Saturday, July 27, 2024

વ્યક્તિની ઓળખ

(ગતાંકથી ચાલું)

(૩) શિક્ષણ અને આચરણની પદ્ધર્તિઃ

માણસનું વ્યક્તિત્વ તેના આચરણની પદ્ધતિથી ઓળખી શકાય છે. અને મોટા ભાગના આચરણની રીત-ભાત શિક્ષણથી પ્રાપ્ત થાય છે. શિક્ષણથી આચરણમાં સુધારો થાય છે. માણસનું વર્તન ક્યારેક પ્રાકૃતિક ગતિથી વિકસિત અને દૃઢતાએ પહોંચી જાય છે. જેવી રીતે બાળક જન્મની સાથે જ માથું ઊંચકવું, બેસવું, ચાલવું, કુદવું, દોડવું શીખી નથી જતો, પરંતુ ઉંમર વધવાની સાથે ધીરે-ધીરે શીખે છે. શરીરમાં વૃદ્ધિ અને અવયવોમાં મજબૂતાઈની સાથે સાથે આ બનતું હોય છે તેના માટે બાળકને કોઈ મહેનત નથી કરવી પડતી. પરંતુ દોડની હરિફાઈમાં, તરવામાં, લાંબા કુદકો, ઊંચો કુદકો વગેરે માટે કેળવણી જરૂરી છે. વર્તનની સુધારણા અને વ્યક્તિત્વની ઓળખનું આ પાસુ શિક્ષણથી પ્રાપ્ત થાય છે. શિક્ષણમાં પ્રેકટીસ, પ્રયત્ન, મહેનત અને ભૂલ બધુ જ સામેલ છે. જેનાથી માનવીનું વ્યક્તિત્વ ઉજ્જવળ બને છે. માનવી જે પણ કાર્ય કરે છે અને જેવી પણ રીત-ભાત અપનાવે છે. તે તેણે પોતે શીખેલી હોય છે. કોઈ વખત આ શીખવાનું બાળપણમાં બને છે અને કોઈ વખત સમકાલીન વાતાવરણમાં થાય છે. જ્યાં કેટલાક નવયુવાનો સોફ્ટવેર કંપનીઓમાં સર્વિસ અથવા અમેરિકા કે યુરોપના પ્રવાસ ફળસ્વરૃપે ઘણી બંધી સંવેદનશીલતા, શિષ્ટાચાર, સભ્યતા, ગતિશીલતા અને કુત્રિમ સજ્જનતા શીખે છે. શીખવામાં અભિરૃચિ અને અનુકરણની પણ અસર હોય છે. માણસ તે શીખી લે છે જેની તેને રુચિ હોય છે અને તેનાથી તે અળગો રહે છે. જેનાથી તેને ડરાવવામાં આવતો હોય. માણસ લખતાં-વાંચતા, સારૃ ભાષણ કરતાં, ચિંતનશીલ બનવાનું એના લીધે શીખે છે કે તેને સમકાલીન વાતાવરણમાં એ વસ્તુની પ્રેરણા મળતી હોય છે. આ રીતે અમુક સમયે તે પોતાની પ્રાકૃતિક યોગ્યતા પણ એટલા માટે ત્યજી દે છે કે સમકાલીન વાતાવરણમાં તે કોઈ પસંદ કરતુ નથી હોતું. આ રીતે માનસશાસ્ત્રી સ્કૂનરના મત પ્રમાણે,

What most people call personality is a collection of reinforced response. We are the persons that we are because we behave in certain ways, and we behave in certain ways because of the reinforcement contingencies we experience.

વ્યક્તિત્વની ઓળખ તેના શીખવા, શીખવાડવા, માહોલ અને ઈર્ટૅજેિી પરથી પણ થાય છે. ઇસ્લામી તેહરીકથી સંબંધ ધરાવનાર વ્યક્તિ, તબલીગી જમાઅતથી સંબંધ ધરાવનાર વ્યક્તિ કરતાં અલગ હોય છે. એક નદવી-કાસિમી, એક ફલાહી-સલ્ફીથી જુદો એ કારણથી હોય છે કે તેના વ્યક્તિત્વ ઘડતરમાં તેની તાલીમનો અસર હોય છે. વ્યક્તિત્વની ઓળખ માટે આટલી વાત જાણી લેવી પણ પૂરતી હોય છે કે તેનો ઉસ્તાદ કોણ છે? તેના સહાધ્યાયીઓ કેવા છે? તેની તાલીમનું સ્થળ કયું છે? તે કયા સંગઠનના વાતાવરણમાં ઉછર્યો છે? કુઆર્નમાં વર્ણન કરવામાં આવ્યા છે, જન્નત અને જહન્નમનું વર્ણન, મુસા અ.સ. અને ફિરઓનનો કિસ્સો, ઇબ્રાહીમ અ.સ. અને નમરૃદ વગેરે, આ પાસાથી વ્યક્તિત્વનું ઘડતર કરે છે.

(૪) ‘સ્વ’ (પોતાની જાત)નો સિદ્ધાંતઃ

માનવી પોતાની જાત વિષે એક ગ્રંથી રાખતો હોય છે. દુનિયાને પોતાની દ્રષ્ટિકોણથી જુએે છે. પોતાના ગુણો, યોગ્યતાઓ, શક્તિ અને નબળાઈઓની એક રૃપરેખા પોતાના મગજમાં ધરાવતો હોય છે. જેને જીીઙ્મક ૈંદ્બટ્વખ્તી કહેવાય છે. માણસનો વિચાર, યાદશક્તિ, કલ્પનાશક્તિ, આયોજન, તેના વ્યક્તિત્વના બીજા પાસાની ઓળખ કરાવે છે.

નિષ્ણાંત મનોવૈજ્ઞાાનિક અબ્રાહમ માસલોેના મત પ્રમાણે દરેક માણસની પ્રકૃતિમાં વિકાસ અને ઉન્નતિની આંતરિક શક્તિ એ રીતે છુપાયેલી હોય છે જે રીતે વૃક્ષના બીજમાં છુપાયેલી હોય છે. બીજ પ્રથમ જમીનમાંથી બહાર નીકળે છે. ત્યારે અત્યંત નાજૂક કૂંપળના સ્વરૃપમાં હોય છે, પરંતુ જેમ-જેમ તેની જરૃરિયાત પૂરી થતી જાય છે તે વૃદ્ધિ પામે છે. અહીં સુધી કે તે એક ઘટાદાર વૃક્ષ બની જાય છે. એક વૃક્ષ તેના મૂળ, થડ, ફૂલની સુગંધ અને ફળના સ્વાદથી ઓળખાય છે. એવી જ રીતે માણસની ઓળખ તેની આસ્થા, ગુણો, કાર્યો, વર્તન, પરગજુ અને પરોપકાર વગેરે કાર્યો દ્વારા થાય છે. મોમિનનું દ્રષ્ટાંત કુઆર્નમાં આ પ્રમાણે આપવામાં આવ્યું છે,

“… અને ઇંજીલમાં તેમનું દૃષ્ટાંત આ રીતે આપવામાં આવ્યું છે કે જાણે એક ખેતી છે જેણે પહેલાં કૂંપળ કાઢી, પછી તેને પરિપુષ્ટ કરી, પછી તે ફાલી અને પાંગરી, પછી પોતાના થડ ઉપર ઊભી થઈ ગઈ…” (સૂરઃ ફત્હ-૨૯)

“શું તમે જોતા નથી કે અલ્લાહે ‘કલિમએ તૈયિબહ’ (પવિત્ર વાત)ને કઈ વસ્તુ સાથે સરખાવેલ છે? આનું ઉદાહરણ એવું છે કે એક ઉચ્ચ પ્રકારનું વૃક્ષ જેના મૂળ જમીનમાં ઊંડે સુધી જામેલા છે અને શાખાઓ આકાશ સુધી પહોંચેલી છે.” (સૂરઃ ઇબ્રાહીમ-૨૪)

દરેક માણસમાં સારી, પવિત્ર અને ઉચ્ચ પ્રકારની પ્રાકૃતિક લાગણી હોય છે. પરંતુ જે લોકોની જિંદગી મૂળભૂત જરૃરિયાત અથવા રોટી, કપડા અને મકાનની ચિંતાથી ઉપર નથી ઉઠતી તેમનું વ્યક્તિત્વ પણ ઉચ્ચ નથી બનતું. વ્યક્તિની અંદર સ્વંયકરૃણા, ખિલવું અને ફેલાવવાનો ગુણ રાખવામાં આવેલો છે, જે પોતાના વ્યક્તિત્વને સજાવે છે. તે સફળ છે દુનિયામાં કેટલાક વ્યક્તિઓ આ પાસાથી જાહેરમાં જોવા મળે છે. જાણે તે એક ઘટાદાર વૃક્ષ સમાન હોય છે. તે પોતાની જાતમાં મકક્મ હોય છે. તે સમાજમાં પ્રસંશાપાત્ર હોય છે. પોતાના કામોથી માનવતાને ફાયદો પહોંચાડે છે. વૃક્ષના છાયડામાં જેવી રીતે માનવી, પશુ પક્ષીઓ આવીને રાહત મેળવે છે, એવી જ રીતે તેમના વ્યક્તિત્વના છાંયડામાં પહોંચીને માણસ અને અન્ય જીવો રાહત પામે છે. જેવી રીતે વૃક્ષ પોતાની રીતે વૃદ્ધિ પામે છે, કોઈ અન્ય વૃક્ષ જેવા બનવાની ઇચ્છાથી ખાલી હોય છે. એવી જ રીતે પોતાની જાત ઉપર વિશ્વાસ ધરાવનાર વ્યક્તિઓ મૌલિક હોય છે અને વાણી, વર્તન, રુચિ, શોખ, બનાવ, બગાડમાં પણ તે મૌલિક હોય છે અને પોતાની આગવી ઓળખ પેદા કરે છે. તે લોકો ક્યારેય કોઈ ફિલોસોફર, કોઈ વકતા, કોઈ લેખક, કોઈ ધારાશાસ્ત્રી કે કોઈ સંગીતકાર જેવા બનવાના વિચારોમાં પરોવાતા નથી કે ન કામની નકલ કરે છે. પરંતુ તે નિખાલસ અનન્ય ચિત્તાકર્ષક અને મૌલિક હોય છે. મનોવૈજ્ઞાાનિક ભાષામાં આ પ્રકારના વ્યક્તિઓને ‘self actualized people’ કહેવાય છે. અર્થાત્ તે વ્યક્તિઓ જેઓ પોતાની પ્રાકૃતિક યોગ્યતાઓ અને સલાહિયતોને પૂર્ણ કક્ષાએ પહોંચાડે છે. માસલોના મતે પોતાની આગવી સૂઝબૂઝ પ્રમાણે વર્તન કરનાર વ્યક્તિની અમુક નિશાનીઓ હોય છે. જે આ પ્રમાણે છે.

* તેઓ અનુભવ માટે પવિત્ર માનસિકતા, નિખાલસ મન, ઉચ્ચ વિચારો અને સંપૂર્ણ તલ્લિનતા સાથે પોતાનું મન ખુલ્લુ રાખે છે.

* તેઓ પોતાના અંતઃકરણથી દૃઢ સંકલ્પ ધરાવતા હોય છે અને પોતાની જાત ઉપર આત્મ નિર્ભર (સ્વાવલંબી) હોય છે.

* તેઓ મૌલિક, સ્વાધિત અને સ્વતંત્ર વિચારશીલ હોય છે. વ્યક્તિઓ અને ઘટનાની માહિતી અને જાણકારી પ્રાપ્ત કરવામાં ચીલા-ચાલુ પદ્ધતિથી ઉપર હોય છે.

* ધ્યેય પ્રાપ્તિ માટે જીવનને સમર્પિત કરવાની સાથે તેમનામાં ઊચ્ચકોટિની કાર્યશૈલીની ધગશ હોય છે. અથવા ઓછામાં ઓછું સુંદરથી સુંદરતમ પ્રયત્નો કરે છે.

* પોતાની જિંદગીથી હટીને કોઈ ધ્યેય માટે તેમણે પોતાની જિંદગીને ન્યૌછાવર કરી દીધી હોય છે.

* અમુક ખાસ વ્યક્તિઓ સાથે પોતાનો પ્રેમ, તેમના સાથે પોતાની લાગણી સભર લગાવ અને તેમનામાં પોતાને ગણતરી કરે છે.

* તેઓ તત્કાલીન સમયમાં પ્રચલિત હોશિયારીને માન્ય નથી રાખતા પરંતુ તેનાથી અલગ પોતાની આગવી બુદ્ધિમત્તા પ્રમાણે આચરણ કરનારા હોય છે.

પોતાની જાત ઉપર નિર્ભર ઘટાદાર વૃક્ષની માફક વ્યક્તિત્વની ઓળખ માટે માસ્લોએ અમુક લક્ષણો બતાવ્યા છે. જોકે કુઆર્નનો અભ્યાસ બતાવે છે કે નબીયો અ.સ.નું વ્યક્તિત્વ તેમના સમયમાં સર્વોત્તમ અને બધાથી આગવું હતું. દરેક નબીની જિંદગીના વ્યક્તિત્વ ઘડતર માટેના અસંખ્ય પાસા કુઆર્ન આપણી સમક્ષ રજૂ કરે છે. જરૂરત એ વાતની છે કે આપણે કુઆર્નનો અભ્યાસ ફકત દર્સે કુઆર્ન આપવાની ગરજથી ન કરીએ. પરંતુ બોધપાઠ ગ્રહણ કરવાની અને આપણી જાતની સુધારણા અને પ્રગતિ માટે પોઈન્ટ્સ શોધીને તેમાં બતાવ્યા પ્રમાણે આપણા વ્યક્તિત્વનું ઘડતર, પરિવર્તન અને તેને પૂર્ણ કક્ષાએ લઈ જવા માટે પ્રયત્ન કરતા રહીએ. જેના પરિણામે આપણે આપણાંમાં ઉત્તમ ગુણો પેદા કરી શકીએ. ભાવનાઓ, લાગણીઓ, વિચારોને સચ્ચાઈના બીંબામાં ઢાળી શકીએ, જેથી વ્યક્તિત્વમાં વિરોધાભાસ અને અસંગતતા રહેવા ન પામે.

કુઆર્નના અધ્યયનથી આપણું વ્યક્તિત્વ એટલું સુંદર બની જાય કે આપણી ઓળખ ફલાણા મદ્રસા કે ફલાણા સંગઠનના બદલે કુઆર્નના મદ્રસાથી ફારિગ અને કુઆર્નના શિક્ષણનો ઝંડાધારી વ્યક્તિ તરીકે થવા પામે અને દરેક પ્રસંગે અંબિયાએ કિરામ અ.સ.ની જિંદગીઓ આપણી નજર સમક્ષ હોય, જેથી આપણે આપણી પ્રકૃતિ પ્રમાણે આપણા જેવા બની શકીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments