઓ ઊંડા, અમારી પ્રવૃત્તિઓ નિઃસહાય. આ દ્રષ્ટિકોણથી આપણે સંગઠનનું નિરીક્ષણ કરવું જોઈએ. દરેક કામને તેનું ઉચિત સ્થાન મળવું જોઈએ. જવાબદારોની લાંબી સીડીના બદલે કાર્યકારોની લાંબી લાઈન તૈયાર કરવી જોઈએ. અહીં સુધી કે આપણું સંગઠન આપણી સામુહિકતા, આપણી આત્મશુદ્ધિ અને વ્યક્તિના વિકાસમાં મદદરૃપ અને વરદાન સાબિત થઈ શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments