Friday, March 29, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસવ્યક્તિની ઉન્નતિ માટેના પરિબળો

વ્યક્તિની ઉન્નતિ માટેના પરિબળો

જીવનમાં ઘણા બધા આયોજનો અપૂર્ણ રહી જાય છે. ઘણા સ્વપ્નો ફળીભૂત થતા પહેલાં છિન્નભિન્ન થઈ જાય છે. આયોજન એ હેતુની પ્રાપ્તિ માટેની ગેરંટી નથી આપતુ. આયોજન એ ઇચ્છાઓ, આકાંક્ષાઓનું પ્રગટિકરણ (જાહેરાત) છે. આયોજન ઉપર અમલ શરૃ થઇ પણ જાય તો તે અંતિમ કક્ષાએ પહોંચી જ જાય તે નિશ્ચિત નથી હોતંુ. વ્યક્તિગત આયોજન ત્યારે જ નિર્ધારિત કક્ષા સુધી પહોંચે છે, જ્યારે તે અલ્લાહતઆલાના આયોજનનો ભાગ બની જાય. અલ્લાહતઆલાના હુકમ સિવાય જ્યારે વૃક્ષનું એક પાંદડુ પણ હાલતુ નથી તો પછી આપણા આયોજનની શું વિસાત? પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આપણી પોતાની આકાંક્ષાઓને અલ્લાહના આયોજનનો ભાગ કેવી રીતે બનાવી શકાય? તેનો એક જવાબ એ છે કે –

ખૂદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે,
ખુદા બંદે સે ખૂદ પૂછે બતા તેરી રઝા કયા હૈ

ખૂદીને બુલંદ કરવાની રીત એ જ છે કે આપણે ખુદાની મરજીના તાબે થઈ જઈએ. અલ્લાહની મરજી ઉપર રાજી રહેવાની આપણી રહેણી-કરણી બની જાય. આપણે રબની રઝામંદીની તલાશ કરનાર બની જઇએ. ખૂદીને બુલંદ કરવા માટેનું પ્રેરકબળ અલ્લાહની નિકટતા બની જાય. તો પછી વ્યક્તિની ઉન્નતિની ચરમ સીમા કિસ્મતનો ભાગ બની જાય છે. સૂફી-સંતોની માન્યતા મુજબ મોમીનની ચરમસીમા અલ્લાહ સાથેનું મિલન છે અને આ વ્યક્તિની ઉન્નતિની પરાકાષ્ટા છે. વ્યક્તિની આ પરાકાષ્ટા અન્ય ધર્મોમાં પણ છે. કોઈને ત્યાં બિન્દુ સમૂદ્રમાં ભળી જાય એ ચરમ સીમા છે પરંતુ ઇસ્લામમાં વ્યક્તિની ચરમસીમા એ છે કે તે અલ્લાહ સાથેનો સંબંધને ગાઢ બનાવી લે. અલ્લાહથી ગાઢ સંબંધ પ્રાપ્ત કરવાથી વ્યક્તિત્વ ઉચ્ચ અને સર્વોત્તમ બની જાય છે. આ સ્થાન પ્રાપ્ત કર્યો પછી બંદો અલ્લાહથી જે માગે છે અલ્લાહ તેની લાજ રાખી લે છે અને તેની ખુશી પ્રમાણે ફરમાન જારી ફરમાવે છે. આ વાતને અલ્લામા ઇકબાલે પદ્ધતિથી આ પ્રમાણે વર્ણન કરી છેઃ

કાફિર હૈ તૂ, હૈ તાબે તકદીર મુસલમાન
મુસલમાન હૈ તૂ, વો આય હૈ તકદીરે ઇલાહી

અલ્લામા ઇકબાલના ટીકાકારોએ લખ્યું છે કે આ પંક્તિમાં કાફિરનો અર્થ અલ્લાહનો ઇન્કાર નથી પરંતુ ઇકબાલના મત પ્રમાણે એ પ્રકારના મુસલમાનો છે જે મુસલમાન નાફરમાન, ઇમાનની લિજ્જતથી વંચિત છે તે અલ્લાહની તકદીરના તાબે હોય છે. અને તેનાથી વિપરીત જે મુસલમાને ઇમાનની લિજ્જતને પામી લીધી હોય. ઇમાનની સર્વોચ્ચ સ્થિતિ હોય તો તે પોતે જ અલ્લાહની તકદીર બની જાય છે. આના સંદર્ભમાં એક ઉદાહરણ આપવામાં આવે છેઃ

મિસરવાસીઓમાં રિવાજ હતો કે દર વર્ષે એક કુંવારી છોકરીને દુલ્હન બનાવીને વાજતે-ગાજતે નીલ નદીમાં પધરાવી દેવામાં આવતી હતી કે તેના લીધે ખેતી-વાડી માટે નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહેવા લાગે. જ્યારે મુસલમાનોએ આ દેશ ઉપર વિજય પ્રાપ્ત કર્યો તો રિવાજ પ્રમાણે પ્રાચીન કબીલાઓનું એક પ્રતિનિધિ મંડળ મિસરના ગવર્નર પાસે આવ્યું અને આ રિવાજ પ્રમાણે અમલ કરવા માટે પરવાનગી માગી. પરંતુ ગવર્નરે આ નિરર્થક રિવાજની પરવાનગી આપી નહીં અને કહી દીધું કે ઇસ્લામે આવા કુરિવાજોને નાબૂદ કર્યા છે. અલ્લાહનું કરવું કે તે વર્ષે નીલ નદીમાં પાણી બહુ જ ઓછું થઈ ગયું. એટલા માટે તે કબીલાઓએ જેમનું જીવન ખેતી ઉપર નિર્ભર હતુ તેમણે વતનને ત્યજી દેવાનો નિર્ણય કર્યો. ગવર્નર સારૃ-નરસુ વિચારીને આ બાબત વિષે જાણ કરવા માટે હઝરત ફારૃકે આઝમ રદી.ને પત્રથી માહિતગાર કર્ર્યા. આપ રદી.એ જવાબ આપ્યો કે “તમે કિબ્તીઓને જે કહ્યું છે તે બિલ્કુલ સાચું કહ્યું છે. હું તમને એક ચીઠ્ઠી મોકલું છું, જેને નીલ નદીમાં પધરાવી દેજો.” આ ચીઠ્ઠીમાં વિષય વસ્તુ આ પ્રમાણે હતી, અલ્લાહના કમજોર બંદા અને મુસલમાનોના અમીર ઉમર બિન ખત્તાબ રદી.ની તરફથી નીલ નદીને નામે!

અમ્મા બાદ, હે નીલ, અમે અલ્લાહથી દુઆ કરીએ છીએ કે તે તને વહેડાવી દે. જ્યારે આ ચીઠ્ઠી નીલ નદીમાં નાખવામાં આવી અલ્લાહના હુકમથી એવુ બન્યુ કે આ વર્ષે નદીમાં એટલું બધુ પાણી આવ્યુ કે જમીન અને પાણી એક થઈ ગયા.
(તારીખે મિલ્લત, જિલ્દ-દોમ-૧૯૬)

રબની મરજી

અમારા મન્સુબા (પ્લાનીંગ)ને ચરમ સીમાએ પહોંચાડવા માટે અલ્લાહની મજરી મૂળ દ્યોતક છે અને તેને પ્રાપ્ત કરવાની રીત અલ્લાહની નિકટતા છે. અલ્લાહની નિકટતા પોતાની જાત માટે પ્રેરકબળ પણ છે અને પોતાની જાતની પૂર્ણતાની ચરમસીમા પણ. દુઆ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવાનું એક માધ્યમ છે. અને દુઆની કબુલિયત અલ્લાહની નિકટતાનું પ્રગટિકરણ છે. માટે વ્યક્તિત્વના નિખાર માટે મન્સુબાબંદ પછી દુઆએ મુખ્ય હથિયાર છે. દુઆ દ્વારા અલ્લાહની મદદ અને સફળતા પ્રાપ્ત થાય છે. આ મદદ વગર નૈતિક બુરાઈઓ અને માનસિક વિકૃતિ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું શક્ય નથી. દિલ અને આત્માની પવિત્રતાના મામલામાં દુઆઓની કિતાબોમાં નબી સ.અ.વ.ની ઘણી દુઆઓ વર્ણન થયેલ છે. દિલની શુદ્ધિએ વ્યક્તિત્વની પાયાની આત્મશુદ્ધિ છે. દિલએ વ્યક્તિનું અંતઃકરણ છે. અંતઃકરણને નિખારવુ એ બાહ્ય કરતા વધારે અગત્યનું છે.

“હે અલ્લાહ! તૂ પાક કરી દે મારા દિલને દ્વેષભાવથી, મારા કાર્યોને દંભથી, મારી જબાનને જૂઠથી, મારી આંખોને બૂરી દાનતથી, અને જે કંઇ મનમાં છૂપાયેલું હોય તેનાથી પણ, હે અલ્લાહ તૂ મારા આંતરને મારા બાહ્ય કરતાં ઉત્તમ બનાવી દે અને મારા બાહ્યને પણ સુંદર બનાવી દે.”

દિલ શુદ્ધ ન હોય તો તે મનેચ્છાઓ, વાસનાઓ, કામેચ્છાઓ, ક્રોદ્ધ, લોભ, લાલચ, ઉદ્ધતાઈ, દાદાગીરી, નાપાકી અને નિર્લજ્જતાથી ભરેલુ હોય છે. આતે કીટાણુઓ છે જે માનસિકતાને દૂષિત કરીનાખે છે. અને માનસિક રોગોને જન્મ આપી તેનું પોષણ કરે છે. અને વ્યક્યિના ઊચ્ચ અને શ્રેષ્ઠ આદર્શોને ખતમ કરી નાખે છે.માણસ મનેચ્છાઓનો ગુલામ બની જાય છે.ત્યાર પછી તેનામાં અને એક પશુમાં કોઇ ફરક લાગતો નથી. બંને એક સ્તર પર નજરે પડે છે. આ સ્તરે પહોંચ્યા પછી પ્રતિષ્ઠાની બુલંદીઓ તેના હાથની પહોંચથી દૂર થઇ જાય છે.દુષ્ટતા અને અધમતા તેના અખ્લાક અને વ્યક્તિની ઓળખ બની જાય છે. ઉન્નતિના બદલે દિન પ્રતિદિન વધુને વધુ અધઃપતન થતુ જાય છે ત્યાં સુધિ કે છેવટે તે અસ્ફલુસાફિલિનમાં જઇ પડે છે.

દુઆઓનો પ્રબંધઃ

વ્યક્તિત્વને ઊંચે ઉઠાવવા માટે મન્સુબાબંદી (આયોજન) પછી દુઆઓ નો ખાસ પ્રબંધ રાખવો જોઇએ. ખુબજ વિસ્તૂત અને અલ્લાહથી માગવાની ઉત્ક્રષ્ટ રીતે દર્શાવતી દુઆઓ બુઝુર્ગોથી પણ નકલ થયેલી છે. તે પૈકી નીચે એક દુઆ આપી છે.

“હે અલ્લાહ ! હું તારી પનાહ (આશરો) ચાહું છુ. લાલચની ઉર્દંડતાથી, ક્રોદ્ધની તિવ્રતાથી, અદેખઇ (ઇર્ષ્યા) ના અત્યાચારથી, અધિરાઇના દુર્ગુણથી, સંતોષની કમીથી, સ્વભાવની વિકૂતિથી, મનેચ્છાઓના ઊદભવથી, સગાવાદના પ્રભાવથી, ઇચ્છાઓ અને લાલચની તાબેદારીથી, ઉપદેશથી વિમુખ થવાથી, ગફલતની નીદંથી મદહોશીથી, અને તકલીફ પસંદીથી”.

વળી જૂઠને સત્ય ઉપર પ્રધાનતા આપવાથી, ગુનાઓ પ્રત્યે હઠાગ્રહ કરવાથી, ગુનાઓને હલકા, અને નેકીઓને ભારે સમજવાથી, ધનવાનોનું બહુમાન અને ગરીબોની ઉપેક્ષાથી, પોતાના આશ્રિતો પ્રત્યે નિષ્કાળજી રાખવાથી, મોહસીન (અહેસાન કરનાર) ની નાશુક્રીથી અને એનાથી કે અમે કોઇ જાલિમની મદદ કરીએ. અને પીડિત પ્રત્યે ઉપોક્ષિત વલણ દાખવવાથી, અથવા એવી વસ્તુ કરવાનો ઇરાદો કરીએ જેનો અમને અધિકાર નથી અથવા દીનની બાબતમાં જ્ઞાાન વગર દખલગિરી કરીએ. અને અમે તારાથી પનાહ માગીએ છીએ, એ વાતથી કે કોઇને છેતરવાનો ઇરાદો કરીએ અથવા અમારા કાર્યો ઉપર ગર્વ કરીએ. અને અમારા આશાઓનો પાલવ વિસ્તૂત કરીએ, અને અમે તારાથી પનાહ માગીએ છીએ બદગુમાનીથી અને નાના ગુનાઓની તુચ્છ ગણવાથી, અને આવાતથી કે શૈતાન અમારા ઉપર સવાર થઇ જાય, અથવા સમય અમને તકલીફ માં મૂકી દે, અથવા સત્તાધિકારીઓ અમને પોતાના જુલ્મનું નિશાન બનાવી દે, અને અમે તારાથી પનાહ માગીએ છીએ ફુઝુલ ખર્ચથી, અને જરૂરત મુજબ રોજી પ્રાપ્ત ન થવાથી, અને અમે પનાહ માગીએ છીએ દુશમનોના અમારા ઉપર હસવાથી, અમારા મિત્રોની સ્વાર્થ પરાપતાથી, કડકાઇનો જિંદગી ગુજારવાથી અને આખેરતના સમાન વગર મૂત્યુ પામવાથી, અને તારાથી પનાહ માગીએ છીએ ધોખાબાજ, (દુષ્ટ, કપટી) થી, મોટી આફતથી, દુર્ભાગ્યથી નિષ્ફળ પરિણામથી, સ્વપ્નની વંચિતતાથી, અને અઝાબ નાઝિલ થવાથી.

અય અલ્લાહ ! મુહમ્મદ સલ્લ. અને તેમના આલ અને ઔલાદપર રહમત નાઝિલ ફરમાવ અને તારી રહમતના સદકામાં મને અને સર્વે મોમીનો અને મોમીનાતને એ તમામ બુરાઇઓથી તારી પનાહમાં રાખ અય બહૂજ રહમ અને કરમના માલિક.(સહીફાએ કામિલા, ઝબુર અલ મુહમ્મદ-અઝ ઇમામ ઝૈનુલ આબિદિન બિન અલી, બિન હુસૈન બિન અદી રદી.)

દુઆઓની કબુલિયતનું યકીન

વ્યક્તિત્વના વિકાસ માટે નબળાઇઓને દૂર કરવી એ એક પાસંુ છે, તો યોગ્યતાઓનો વિકાસ કરવોએ બીજુ પાસુ છે, નબળાઇઓનું નિવારણ અને યોગ્યતાઓના વિકાસ માટેની એક વૈજ્ઞાાનિક પધ્ધતિ છે. પ્રથમ કોઇ ચીજમાં લિજ્જત અને લાભની કલ્પના પેદા થાય છે. આ કલ્પનાનું નામ નિમંત્રક છે. જેના લીધે માણસમાં તે ચીજ પ્રાપ્ત કરવા માટે અભીરૃચિ પેદા થાય છે. આ અભિરૃચિનું નામ ઇરાદો છે. પછી પ્રકૃતિ અને સામર્થ્યની અસર હેઠળ અવયવોમાં હરકત પેદા થાય છે, અને જેની પ્રાપ્તિ માટે હરકત કરવામાં આવે છે, તે ફળ સ્વરૃપે જાહેર થાય છે. ઇચ્છા, ઇરાદો, સંકલ્પ, દ્રઢ નિર્ધાર, આયોજન, હરકત, અને સફળતાની વચ્ચે દુઆનું સ્થાન છે. દુઆ હોય અને દ્રઢ વિશ્વાસની સાથે હોય તો કાર્યો સફળ સાબિત થાય છે. વિશ્વાસ વગરની દુઆ બિન અસરકારક હોય છે.

કોઇક વસ્તીમાં દુષ્કાળ પડયો. તેથી વરસાદની દુઆ માટે શહેરના બધા લોકો મેદાન તરફ જવા લાગ્યા. એક બાળકી તેના દાદા સાથે જઇ રહી હતી તેના હાથમાં છત્રી પકડેલી હતી. એક જણે બાળકીને પૂછયુઃ “દુષ્કાળની સ્થિતિમાં છત્રી અને તે પણ દાદાના હાથમાં હોવાના બદલે મુન્નીના હાથમાં?” બાળકીએ તરત જ જવાબ આપયો ઃ “ચાચ, શું આપને ખબર નથી કે આપણે વરસાદ લેવા જઇ રહ્યા છીએ. પાછા ફરતી વખતે જોરનો વરસાદ આવશે તો તેના કારણે પલળવાથી બચવા માટે મેં છત્રીની વ્યવસથા કરી છે.”

બીજુ પ્રરકબળ – જિંદગીનું મુલ્ય અને કદર

જિંદગી અલ્લાહની મહાન ને’અમત છે. જે જિંદગીની કદર કરે છે અલ્લાહ તેમની કદર કરે છે. જે જિંદગીને વ્યર્થ વડેફી નાખે છે, જિંદગી તેને હંમેશની નાકામીનો દુર્ભાગ્ય પૂર્ણ ફેંસલો સંભળાવી દે છે. જિંદગી જે મોડ (વળાંકો) અને મંઝીલોમાંથી પસાર થાય છે, તેમાં ખૂશીઓ અને સુખની વસંત પણ દેખાડે છે અને ઘડપણ તથા બીમારીની પાનખરમાંથી પણ પસાર કરે છે. આમ છતાં જિંદગી ઘણી સુંદર, મનોહર, રંગીન અને સંભાવનાઓના ખજાનાઓથી ભરપૂર હોય છે. કોઇએ કહ્યું છે ઃ It is worth living અર્થાત “જિંદગી જીવવા માટે કદરને પાત્ર છે.” અથવા “જિંદગી જીવવા લાયક છે.” કારણ કે જિંદગી એક જ વખત મળે છે. એટલા માટે તેને ભરપૂર રીતે નિચોડી લેવી જોઇએ બીજી વાર તક હાથ આવવાની તથા મૂર્ખ છે તે જે તેને વેડફી નાખે છે.

વ્યક્તિના વિકાસ માટે આ પણ એક અગત્યનું પ્રેરક બળ છે કે જિંદગી જે એક વખત મળી છે તેની કદર કરે અને તેમાં ઉન્નતિ પ્રાપ્ત કરે અને પોતાની જાતને વિકાસના સ્થાને પહૌચાડી દે. નહીંતર આ ઉમર વિતી ગયા પછી તે અધૂરી, અપૂર્ણ અને ખરબચડીજ રહીજશે. જે તેના માટે હંમેશ માટે નુકશાન નું કારણ બનશે, મૌલાના અમીન અ.હસન ઇસ્લાહી રહ. એ કેવા ખૂબ સુરત અંદાજમાં આ હકીકતને વ્યકત કરી છે તે નિરીક્ષણ કરોઃ “જો માણસ પાસે એક જ રોટી હોય અને તેના બાળકો ભૂખ્યા હોયતો તે માણસ તે રોટીને કૂતરા આગળના ખવાની ભૂલ કદાપિ નહી કરે જો એક મુસાફર પાસે પાણીની એક જ બોટલ હોય અને તેને રણની મુસાફરી કરવાની હોય તો તે એ પાણીને પગ ધોવામાં કયારેય નહી વાપરે. પરંતુ તેના એક એક ટીપાથી પોતાની જિંદગી બચાવવાનો પ્રયત્ન કરશે. જો કોઇના તીરના ભાથામાં એક જ તીર હોય અને રસ્તામાં તેને વાઘ અથવા વરૃનો ભેટો થવાનો ભય હોય, તો તે આ મુર્ખતા કદાપિ નહી કરે તે આ એક તીરને ગીધ અથવા લોમડીના શિકારમાં વેડફી નાખે પરંતુ તેને અસલ ખતરાથી બચવા માટે ઉપયોગ કરવાની કોશીશ કરશે પરંતુ આશ્ચર્ય છે કે તે જ માણસ, જે પોતાની એક રોટી, પોતાની એક પાણીની બોટલ, પોતાના એક તીરને વાપરવા માટે આટલો બધો ચતુર છે, પરંતુ જ્યારે તેની સામે ખુદ પોતાની જિંદગી જેવી અમૂલ્ય ચીજને વાપરવા માટે આયોજન (પ્લાન) બનાવવાનો પ્રશ્ન આવે છે તો તે સાવ નાદાન બની જાય છે.સ્પષ્ટ છે કે આપણા ભાગ્યમાં એક જ જિંદગી મળેલી છે અનેક જિંદગીઓ નથી મળી, આ જિંદગીના બદલામાં કાં તો આપણે કાયમી સફળતા પ્રાપ્ત રકીએ શકીએ છીએ અથવા કાયમી દુર્ભાગ્ય અને આપણ નિશ્ચિત છે કે કાયમી સફળતા પ્રાપ્ત કરવી કોઇ બચ્ચોનો ખેલ નથી, આ વસ્તુ ઓ ફકત ઇચ્છા કરવાથી પ્રાપ્ત થઇ શકતી નથી તેના માટે માણસે ડગલે ને પગલે સાહસ ખેડવાનું હોય છે. અને જિંદગીના દરેક વળાંક પર યુધ્ધ જીતવુ પડે છે આ યુધ્ધો જીત્યા વગર અને સાહસો ખડેયા વગર માણસ કાયમી સફળતા પ્રાપ્ત કરી શકતો નથી પરંતુ આ સ્પષ્ટ હકીકત હોવા છતાં દુનિયામાં બહુમતિ એ જ લોકોની છે જે ઓ પોતાની જિંદગીઓ સાવ તુચ્છ હેતુઓ પાછળ બરબાદ કરે છે. એનું કારણ જેવુ કે વર્ણન થયુ છે કે તેમને આ જિંદગી અને આ જિંદગીની મુદ્દતની સાચી કદર અને મુલ્યની ખબર નથી જે તેમના ભાગ્યમાં આવી છે.” (તઝકિયાએ નફસ અઝ મૌલાના અમીન અ.હસન ઇસ્લાહી રહ. – પૃ.૧૫૨)

નિરાશ ડુબકીમાર

ઉપરોકત સમગ્ર વસ્તુને એક બીજા દ્વષ્ટાંતથી સમજી શકાય છે.

એક ગામમાં એક હીરાનો વેપારી હતો , દરિયામાંથી કીમતી હીરા-મોતી, અને રંગીન કાંકરા કાઢીને એકઠા કરતો હતો. આના માટે તે ડૂબકી મારાઓની સેવા લેતો હતો. અને તેઓ જેટલો કીમતી સામાન એકઠો કરીને લાવતા એટલા ઇનામથી પણ નવાજતો હતો એક દિવસ તેણે એક ડુબકી મારને મોકલ્યો સાથે દરેક ડૂબકીમારને તે બે વસ્તુઓ આપતો, એક ગેસનું સિલિંડર અને એક ટોપી. તે ડૂબકીમાર દરિયામાં ગયો. પાણી વાદળી રંગનું પણ એકદર સ્વચ્છ હતુ. નાની-મોટી માછલીઓ જીવનની મોજ-મજા માણી રહી હતી. મોટી માછલીઓ ને નાની માછલીઓ નો શિકાર કરતો પણ જોયું. અજ્બ જાતની ચમકારા મારતી માછલીઓ પણ હતી. જેના શરીર ઉપર અતિ સુંદર રંગ બેરંગી કુંડાળા બનેલા હતા અજાયબી ભરી માછલીઓ નિરાળી અદામાં હલન-ચલન કરી રહી હતી ફૂલ-છોડનું તો શું કહેવું ! નાના-મોટી, લાલ-લીલા,વાદળી,પીળા રંગ બેરંગી ડોલતા, ઝુમતા મોટી-મોટી શીલાઓને મજબુતીથી ચોટેલા હતા. ત્યાં પણ ખુબ સુરત ફૂલની પાંખડીઓ ચમકી રહી હતી ફૂલો ખિલેલા હતા. અને અતિશય તરો-તાજા હતા. લાખોની સંખ્યામાં, ઝુંડના ઝુંડ કીડી-મકોડાના નીકળતા હતા સંતાઇ-સંતાઇને આંખો મલકાવતી સંતાકૂકડી રમી રહ્યા હતા સૂર્યના કિરણો પાણી ચીરીને દરીયાના તળિયે પહૌચીને અજબ વાતાવરણ ઉત્પન્ન કરતા હતા.ડૂબકી માર આ બધો મનોહર દ્રષ્યો દેખીને તેમાં મગ્ન બની ગયો. આમ તેમ ફરતો જતો અને દેખતો રહ્યો. અને દરિયાની જિંદગીનો આનંદ માણતો રહ્યો. ઓચિંતુ બડ-બડ બડ-બડ થવા લાગ્યુ. તુરંત હોશ ઠેકાણે આવી ગયો અનુભુતિ થઇ ગઇ કે હવે ગેસ સમાપ્ત થઇ રહ્યો છેે. ઝડપથી દરીયા ના તળિયે પહોંચ્યો હીરા-મોતી ઉતાવળથી શોધી રહ્યો હતો. છેવટે જલ્દીમાં થોડાક કાંકરા થોડા પથ્થર, થોડીક રેત ઉઠાવીને ટોપલીમાં ભરી દીધું. અને બહુ ઝડપથી પાણીની સપાટી પર આવી રહ્યો હતો કે કંઇક ઝટકો લાગ્યો અને ટોપલીમાં ભરેલી માટી, પત્થર, રેત દરિયામાં પડી ગયુ અને ટોપલી ખાલી થઇ ગઇ.જેવું સિલિન્ડર ખાલી થયુંુ અને તે પાણીની સપાટી પર પહોંચી ગયો,પશ્ચાતાપની લાગણીમાં ડૂબેલો માલિકની સામે હાજર થયો.અને લજ્જીત બનીને કહેવા લાગ્યો “માલિક! આ વખતે ભૂલ થઇ ગઇ. દરિયાના મનમોહક દ્રષ્યોમાં મગ્ન બની ગયો. આવી ભૂલ બીજી વખત નહી કરૃ એક ફરીથી સિલિન્ડર આપવાની કૃપા કરો. બીજી વખત જઇશ તો ફકત અને ફકત હીરા-મોતી જ એકઠા કરીને લાવીશ. કોઇ બીજા કામમાં કદાપિ સમય બરબાદ નહીં કરીશ. જવાબ મળે છે કે બીજી વખત ફરીથી જવા માટે કોઈ જ અવકાશ નથી. ટોપલીમાં કંઇ લાવ્યા હોત તો ઇનામ મળત. જો ટોપલી ખાલી હશે તો ગેસનો હિસાબ આપવો પડશે.

કંઇક આ જ પ્રકારની સ્થિતિ એ લોકોની થશે જે દુનિયામાં જીંદગીનો કોઈ અને મહાન હેતુ પોતાની નજર સામે નથી રાખતા, અને જીંદગી એમ જ વ્યર્થ વિતાવી દે છે. આખેરતમાં તેઓ કહેશેઃ

“અય અમારા રબ! અમે દેખી લીધું, અને સાંંભળી લીધુ, તૂ અમને પાછા દુનિયામાં મોકલી દે અમે ભલા અને સારા કાર્યો કરશું અમે વિશ્વાસ ધરાવનાર છીએ.”*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments