Wednesday, April 17, 2024
Homeસમાચારશીખ સમુદાયની આ પહેલ

શીખ સમુદાયની આ પહેલ

એક સમાચાર… એક દૃષ્ટિબિંદુ

શિખોની સૌથી પ્રતિષ્ઠિત, સંગઠિત અને ગતિશીલ સંસ્થા, શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ ચંદીગગઢમાં તેની સામાન્ય સભામાં એક અસાધારણ ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવમાં આરએસએસની નિંદા કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આરએસએસ લઘુમતી સમુદાયોને તેમની બાબતોમાં દખલગીરી કરીને ડરાવી રહ્યું છે અને વિવિધ રીતે તેમને ધમકાવી રહ્યુ છે. તે દેશમાં હિન્દુ રાષ્ટ્ર સ્થાપવાની કોશિશ કરી રહ્યું છે અને આ માટે તે તમામ ધાર્મિક અને સામાજિક વર્ગોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આરએસએસ, ભાજપ અને તેમના સાથીઓ લઘુમતીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો આપી રહ્યા છે. ગુરુદ્વારા સમિતિએ ચેતવણી આપી છે કે આ બેકાબૂ તત્ત્વોને તાત્કાલિક લગામ આપવાજાેઈએ અન્યથા કડક નકારાત્મક પ્રતિક્રિયા આવશે. આ પહેલીવાર છે જ્યારે કોઈ મોટી ધાર્મિક સંસ્થાએ કોઈ ફાસીવાદી હિન્દુ સંગઠન સામે હિંમતભર્યું પગલું ભર્યું હોય. ઠરાવ એવા સમયે પસાર કરાયો છે જ્યારે ઉત્તર ભારતના ખેડુતો નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ જાેરશોરથી અભિયાન ચલાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ખેડૂતો શામેલ છે. ત્રણેય રાજ્યોના શીખો મોટી સંખ્યામાં સક્રિય છે અને સરકાર તેમને બદનામ કરવા અને નબળા બનાવવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરી રહી છે. સરકારનો એક પ્રચાર હતો કે ખેડૂત આંદોલન પાછળ ખાલિસ્તાની તત્વો કાર્યરત છે.

એજન્ડા પ્રાચીન છે

આ વાત કે આરએસએસ લઘુમતીઓને તેમના કામમાં દખલ આપીને ડરાવી રહ્યું છે તે હકીકત પાયાવિહોણા નથી. આ સંઘનો પ્રાચીન અને હેતુપૂર્ણ એજન્ડા છે. દેશમાં કોંગ્રેસની મજબુત સરકાર હતી તે સમયથી તે આ કામ કરી રહ્યો છે પરંતુ તે સંઘની વિરોધી નહોતી પણ એક સમર્થક હતી અને ધાર્મિક લઘુમતીઓને ડરાવવા અને તેમના મતો જીતી શકે તે રીતે તેનો રાજકીય લાભ લીધો હતો. સંઘને તમામ પ્રકારની છૂટ અને સ્વતંત્રતાઓ હતી. આ આઝાદીનો લાભ લઈ સંઘે દેશમાં ઘણી સાંપ્રદાયિક તકરાર ઉભી કરી, તે સાંપ્રદાયિકતા ફેલાવવા અને લઘુમતીઓને ભય અને અનિશ્ચિતતાની સ્થિતિમાં રાખવા માંગતો હતો અને આજે દેશમાં તેમની સરકાર છે તેથી તે ખૂબ જ ર્નિલજ્જતા અને હિંમતથી પોતાનો એજન્ડા અમલમાં મૂકી રહ્યો છે, જાે કે હિન્દુ રાષ્ટ્રનો વ્યવહારિક ધોરણે કોંગ્રેસના સમયમાં જ લાગુ થઈ ચૂક્યો હતો. તે યુગમાં લોકશાહીના નામે, બહુમતી ઇચ્છે તે બધું થઈ રહ્યું હતું. લોકશાહી બહુમતીની તાનાશાહીને જ કહેવામાં આવે છે. જાે કે કોંગ્રેસે આ કામ ગુપ્ત અને આડકતરી રીતે કરી રહી હતી. જ્યારે આજની સરકારને છુપી રીતે કરવાની જરૂર નથી દેખાઈ રહી અને તે સ્વતંત્ર અને પરોક્ષ રીતે કરી રહી છે. અને આ કરવાની સૌથી સહેલી અને અસરકારક રીત (આરએસએસ અનુસાર) ધાર્મિક લઘુમતીઓ, પછાત વર્ગ અને દલિતોને દબાવવી છે. આ વર્ગની સ્વતંત્રતા અને ર્નિભયતા સાથે આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાતું નથી.

તેઓ બહાદુર કોમ છે


શીખ એક બહાદુર કોમ છે. ૧૯૮૪ના રમખાણોના થોડા સમય પહેલા જ તેણે પોતાના વિરોધીઓને એવી રીતે સીધા કરી દીધા હતા કે દરેક ચૂપ થઈ ગયા. નામ સામે પ્રતિક્રિયા ન આવે તે માટે વિરોધીઓને નવો (મુસ્લિમ વિરોધી) મોરચો ખોલવો પડ્યો. ત્યારબાદ ઘણું બધું થયું. હવે જ્યારે આ ખેડૂત આંદોલન વેગ પકડી રહ્યું છે, તે શીખોની સક્રિય ભાગીદારીનો કમાલ છે. એટલા માટે સરકાર ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવી રહી છે પરંતુ આશા છે કે દૂરંદેશી શીખ સમુદાય આ મુદ્દાને જીવંત થવા દેશે નહીં. અને તે ફક્ત તેનું કામ કરશે. જાે કે, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ તેની સામાન્ય સભામાં ઉશ્કેરણીજનક દુષ્ટ તત્વોને કાબૂમાં લેવી જાેઈએ તેવી ચેતવણીને સરકારે અવશ્ય સ્વીકારવી જાેઈએ. અહીં ફક્ત શીખની જ વાત નથી પરંતુ અન્ય ધાર્મિક લઘુમતીઓ અને પછાત સમુદાયોની પણ છે. સંઘ લઘુમતીઓ અને પછાત વર્ગને ડરાવવા માટે લાંબા સમયથી કાર્યરત છે. હવે જ્યારે તે સત્તામાં છે તો તેના હોસલા બુલંદ છે. તેના નાના મોટા લોકો નિર્ભીકપણે ઉશ્કેરી રહ્યા છે. એ વાત સાચી છે કે સરકારમાં આજે ઉચ્ચ કક્ષાએ કોઈ દૂરંદેશી અને સમજદાર વ્યક્તિ નથી, પરંતુ નીચલા સ્તરે સમજુ કામદારો અને રાજકીય સાથીઓએ આ તરફ ધ્યાન આપવું જ જાેઇએ. આમ ૨૦૨૩ની સામાન્ય ચૂંટણીના સંકેતો શાસક વર્ગની તરફેણમાં નથી દેખાઈ રહ્યા. જાે તેઓ ફક્ત કોર્પોરેટ વર્ગ પર આધાર રાખે છે તો તે તેમની અજ્ઞાનતા છે.

“દઅવત”ના સૌજન્યથી..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments